અંકલેશ્વર: બુરહાની સ્પોર્ટ્સ ક્લબ ખાતે એકતા કપ ક્રિકેટ પ્રીમિયર લીગ-5નો પ્રારંભ

અંકલેશ્વર શહેર અને તાલુકાના તમામ સમાજના યુવાનોમાં કોમી એકતા જળવાઈ રહે તે માટે કલ્પેશ પટેલ,કાર્તિક કોળી અને અશરફ દિવાન દ્વારા છેલ્લા ચાર વર્ષથી એકતા કપનું આયોજન કરવામાં આવી રહ્યું છે

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • બુરહાની સ્પોર્ટ્સ ક્લબ ખાતે આયોજન

  • એકતા કપ ક્રિકેટ પ્રીમિયર લીગનો પ્રારંભ કરાયો

  • અંકલેશ્વરની વિવિધ ટીમોએ લીધો ભાગ

  • આમંત્રીતો રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વર એકતા કપ પ્રીમિયર લીગ સિઝન-5નો બુરહાની સ્પોર્ટ્સ ક્લબ ખાતે પ્રારંભ કરાયો અંકલેશ્વર શહેર અને તાલુકાના તમામ સમાજના યુવાનોમાં કોમી એકતા જળવાઈ રહે તે માટે કલ્પેશ પટેલ,કાર્તિક કોળી અને અશરફ દિવાન દ્વારા છેલ્લા ચાર વર્ષથી એકતા કપનું આયોજન કરવામાં આવી રહ્યું છે.ચાલુ વર્ષે નીરવ મેમોરિયલ ટ્રસ્ટ અને માતોશ્રી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અંકલેશ્વર એકતા કપ-૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું છે.
બુરહાની સ્પોર્ટ્સ ક્લબ ખાતે આયોજિત આ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભરૂચ જીલ્લા ક્રિકેટ એસોસીએશનના ઈસ્માઈલ મતાદર સહિતના મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો.જયારે ખેલાડીઓએ રાષ્ટ્ર ગીતના ગાન સાથે ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.આ અંકલેશ્વર એકતા કપ પ્રીમિયર લીગ સિઝન-5માં આમંત્રિતો તેમજ ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read the Next Article

ભરૂચ : નિકોરાના આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ,800થી વધુ બહેનોએ લીધો લાભ

નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે 13 વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ

New Update
  • સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન વિષય પર યોજાઈ શિબિર

  • નિકોરા આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે યોજાઈ શિબિર

  • રાજપૂત સમાજની દીકરીઓ માટે કરાયું આયોજન

  • 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ

  • રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘના હોદેદારોનું કરાયું સન્માન

ભરૂચના નિકોરા આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ હતી. જેમાં800થી વધારે બહેનોએ આ શિબિરનો લાભ લીધો હતો.

ભરૂચ તાલુકાના નિકોરા ગામેમાં નર્મદા નદીના કિનારે આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘ અને યુવા પાંખ ભરૂચ જિલ્લા દ્વારા આયોજિત સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિરમાં800બહેનોએ શિબિરનો લાભ લીધો હતો.

નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે13વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ આધુનિક યુગમાં પરિવારમાં સાંસ્કૃતિક સમસ્યાઓ થાય છેમેરેજ પછી  પોતાના જીવનમાં મૂલ્યવાન સમજણ આવે સાસરિયામાં પણ સંયુક્ત કુટુંબ સાથે રહી સમાજ અને પોતાનું નામ રોશન કરે તેવા ઉમદા હેતુથી સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં800થી વધુ દીકરીઓએ ઉપસ્થિત રહી પોતાના જીવનમાં પરિવર્તન માટેની હાંકલ  કરી હતી. આ સાથે જ આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના નવ  નિયુક્ત હોદ્દેદારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.