અંકલેશ્વર: ગણેશ વિસર્જન માટે નગર સેવા સદન દ્વારા 3 કૃત્રિમ જળકુંડનું કરાયુ નિર્માણ

અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વિસર્જન માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. નર્મદા નદીમાં થતા જળ પ્રદૂષણને અટકાવવા માટે અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા ત્રણ કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવ્યું

New Update

અંકલેશ્વરમાં ગણેશ વિસર્જનની તૈયારી

નગર સેવા સદન દ્વારા તૈયારીઓ શરૂ કરાય

3 સ્થળોએ કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરાયુ

નગર સેવા સદનના ફાયર વિભાગની ટીમ રહેશે તૈનાત

સ્થાનિક તરવૈયાઓની પણ લેવાશે મદદ

અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા ગણેશ વિસર્જન માટે ત્રણ કૃત્રિમ જડકોનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે જળકુંડમાં જ શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવા માટે અપીલ કરવામાં આવી છે

દુંદાળા દેવની આરાધનાનું પર્વ ગણેશમહોત્સવ તેના મધ્ય ચરણમાં પહોંચ્યું છે ત્યારે અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વિસર્જન માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. નર્મદા નદીમાં થતા જળ પ્રદૂષણને અટકાવવા માટે અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા ત્રણ કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે.

જેમાં જૂની દીવી ગામ નજીક આવેલ બળિયા બાપજીના મંદિર પાછળ, જળકુંડ અને સુરવાડી ગામ નજીક કુત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં શ્રીજી ભક્તો વિઘ્નહર્તા શ્રી ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરી શકશે.

વિસર્જનની પ્રક્રિયા સમયે નગર સેવા સદનની ફાયર વિભાગની ટીમ તૈનાત રહેશે. ઉપરાંત સ્થાનિક તરવૈયાઓને પણ તૈનાત કરવામાં આવશે.શ્રીજીની મૂર્તિઓનું કૃત્રિમ જળકુંડમાં જ વિસર્જન કરવા માટે નગર સેવા સદન દ્વારા અપીલ કરવામાં આવી છે..

Read the Next Article

ભરૂચ : નિકોરાના આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ,800થી વધુ બહેનોએ લીધો લાભ

નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે 13 વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ

New Update
  • સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન વિષય પર યોજાઈ શિબિર

  • નિકોરા આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે યોજાઈ શિબિર

  • રાજપૂત સમાજની દીકરીઓ માટે કરાયું આયોજન

  • 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ

  • રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘના હોદેદારોનું કરાયું સન્માન

ભરૂચના નિકોરા આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ હતી. જેમાં800થી વધારે બહેનોએ આ શિબિરનો લાભ લીધો હતો.

ભરૂચ તાલુકાના નિકોરા ગામેમાં નર્મદા નદીના કિનારે આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘ અને યુવા પાંખ ભરૂચ જિલ્લા દ્વારા આયોજિત સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિરમાં800બહેનોએ શિબિરનો લાભ લીધો હતો.

નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે13વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ આધુનિક યુગમાં પરિવારમાં સાંસ્કૃતિક સમસ્યાઓ થાય છેમેરેજ પછી  પોતાના જીવનમાં મૂલ્યવાન સમજણ આવે સાસરિયામાં પણ સંયુક્ત કુટુંબ સાથે રહી સમાજ અને પોતાનું નામ રોશન કરે તેવા ઉમદા હેતુથી સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં800થી વધુ દીકરીઓએ ઉપસ્થિત રહી પોતાના જીવનમાં પરિવર્તન માટેની હાંકલ  કરી હતી. આ સાથે જ આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના નવ  નિયુક્ત હોદ્દેદારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.