અંકલેશ્વર: ગટ્ટુ વિદ્યાલય દ્વારા મહાકુંભ સંસ્કૃતિ અને શ્રદ્ધાનો સંગમની થીમ પર વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

મહાકુંભ સંસ્કૃતિ અને સાધનાનો સંગમની થીમ પર યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં બાળકોએ પ્રયાગરાજમાં ચાલી રહેલ મહાકુંભ અંગે વિવિધ કૃતિઓ રજૂ કરી..

New Update
  • અંકલેશ્વરમાં આવેલી છે શ્રી ગટ્ટુ વિદ્યાલય

  • શાળાના વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન

  • મહાકુંભની થીમ પર કાર્યક્રમ યોજાયો

  • ખેલ મહાકુંભમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓનું સન્માન

  • આમંત્રીતો અને શાળા પરિવાર રહ્યો ઉપસ્થિત

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ શ્રી ગટ્ટુ વિદ્યાલયના  ધોરણ ચાર અને પાંચના વિદ્યાર્થીઓના વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ મહાકુંભ સંસ્કૃતિ અને શ્રદ્ધાનો સંગમનું આયોજન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ સોસાયટી સંચાલિત શ્રી ગટ્ટુ વિદ્યાલય દ્વારા જીઆઇડીસીમાં આવેલ ડી.એ. આણંદપુરા કલચરલ સેન્ટર ખાતે ધોરણ ચાર અને પાંચના વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.મહાકુંભ સંસ્કૃતિ અને સાધનાનો સંગમની થીમ પર યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં બાળકોએ પ્રયાગરાજમાં ચાલી રહેલ મહાકુંભ અંગે વિવિધ કૃતિઓ રજૂ કરી હતી.
આ સાથે જ ખેલો ઇન્ડિયા અને ખેલ મહાકુંભમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓનું શાળા પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી અશોક પંજવાણી, કન્વીનર અશ્વિની સક્સેના શાળાના આચાર્ય અંસુબેન તિવારી, કો-ઓર્ડીનેટર કુમુદ ચાવડા તેમજ શિક્ષકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read the Next Article

ભરૂચ: સંત નિરંકારી મિશન દ્વારા ઝોનલ બાળ સમાગમનું આયોજન કરાયું, મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉમટ્યા

ભરૂચમાં સંત નિરંકારી મિશન દ્વારા શ્રી નીલકંઠ મહાદેવ મંદિર ખાતે ઝોનલ બાળ સમાગમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના વિવિધ જિલ્લામાંથી અનુયાયીઓ ઉમટ્યા હતા

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • સંત નિરંકારી મિશન દ્વારા આયોજન

  • ઝોનલ બાળ સમાગમ યોજાયું

  • બાળકોએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી

  • મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉમટ્યા

ભરૂચમાં સંત નિરંકારી મિશન દ્વારા શ્રી નીલકંઠ મહાદેવ મંદિર ખાતે ઝોનલ બાળ સમાગમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના વિવિધ જિલ્લામાંથી અનુયાયીઓ ઉમટ્યા હતા
ભરૂચ શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે સંત નિરંકારી મિશન દ્વારા ઝોનલ બાળ સમાગમનું  આયોજન કરવામાં આવ્યું હતું. આ સમાગમમાં ભરૂચ ઉપરાંત અંકલેશ્વર, બીલ, રાજપીપળા અને વલ્લભ વિદ્યાનગરમાંથી મોટી સંખ્યામાં અનુયાયીઓએ હાજરી આપી હતી. આ પ્રસંગે મુંબઈથી પધારેલા સંત પ્રવીણ છાબડાજીના હસ્તે બાલ પ્રદર્શનીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. પ્રદર્શનમાં બાળકો દ્વારા તૈયાર કરાયેલા શૈક્ષણિક, ધાર્મિક અને સામાજિક સંદેશ આપતા મોડેલ્સ અને ચિત્રકળા પ્રદર્શિત કરવામાં આવી હતી.બાળ સમાગમ અંતર્ગત બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા.આ સમાગમને સફળ બનાવવા માટે ભરૂચ ઝોનના સેવાદળના સ્વયંસેવકો અને નિરંકારી મિશનના અધિકારીઓએ અવિરત મહેનત કરી હતી.