અંકલેશ્વર: નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા આયોજીત ગરબા મહોત્સવમાં ખેલૈયાઓ મન મુકીને ગરબે ઘૂમ્યા

અંકલેશ્વર જીઆઇડીસીમાં નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે

New Update

અંકલેશ્વરમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી

ઠેર ઠેર ગરબા મહોત્સવનું આયોજન

નવદુર્ગા મિત્રમંડળ દ્વારા પણ આયોજન કરાયું

ખેલૈયાઓ મન મુકીને ઘૂમ્યા ગરબે

કલેકટર તુષાર સુમેરાએ સહ પરિવાર આપી હાજરી

અંકલેશ્વર જીઆઇડીસીમાં નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે

ઉદ્યોગનગરી અંકલેશ્વરમાં ઠેર ઠેર નવરાત્રિના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વર જીઆઇડીસીમાં નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પાંચમા નોરતે ભરૂચ કલેકટર તુષાર સુમેરાએ સહ પરિવાર હાજરી આપી હતી અને જગતજનની માં જગદંબાની આરતી ઉતારવાનો લાભો લઈ ધન્યતા અનુભવી હતી.ગરબા મહોત્સવમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘુમ્યા હતા.આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પૂર્વ પ્રમુખ રમેશ ગાબાણી સહિતના આગેવાનોએ પણ હાજરી આપી હતી

Latest Stories