અંકલેશ્વર: અડોલ ગામે સતત બીજા દિવસે ખેડૂત પરિવારે એક્સપ્રેસ હાઈવેની કામગીરી અટકાવી,પોલીસે 4 લોકોની કરી અટકાયત

ખેડૂતે પોતાની સંપાદિત થયેલ જમીનની ખોટી માપણી થઇ હોવાના આક્ષેપ સાથે સતત બીજા દિવસે પણ કામગીરી અટકાવવાનો પ્રયાસ કરતા પોલીસે પરિવારના 4 લોકો સામે અટકાયતી પગલા લીધા

New Update
  • અંકલેશ્વરના અડોલ ગામે એક્સપ્રેસ હાઇવે માટે જમીન સંપાદનનો વિવાદ

  • સતત બીજા દિવસે ખેડૂત પરિવારે એક્સપ્રેસ હાઇવેની કામગીરી અટકાવી

  • પોલીસે ખેડૂત પરિવારના 4 લોકોની કરી અટકાયત

  • જમીનની માપણીમાં સરકાર તરફે ભૂલ હોવાના આક્ષેપ

  • પરિવારની કોર્ટ રાહે લડત લડવાની ચીમકી

Advertisment
2/38

અંકલેશ્વર તાલુકાના અડોલગામની સીમમાં આવેલ એક જમીનના ખેડૂતે પોતાની સંપાદિત થયેલ જમીનની ખોટી માપણી થઇ હોવાના આક્ષેપ સાથે સતત બીજા દિવસે પણ કામગીરી અટકાવવાનો પ્રયાસ કરતા પોલીસે પરિવારના 4 લોકો સામે અટકાયતી પગલા લીધા હતા
અંકલેશ્વર પંથકમાં નિર્માણ પામી રહેલ એક્સપ્રેસ વે માટે સંપાદિત ખેડૂતોની જમીનો માટે હજુય સરકાર દ્વારા નાણાં ચૂકવાયા નથી તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અંકલેશ્વર તાલુકાના અડોલ ગામના ખેડૂત કાલિદાસ જેસંગ પટેલના પરિવારજનોએ એક્સપ્રેસ વે માટે થતા માટી પુરાણ કામને ગતરોજ અટકાવી દીધુ હતુ.
ખેડૂત પરિવારજનોના મતે તેમની જમીનનો કેટલોક ભાગની માપણીમાં સરકાર તરફે ભુલ કરાયી છે જેને પગલે તેમને સંપાદિત જમીનમાં ઓછો એવોર્ડ જાહેર થયો છે તે ક્ષત્તિ દુર કરી યોગ્ય નુકશાની વળતર ચૂકવાય તેવી માંગ કરી હતી ત્યારે તંત્ર દ્વારા તેઓની માંગ અંગે આશ્વાસન આપવામાં આવ્યું હતું.
પરંતુ આજે સવારે માટી પુરાણની કામગીરી શરૂ થતા પરિવારજનોએ ફરી કામગીરીને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો જેના પગલે પોલીસે ખેડૂત પરિવારના 4 લોકોની અટકાયત કરી હતી. આ અંગે પરિવારજનોએ જણાવ્યું હતું કે તેઓની માંગ ન સંતોષતાએ હવે તેઓ કોર્ટમાં જશે અને કાયદાકીય રાહે પગલા લેશે.
Read the Next Article

અંકલેશ્વર: હાંસોટ પંથકમાં નવા વર્ષે કમોસમી વરસાદ, ખેડૂતોએ રસ્તા પર સુકવેલ ડાંગર પલળી ગયુ !

ભરૂચના હાંસોટ તાલુકાના જુના ઓભા સહિતના અનેક ગામોમાં બુધવારે બપોર બાદ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે.

New Update
Screenshot_2025-10-22-15-57-15-21_92460851df6f172a4592fca41cc2d2e6
ભરૂચના હાંસોટ તાલુકાના જુના ઓભા સહિતના અનેક ગામોમાં બુધવારે બપોર બાદ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે.અચાનક પડેલા આ વરસાદથી રસ્તાઓ પર સૂકવવા મુકાયેલ ડાંગર પલળી જવાથી ખેડૂતોમાં દોડધામ મચી જવા પામી હતી.
Advertisment

ખેડૂતોએ રસ્તા પર સુકવેલ ડાંગર પલળી ગયુ 

પાછલા દિવસોના વરસાદના કારણે ખેતરો પૂરતા સુકાયા ન હોવાથી ખેડૂતોએ ડાંગર રસ્તા પર સૂકવવા માટે મૂકી દીધું હતું પરંતુ અચાનક પડેલા વરસાદથી તે ડાંગર ભીનું થઈ ગયું, જેના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. વરસાદ શરૂ થતાં જ ખેડૂતો પોતાના પાકને બચાવવા દોડધામમાં લાગી ગયા હતા. ખેડૂતોએ જણાવ્યું હતું કે પાછોતરા વરસાદ બાદ હવામાન ખુલ્લું રહે તેમ લાગતું હતું, પરંતુ અચાનક પડેલા આ કમોસમી વરસાદે આખી મહેનત પર પાણી ફેરવી દીધું છે.