અંકલેશ્વર : ગડખોલ CHC કેન્દ્ર ખાતે કુટુંબ નિયોજન કેમ્પ યોજાયો, અદ્યતન ઓપરેશન થીયેટરનું ઉદ્ઘાટન કરાયું...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ સ્થિત સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અદ્યતન ઓપરેશન થીયેટરના ઉદ્ઘાટન સહિત જનસંખ્યા સ્થિળતા પખવાડિયા અંતર્ગત કુટુંબ નિયોજન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ સ્થિત સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અદ્યતન ઓપરેશન થીયેટરના ઉદ્ઘાટન સહિત જનસંખ્યા સ્થિળતા પખવાડિયા અંતર્ગત કુટુંબ નિયોજન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિશ્વ વસ્તી દિવસની ઉજવણીના ભાગરૂપે જનસંખ્યા સ્થિળતા પખવાડિયા અંતર્ગત ભરૂચ જિલ્લા આરોગ્ય અને તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા અંકલેશ્વરના ગડખોલ ગામ ખાતે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કુટુંબ નિયોજન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્ત્રી/પુરુષ નસબંધી ઓપરેશન માટેના અદ્યતન ઓપરેશન થીયેટરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સાથે જ કુટુંબ નિયોજન કેમ્પમાં 24 જેટલી લાભાર્થી મહિલાઓએ ઓપરેશન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતુંઅને આ ઓપરેશન સ્ત્રી રોગ ના નિષ્ણાત તબીબ દ્વારા કરવામાં આવશેતેમજ દર મહિનાના બીજા અને ચોથા શુક્રવારના રોજ કુટુંબ નિયોજનના ઓપરેશન કરવામાં આવશે.

સરકાર દ્વારા સ્ત્રી વ્યંધીકરણ ઓપરેશન બદલ લાભાર્થી મહિલાને રૂ. 1400 પ્રોત્સાહન રકમ તરીકે તેમના બેન્ક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે. આ પ્રસંગે ભરૂચ જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે.એસ.દુલેરાજિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના ચેરમેન અનિલ વસાવાઅધીક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મુનીરા શુક્લાઅંકલેશ્વર તાલુકા આરોગ્ય અધિકારી ડો. સુશાંત કઠોરવાલા તેમજ ગામના સરપંચ મંજુલા પટેલની અધ્યક્ષતા હેઠળ કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

Read the Next Article

અંકલેશ્વરથી વાલિયા-નેત્રંગને જોડતા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, કોંગ્રેસે આંદોલનની ચીમકી ઉચ્ચારી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.

New Update
  • અંકલેશ્વરથી નેત્રંગને જોડતા માર્ગની કામગીરી

  • રૂ.55 કરોડના ખર્ચે માર્ગનું થઈ રહ્યું છે નિર્માણ

  • માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

  • કોંગ્રેસ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચરાય

  • કોર્ટ કેસની પણ ચીમકી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.
ભરૂચના વાલિયા તાલુકાના સહકારી આગેવાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપસિંહ માંગરોલા બાદ નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરી અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મિલી ભગતથી હલકી ગુણવત્તાની કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.અંકલેશ્વર-વાલિયા અને નેત્રંગને જોડતો રાજ્ય ધોરીમાર્ગ નંબર-13 પ્રથમ વરસાદે જ બિસ્માર બન્યો છે.ઠેરઠેર ખાડાઓ અને માર્ગ તૂટી ગયો હોવાથી તેમાં યોગ્ય સામગ્રી વાપરવા નહીં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડ સામે આવ્યું છે.તે રીતે 55 કરોડના ખર્ચે બની રહેલ નેત્રંગ-અંકલેશ્વર માર્ગમાં ભ્રષ્ટાચાર થયો હોવા સાથે અધિકારી,કોન્ટ્રાકટર સહિત લાગતા વળતા વિભાગના મંત્રીનો હાથ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.જો આ કામગીરી સારી ગુણવત્તાની નહીં કરવામાં આવે તો તાળાબંધીની ચીમકી ઉચ્ચારવામા આવી છે.અને  માર્ગનું નિર્માણ કરનાર શિવાલય ઈંફાસ્ટ્રક્ચર એજન્સી તેમજ અધિકારી સામે કોર્ટ કેસ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે.