અંકલેશ્વર: GIDCમાં આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિરના પાટોત્સવ નિમિત્તે રામાયણના અખંડ પાઠ યોજાયા

અંકલેશ્વર જીઆઇડીસી માં આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિરના 19 માં પાટોત્સવની ઉજવણીના ભાગરૂપે રામાયણના અખંડ પાઠનું આયોજન કરવામાં આવ્યુ હતું

New Update
  • અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલું છે મંદિર

  • પશુપતિનાથ મંદિરના પાટોત્સવની ઉજવણી

  • પાટોત્સવ નિમિત્તે રામાયણના અખંડ પાઠ કરાયા

  • મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા

  • આવતીકાલે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

અંકલેશ્વર જીઆઇડીસી માં આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિરના 19 માં પાટોત્સવની ઉજવણીના ભાગરૂપે રામાયણના અખંડ પાઠનું આયોજન કરવામાં આવ્યુ હતું
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ અને ભક્તોની અનન્ય આસ્થાના કેન્દ્ર સમાન પશુપતિનાથ મહાદેવ મંદિરના 19માં પાટોત્સવની આવતીકાલે ઉજવણી કરવામાં આવશે.પાટોત્સવ નિમિત્તે  રામાયણના અખંડ પાઠ કરવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. આ પાઠ આવતીકાલ સુધી ચાલશે. તો આવતીકાલે ભંડારા સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
Read the Next Article

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો, રાજ્યના કુલ 9 જિલ્લાઓ હવામાન વિભાગે 'ઓરેન્જ' અને 'યલો' એલર્ટ કર્યા જાહેર

હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. આ વચ્ચે, હવામાન વિભાગે આવતીકાલે એટલે કે જુલાઈ 7 ના રોજ પણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે,

New Update
guj

હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. આ વચ્ચે, હવામાન વિભાગે આવતીકાલે એટલે કે જુલાઈ 7 ના રોજ પણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે, જે દર્શાવે છે કે ચોમાસું 2025 રાજ્યમાં સંપૂર્ણપણે સક્રિય છે.

આવતીકાલનું હવામાન રાજ્યના કુલ 9 જિલ્લાઓ માટે મહત્ત્વનું રહેશે, જ્યાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડવાની શક્યતા છે. આ અંગે હવામાન વિભાગે 'ઓરેન્જ' અને 'યલો' એલર્ટ જાહેર કર્યા છે.

આવતીકાલના વરસાદની આગાહી અને એલર્ટ

હવામાન વિભાગના વરસાદ સમાચાર મુજબ, આવતીકાલે જુલાઈ 7 ના રોજ દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાઓ – નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલી માં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે, જેના પગલે 'ઓરેન્જ એલર્ટ' આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં વહીવટી તંત્રને સાબદું રહેવા અને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.

આ ઉપરાંત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અન્ય પાંચ જિલ્લાઓ – અમરેલી, ભાવનગર, સુરત, તાપી અને ડાંગ માં પણ ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને 'યલો એલર્ટ' જાહેર કરાયું છે.

તંત્ર અને નાગરિકો માટે સૂચનાઓ

વરસાદની આ આગાહીને પગલે સ્થાનિક તંત્ર દ્વારા નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને 'ઓરેન્જ એલર્ટ' ધરાવતા વિસ્તારોમાં લોકોને બિનજરૂરી રીતે બહાર ન નીકળવા, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે તેવી શક્યતા હોવાથી સાવધ રહેવા, અને વીજળીના કડાકા-ભડાકા સમયે સુરક્ષિત સ્થળે આશ્રય લેવા જણાવાયું છે. વરસાદના કારણે દરિયામાં ભારે કરંટ જોવા મળી શકે છે, જેથી માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.