અંકલેશ્વર: ચાણક્ય વિદ્યાલયમાં દિવાળીના પર્વની ઉજવણી,વિદ્યાર્થીઓએ રજૂ કરી સાંસ્કૃતિક કૃતિઓ

દિવાળીના પર્વની ઉજવણીના ભાગરૂપે શાળામાં નાટક,ડાન્સ સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.બાળકો હિન્દૂ સંસ્કૃતિમાં આવતા તહેવારોથી અવગત થાય એ હેતુસર આ કાર્યક્રમો યોજાયા

New Update

દિવાળીના પર્વને આડે ગણતરીના દિવસો બાકી

અંકલેશ્વરમાં કરવામાં આવી ઉજવણી

ચાણક્ય વિદ્યાલયમાં ઉજવણી કરાય

વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા

શાળા પરિવાર રહ્યો ઉપસ્થિત

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ ચાણક્ય વિદ્યાલયમાં પ્રકાશના પર્વ દિવાળીની ઉજવણીના ભાગરૂપે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું
પ્રકાશના પર્વ દિવાળીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પર્વને ઉજવવા માટે થનગનાટ જોવા મળી રહ્યો છે.અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ચાણક્ય વિદ્યાલયમાં દિવાળીના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી
દિવાળીના પર્વની ઉજવણીના ભાગરૂપે શાળામાં નાટક,ડાન્સ સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.બાળકો હિન્દૂ સંસ્કૃતિમાં આવતા તહેવારોથી અવગત થાય એ હેતુસર આ કાર્યક્રમો યોજાયા હતા જેમાં શાળા પરિવાર, વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહયા હતા.
Read the Next Article

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની ડ્રાઇવનો પ્રારંભ, ઢોર ડબ્બામાં 14 રખડતા ઢોર પુરાયા....

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં રખડતાં ઢોરની વિકટ સમસ્યા મામલે નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. જેમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોર પકડી અંકલેશ્વર નગરપાલિકાના ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા.

New Update
stray cattlessss

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં રખડતાં ઢોરની વિકટ સમસ્યા મામલે નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. જેમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોર પકડી અંકલેશ્વર નગરપાલિકાના ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા.

ભરૂચ સહિત અંકલેશ્વરમાં રખડતાં ઢોરની વિકટ સમસ્યા માથાના દુઃખાવા સમાન બની ગઈ છે, ત્યારે રખડતા ઢોર મામલે અંકલેશ્વર નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવલાલ કોલડિયાના માર્ગદર્શન હેઠળ શહેરમાં રખડતા ઢોર પકડવાની ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જેમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોર પકડી અંકલેશ્વર નગરપાલિકાના ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા. જેમાં ગાય અને વાછરડા સહિત 14 રખડતા ઢોરને ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા. અંકલેશ્વર નગરપાલિકા સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહીડાની રાહબરી હેઠળ સેનીટેશન ખાતાના 4 સુપરવાઈઝર અને 1 મુકાદમ સહિત 5 શ્રમિકો દ્વારા ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો બીજી તરફ, અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા પશુ પાલકોને તાકીદ કરવામાં આવે છે કે, તમારા પશુઓને ઘરે બાંધીને રાખો અને એને જાહેર રસ્તા ઉપર રખડતા છોડવા નહીં. જો તઓને આપેલ સૂચનાનું પાલન કરવામાં આવશે નહીં, તો જે તે પશુપાલકો વિરુદ્ધ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.