અંકલેશ્વર:ગણેશ મહોત્સવ દરમ્યાન કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા કવાયત

અંકલેશ્વરમાં ગણેશ મહોત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી પોલીસ અને ગણેશ મંડળો વચ્ચે બેઠક યોજાય હતી

New Update

અંકલેશ્વરમાં ગણેશ મહોત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી પોલીસ અને ગણેશ મંડળો વચ્ચે બેઠક યોજાય હતી

દુંદાળાદેવની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે ગણેશ મહોત્સવ દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથક ખાતે અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગણેશ ઉત્સવ સમિતિના આગેવાનો તેમજ વિવિધ ગણેશ મંડળોના સભ્યો હાજર રહ્યા હતા. અંકલેશ્વર વિભાગીય પોલીસવડા ડોક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતા હેઠળ મળેલી બેઠકમાં ગણેશજીની આગમન યાત્રા અને ત્યાર બાદ દશ દિવસ સુધી ચાલનાર ગણેશ મહોત્સવ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ગણેશ મહોત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે વિવિધ સૂચનો પોલીસ દ્વારા કરવામાં આવ્યા હતા તો ગણેશ મંડળના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની પોલીસે ખાતરી આપી હતી

Read the Next Article

ભરૂચ: આમોદ ખાતે ભાજપ દ્વારા મોદી સરકારના 11 વર્ષની કરાય ઉજવણી, આગેવાનો કાર્યકરો જોડાયા

વિકસિત ભારતનો અમૃતકાળ - સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 11 વર્ષ અંતર્ગત ભાજપ દ્વારા ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે આગેવાનો-કાર્યકરો જોડાયા

New Update
  • ભરૂચના આમોદમાં કરાયુ આયોજન

  • ભાજપ દ્વારા આયોજન કરાયુ

  • મોદી સરકારના 11 વર્ષની ઉજવણી

  • સરકારની સિદ્ધિઓ વર્ણવામાં આવી

ભરૂચના આમોદ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકસિત ભારતનો અમૃતકાળ સેવા સુસાસન અને ગરીબ કલ્યાણના 11 વર્ષ અંતર્ગત ઉજવણી કરવામાં આવી હતી. 
વિકસિત ભારતનો અમૃતકાળ - સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 11 વર્ષ અંતર્ગત ભાજપ દ્વારા ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આમોદની સ્વામિનારાયણ સ્કૂલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના 11 વર્ષની સફળતાને ઉજાગર કરતો વિકસિત ભારતનો અમૃત કાળ અંતર્ગત આમોદ ખાતેના કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, જંબુસર -આમોદના ધારાસભ્ય દેવ કિશોર સ્વામી, જિલ્લા ભાજપના મહામંત્રી ફતેસિંહ ગોહિલ, જિલ્લા ઉપપ્રમુખ પ્રતીક્ષાબહેન, આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. આ કાર્યક્રમમાં મોદી સરકારની 11 વર્ષની વિવિધ યોજનાઓને સિદ્ધિઓની માહિતી આપવામાં આવી હતી.