અંકલેશ્વર: તંત્ર દ્વારા રસ્તે રખડતા ઢોર પાંજરે પુરાયા, ઢોર માલિકો દાદાગીરી સાથે ઢોર છોડાવી લઈ જતા મામલો પોલીસ મથકે પહોંચ્યો

અંકલેશ્વર નોટિફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા જીઆઇડીસીના વિવિધ વિસ્તારોમાંથી રસ્તે રખડતા ઢોરને પકડવાની કામગીરી કરવામાં આવી હતી. ઢોર માલિકો દાદાગીરી

New Update
ank1
અંકલેશ્વર નોટિફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા જીઆઇડીસીના વિવિધ વિસ્તારોમાંથી રસ્તે રખડતા ઢોરને પકડવાની કામગીરી કરવામાં આવી હતી. આ દરમિયાન ઢોર માલિકો દાદાગીરી સાથે ઢોરને પાંજરામાંથી છોડાવી લઈ જતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
રસ્તે રખડતા ઢોરના કારણે થતા અકસ્માતો નિવારવા અંકલેશ્વર નોટિફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા અંકલેશ્વર જીઆઇડીસીના રહેણાંક વિસ્તારોમાં હાલ રસ્તે રખડતા ઢોર પકડવાની ઝુંબેશ ચાલી રહી છે ત્યારે આજરોજ બપોરના સમયે નોટિફાઇડ એરીયા ઓથોરિટીની એક ટીમ જીઆઇડીસીમાં આવેલ સરદારપાર્ક રોડથી હોસ્પિટલને જોડતા રોડ પર ફરી રહી હતી તે દરમિયાન રસ્તે રખડતી ચાર ગાયોને પાંજરે પૂરવામાં આવી હતી. કર્મચારીઓની ટીમ આગળ જઈ રહી હતી તે દરમિયાન કેટલાક લોકોનું ટોળું ધસી આવ્યું હતું અને કર્મચારીઓએ પાંજરામાં પૂરેલ ગાયને દાદાગીરી સાથે છોડાવી લઈ ગયા હતા.
આ અંગે નોટિફાઇડ એરીયા ઓથોરિટીના ચીફ ઓફિસર ચિંતન પટેલે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે અરજી આપી 4 અજાણ્યા પુરુષ અને મહિલાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની માંગ કરી છે. તંત્ર દ્વારા રસ્તે રખડતા ઢોર પકડવાની ઝુંબેશ બાદ ઢોર માલિકો દાદાગીરી સાથે ઢોર લઈ જતા કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.
Read the Next Article

ભરૂચ : વરસાદની શરૂઆત સાથે જ ખેડૂતો ખરીફ પાકના વાવેતરમાં જોડાયા,730 હેકટરથી વધુ પિયત કપાસનું કરાયું વાવતેર

ભરૂચ જિલ્લામાં આ વર્ષે પ્રથમ સપ્તાહમાં 551 હેક્ટરમાં વાવેતર થયું છે. પરંતુ પૂરતો વરાપ ન નીકળવાના કારણે આ વર્ષે 439 હેક્ટર ઓછું વાવેતર થયું છે.

New Update
  • ચોમાસાની શરૂઆતથી ખેડૂતોમાં ખુશી

  • પિયત કપાસનું વાવેતર કરાયું શરૂ

  • 730 હેક્ટરમાં કપાસનું વાવેતર

  • હાંસોટમાં 150 હેક્ટરમાં કરાયું વાવેતર

  • કપાસ અને તુવેર સહિતના પાકની વાવણી   

ભરૂચ જિલ્લામાં ચોમાસાની શરૂઆત સાથે ખેડૂતોએ ખરીફ વાવેતરની કામગીરી શરૂ કરી છે. અત્યાર સુધીમાં 730 હેક્ટરથી વધુ વિસ્તારમાં પિયત કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે.

ભરૂચ જિલ્લામાં જૂન મહિનાના પ્રથમ સપ્તાહથી ચોમાસુ વાવેતરની શરૂઆત થાય છે. પિયતની સુવિધા ધરાવતા ખેડૂતો સૌ પ્રથમ કપાસનું વાવેતર કરે છે. ગત વર્ષે જૂનના બે સપ્તાહમાં 990 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતું. આ વર્ષે પ્રથમ સપ્તાહમાં 551 હેક્ટરમાં વાવેતર થયું છે. પરંતુ પૂરતો વરાપ ન નીકળવાના કારણે આ વર્ષે 439 હેક્ટર ઓછું વાવેતર થયું છે.જોકે બે સપ્તાહ મળીને 730 હેક્ટરમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

ભરૂચ જિલ્લામાં સૌથી વધુ વાવેતર હાંસોટ તાલુકામાં 150 હેક્ટર વિસ્તારમાં થયું છે. વાગરા અને વાલિયા તાલુકામાં હજુ વાવેતરની શરૂઆત થઈ નથી. જૂન મહિનાના અંત સુધીમાં 5 હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર થવાનું અનુમાન ખેડૂતો લગાવી રહ્યા છે.

ખેડૂતોના જણાવ્યા મુજબવરસાદને કારણે ખેતરો વાવેતર માટે તૈયાર કરી દેવામાં આવ્યા છે. કપાસ અને તુવેર જેવા પાકની વાવણી ચાલુ છે. ગત વર્ષે અતિવૃષ્ટિના કારણે પ્રથમ વાવેતર નિષ્ફળ ગયું હતું. આ વર્ષે સારો વરસાદ અને યોગ્ય વરાપ મળે તો સારા પાકની આશા છે. આખી સિઝનમાં 30 ઇંચ જેટલો વરસાદ પડે તો સારો પાક થઈ શકે છે.