અંકલેશ્વર:GIDCમાં વીજ ટ્રાન્સફોર્મરમાં આગમાં આગ, નજીકમાં પાર્ક કરેલ કાર પણ આગની ઝપેટમાં

અંકલેશ્વર જીઆઇડીસીમાં નિરંજન ઇન્ડસ્ટ્રીઝ નજીક આવેલ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગને જોતા જ આસપાસના લોકોમાં દોડધામ મચી જવા પામી હતી.

New Update

અંકલેશ્વર જીઆઇડીસીનો બનાવ

વીજ ટ્રાન્સફોર્મરમાં આગ ફાટી નીકળી

નજીકમાં પાર્ક કરેલ કાર પણ આગની ઝપેટમાં

ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો

સદનસીબે કોઈ જાનહાની નહીં

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વીજ ટ્રાન્સફોર્મરમાં એકાએક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. 
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આગ લાગવાના બનાવ અવારનવાર બને છે ત્યારે આજે સવારના સમયે વીજ ટ્રાન્સફોર્મરમાં આગ ફાટી નીકળી હતી અંકલેશ્વર જીઆઇડીસીમાં નિરંજન ઇન્ડસ્ટ્રીઝ નજીક આવેલ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગને જોતા જ આસપાસના લોકોમાં દોડધામ મચી જવા પામી હતી.
બનાવના પગલે નજીકમાં પાર્ક કરેલ 2 કારમાં પણ આગ લાગી હતી.આ અંગેની જાણ થતાની સાથે જ અંકલેશ્વર ડીપીએમસીના 3 ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો શરૂ કર્યા હતા.
લગભગ એકથી દોઢ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલની કામગીરી ચાલી રહી હતી તે દરમ્યાન નજીકથી પસાર થતી ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ સર્જાતા આગ ફાટી નીકળી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે..
Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.