અંકલેશ્વર: મામલતદારના મનાઈ હુકમ છતા 3 હાટ બજારો ધમધમતા નજરે પડ્યા !

અંક્લેશ્વરના અંદાડા, કોસમડી અને છાપરા ગામમાં ભરાતા હાટ બજાર બંધ કરવા મામલતદારે આદેશ કર્યો હોવા છતાં હાટ બજારો ધમધમતા નજરે પડ્યા હતા , ગરીબ અને મધ્યમ વર્ગ

New Update
અંકલેશ્વરમાં ભરાય છે હાટ બજાર
અંદાડા,કોસમડી અને છાપરા ગામે હાટ બજાર ભરાય છે
ગંદકી અને અન્ય પ્રશ્ને હાટ બજાર બંધ કરવા મામલતદારે કર્યો હતો હુકમ
મનાઈ હુકમ છતા હાટ બજારો ધમધમતા નજરે પડયા
અંક્લેશ્વરના અંદાડા, કોસમડી અને છાપરા ગામમાં ભરાતા હાટ બજાર બંધ કરવા મામલતદારે આદેશ કર્યો હોવા છતાં હાટ બજારો ધમધમતા નજરે પડ્યા હતા
ગરીબ અને મધ્યમ વર્ગ માટે મોલની ભૂમિકા સમાન અંકલેશ્વરના અંદાડા, છાપરા અને કોસમડી ગામમાં હાટ બજાર ભરાય છે.જે ત્રણેય ભરાતા બિનઅધિકૃત હાટ બજાર ત્વરિત બંધ કરતો હુકમ અંકલેશ્વર મામલતદાર દ્વારા કરવામાં આવ્યો છે.ત્રણ ગામમાં મંજૂરી વિના ધમધમતા હાટ બજારને બંધ કરવા પોલીસ, તલાટી ક્રમ મંત્રીને તાકીદ  કરવામાં આવી છે.મંજૂરી વિનાના હાટ બજારમાં ચોરી,ગંદકી સહીત અનેક સમસ્યાથી લોકો પરેશાન હોવાની બુમો ઉઠી રહી છે.મંજૂરી વિના ચાલતી આ હાટ બજારો બંધ કરવા હુકમ કરવામાં આવ્યો છે પરંતુ શુક્રવારે અને શનિવારે આ હાટ બજારો ધમધમતી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે તંત્ર આ ત્રણેય હાટ બજારો બંધ કરાશે કે મધ્યમ અને ગરીબ વર્ગ માટે આશીર્વાદરૂપ આ હાટ બજારો ચાલુ રખાશે તે જોવું રહ્યું
Read the Next Article

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાય, દેશપ્રેમના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા

New Update

ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

ભાજપ દ્વારા આયોજન કરાયું

તિરંગા યાત્રાનું આયોજન

આગેવાનો અને કાર્યકરો જોડાયા

દેશભક્તિના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ, શહેર પ્રમુખ જતીન શાહ સહિત પક્ષના અગ્રણીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. હાથમાં તિરંગો લહેરાવતા કાર્યકરો દેશભક્તિના સૂત્રોચ્ચાર કરતા આગળ વધતા નજરે પડ્યા હતા.ભાજપ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલી આ યાત્રા દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર દેશપ્રેમનો જુસ્સો છલકાતો જોવા મળ્યો હતો. યાત્રામાં દેશભક્તિ ગીતો, સૂત્રોચ્ચારો અને તિરંગાની લહેરાટ સાથે ઉત્સાહનો માહોલ છવાયો હતો.