અંકલેશ્વર: ગણેશ વિસર્જન માટે નગર સેવા સદન દ્વારા 3 કૃત્રિમ જળકુંડનું કરાયુ નિર્માણ

અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વિસર્જન માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. નર્મદા નદીમાં થતા જળ પ્રદૂષણને અટકાવવા માટે અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા ત્રણ કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવ્યું

New Update

અંકલેશ્વરમાં ગણેશ વિસર્જનની તૈયારી

નગર સેવા સદન દ્વારા તૈયારીઓ શરૂ કરાય

3 સ્થળોએ કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરાયુ

નગર સેવા સદનના ફાયર વિભાગની ટીમ રહેશે તૈનાત

સ્થાનિક તરવૈયાઓની પણ લેવાશે મદદ

અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા ગણેશ વિસર્જન માટે ત્રણ કૃત્રિમ જડકોનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે જળકુંડમાં જ શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવા માટે અપીલ કરવામાં આવી છે

દુંદાળા દેવની આરાધનાનું પર્વ ગણેશમહોત્સવ તેના મધ્ય ચરણમાં પહોંચ્યું છે ત્યારે અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વિસર્જન માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. નર્મદા નદીમાં થતા જળ પ્રદૂષણને અટકાવવા માટે અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા ત્રણ કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે.

જેમાં જૂની દીવી ગામ નજીક આવેલ બળિયા બાપજીના મંદિર પાછળ, જળકુંડ અને સુરવાડી ગામ નજીક કુત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં શ્રીજી ભક્તો વિઘ્નહર્તા શ્રી ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરી શકશે.

વિસર્જનની પ્રક્રિયા સમયે નગર સેવા સદનની ફાયર વિભાગની ટીમ તૈનાત રહેશે. ઉપરાંત સ્થાનિક તરવૈયાઓને પણ તૈનાત કરવામાં આવશે.શ્રીજીની મૂર્તિઓનું કૃત્રિમ જળકુંડમાં જ વિસર્જન કરવા માટે નગર સેવા સદન દ્વારા અપીલ કરવામાં આવી છે..

Read the Next Article

સુરત : શિક્ષક પિતાએ બે પુત્રો સાથે અગમ્ય કારણોસર જીવન ટુંકાવ્યું, પોલીસે શરૂ કરી તપાસ,આપઘાતનું કારણ અકબંધ

સુરત શહેરમાં આજે બે કમકમાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. આજે સવારે  સુરતના લસકાણા વિસ્તારમાં 34 વર્ષીય મહિલાએ પોતાના સાત વર્ષના દીકરાને ઝેરી દવા પીવડાવી અને

New Update

સુરતમાં સામૂહિક આપઘાતની ઘટના

શિક્ષક પિતાએ બે પુત્રો સાથે કર્યો આપઘાત

આપઘાત પાછળનું કારણ અકબંધ

પિતા પુત્રોના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા 

પોલીસે ઘટના અંગેની શરૂ કરી તપાસ

સુરત શહેરમાં આજે બે કમકમાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. આજે સવારે  સુરતના લસકાણા વિસ્તારમાં 34 વર્ષીય મહિલાએ પોતાના સાત વર્ષના દીકરાને ઝેરી દવા પીવડાવી અને બાદમાં તે દવા પોતે પણ પી લીધી હતી. જેમાં માતાનું મોત નીપજ્યું હતું. જ્યારે બાળક સારવાર હેઠળ છે. ત્યારે હવે સુરતના ઉમરા વિસ્તારમાં આવેલી જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. અહીં એક પિતાએ પોતાના બે માસૂમ પુત્રો સાથે જીવનનો અંત આણ્યો છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

સુરતના ડિંડોલની મેરીમાતા સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અલ્પેશ કાંતિભાઈ સોલંકી ઉં.વ. 41 મૂળ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ચિઠોડા ગામના વતની છે,અને હાલ સુરતમાં પરિવાર સાથે રહે છે. મૃતક શિક્ષક અલ્પેશ સોલંકીએ પોતાના 2 વર્ષીય પુત્ર કર્નિશ અલ્પેશભાઈ સોલંકી અને 8 વર્ષીય પુત્ર ક્રીશીવ અલ્પેશભાઈ સોલંકી સાથે આપઘાત કરી લેતાં શોકનો માહોલ છવાયો છે. ગુરુવારે મોડી સાંજે તેમના ક્વાર્ટરમાંથી કોઈ પ્રતિસાદ ન મળતાં પાડોશીઓને શંકા ગઈ હતી. જ્યારે દરવાજો તોડીને અંદર જોયું તો ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા હતા. બંને બાળકોના મૃતદેહ બેડ પર મૃત અવસ્થામાં મળી આવ્યા હતાજ્યારે અલ્પેશભાઇની ડેડબોડી લટકતી હાલતમાં મળી આવી હતી.

આપઘાતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સુસાઇડ નોટ મળી નથી. પ્રાથમિક તપાસમાં અગમ્ય કારણોસર આ પગલું ભર્યું હોવાનું મનાઈ રહ્યું છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના પાછળ કયું કારણ જવાબદાર છે તે જાણવા પોલીસે શિક્ષકના પરિવારજનો અને મિત્રોની પૂછપરછ શરૂ કરી છે.