અંકલેશ્વર: 31stએ જ રૂ.24.50 લાખના વિદેશી દારૂનો કરાયો નાશ, 14 હજાર બોટલ પર ફેરવાયું બુલડોઝર

પ્રાંત અધિકારી તેમજ પોલીસ અધિકારીઓની હાજરીમાં રૂપિયા ૨૪.૫૦ લાખની કિંમતની ૧૪ હજારથી વધુની વિદેશી દારૂની બોટલ પર બુલ્ડોઝર ફેરવી તેનો નાશ કરવામાં આવ્યો

New Update
  • અંકલેશ્વરમાં પોલીસની કાર્યવાહી

  • વિદેશી દારૂનો કરાયો નાશ

  • રૂ.24.50 લાખના વિદેશી દારૂનો નાશ કરાયો

  • 14 હજાર બોટલ પર બુલ્ડોઝર ફેરવાયું

  • ઉચ્ચ પોલીસ અધિકારીઓ રહ્યા હાજર

અંકલેશ્વર ડિવિઝનના ૩ પોલીસ મથકમાં ઝડપાયેલ ૨૪.૫૦ લાખના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર ડિવિઝનમાં આવેલ અંકલેશ્વર બી ડિવિઝન, તાલુકા પોલીસ મથક,પાનોલી પોલીસ મથકમાં ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.
અંકલેશ્વર પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા તેમજ પોલીસ અધિકારીઓની હાજરીમાં વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. રૂપિયા ૨૪.૫૦ લાખની કિંમતની ૧૪ હજારથી વધુની વિદેશી દારૂની બોટલ પર બુલ્ડોઝર ફેરવી તેનો નાશ કરવામાં આવ્યો હતો.વિદેશી દારૂના નાશ સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
Read the Next Article

ભરૂચ: વાલિયામાં તા.25 થી 31 ઓક્ટોબર સુધી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન, કથાકાર રમેશ ઓઝા કરાવશે રસપાન

તારીખ-25-10-25થી 31-10-25 સુધી ગોહિલ ગ્રૂપ દ્વારા ભરૂચના વાલિયા ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.

New Update
  • ભરૂચના વાલિયા ખાતે કરાયુ આયોજન

  • ઓક્ટોબર માસમાં યોજાશે ભાગવત સપ્તાહ

  • કથાકાર રમેશ ઓઝા કરાવશે રસપાન

  • આયોજન સંદર્ભે બેઠક યોજાય

  • સપ્તાહ દરમ્યાન ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે 

ભરૂચના વાલીયામાં યોજાનાર શ્રીમદ ભાગવત સપ્તાહ કથાના આયોજન સંદર્ભે શ્રી રંગ નવચેતન મહિલા કોલેજ ખાતે બેઠક મળી હતી
તારીખ-25-10-25થી 31-10-25 સુધી ગોહિલ ગ્રૂપ દ્વારા ભરૂચના વાલિયા ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના આયોજન સંદર્ભે ગ્રુપના જયદીપસિંહ ગોહિલ,નરપતસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં શ્રી રંગ નવચેતન મહિલા કોલેજ ખાતે મિટિંગ મળી હતી.જેમાં કાર્યક્રમના આયોજનને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.આ કથામાં જાણીતા કથાકાર રમેશ ઓઝા અમૃતનય વાણીમાં કથાનું રસપાન કરાવશે.જ્યારે ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કથાનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.