અંકલેશ્વર: ગરબા ઇવેન્ટ્સના જુના પાસ પર CARRYMINATIનો ફોટો અને નામ લખી છેતરપિંડીનો પ્રયાસ

અંકલેશ્વરમાં અગાઉ યોજાયેલ મ્યુઝિક ઇવેન્ટના પાસ પર તારીખ અને સેલિબ્રિટીનું નામ બદલી સોશ્યલ મીડિયા પર અપલોડ કરી છેતરપીંડી કરનાર ઇસમ વિરુદ્ધ ગ્રામ્ય પોલીસમાં અરજી આપવામાં આવી છે

New Update

અંકલેશ્વરમાં ગરબા ઇવેન્ટ્સના નામે છેતરપિંડીનો પ્રયાસ

ગાર્ડનસિટીમાં યોજાયેલ જૂની ઇવેન્ટ્સના પાસ સાથે છેડછાડ

જુના પાસ પર તારીખ અને સેલિબ્રિટીનું નામ બદલાયું

ઇવેન્ટ સંચાલક દ્વારા પોલીસને જાણ કરાય 

પોલીસે તપાસ શરૂ કરી

અંકલેશ્વરમાં અગાઉ યોજાયેલ મ્યુઝિક ઇવેન્ટના પાસ પર તારીખ અને સેલિબ્રિટીનું નામ બદલી સોશ્યલ મીડિયા પર અપલોડ કરી છેતરપીંડી કરનાર ઇસમ વિરુદ્ધ ગ્રામ્ય પોલીસમાં અરજી આપવામાં આવી છે
સુરતના માંગરોળ તાલુકાના વાંકલ ગામના મંદિર ફળિયામાં રહેતા અને શ્વેતા ઈવેન્ટ્સ મેનેજમેન્ટના પ્રોપરાઈટર સંકેતકુમાર કિરીટ પટેલ દ્વારા ગત તારીખ-૧૯મી ઓક્ટોબરના રોજ ગાર્ડન સીટી ખાતે ટ્રેડીશનલ ગરબા નાઈટ વિથ કોયલડી નામથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જે કાર્યક્રમના પાસ વહેંચવામાં આવ્યા હતા જે પાસને ખુશ પાદરીયા નામના ઇસમેં મોડીફાઈડ કરી તારીખમાં બદલાવ કરી સેલીબ્રીટી કેરીમીનાટીના ફોટો અને નામનો ઉપયોગ કરી તે પાસનો ફોટો સોશ્યલ મીડિયા પર વાયરલ કર્યો હતો જે વાયરલ મેસેજ શ્વેતા ઈવેન્ટ્સ મેનેજમેન્ટના પ્રોપરાઈટરના ધ્યાન પર આવતા તેઓએ આ અંગે અંકલેશ્વર તાલુકા પોલીસ મથક ખાતે ખુશ પાદરીયા નામના ઇસમ વિરુદ્ધ છેતરપીંડી અને વિશ્વાસઘાત અંગેની અરજી આપી તેના વિરુદ્ધ એફ.આઈ.આર નોંધી તપાસ કરવા માંગ કરી છે.આ મામલે ગ્રામ્ય પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે
Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.