New Update
/connect-gujarat/media/media_files/2025/03/11/IZFaT7PglkmPD5jKOJZM.jpg)
અંકલેશ્વર શહેરમાં આવેલ સુરતી ભાગોળ વિસ્તારમાં વીજ ટ્રાન્સફોર્મરમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.ફાયર વિભાગે ઘટના સ્થળે આવી આગ પર કાબુ મેળવ્યો હતો.
અંકલેશ્વરમાં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આગ લાગવાની ઘટનામાં આઠથી દસ ઝુપડાઓ બળીને ખાક થઈ જવાની ઘટના બાદ હવે વીજ ટ્રાન્સફોર્મરમાં આગની ઘટના સામે આવી છે. અંકલેશ્વર શહેરમાં આવેલ સુરતી ભાગોળ વિસ્તારમાં વહેલી સવારે વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગી હતી જેના કારણે વીજ પુરવઠો ખવાયો હતો. આ અંગેની જાણ કરાતા જ અંકલેશ્વર નગર સેવા સદનના ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો. આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી
Latest Stories