New Update
/connect-gujarat/media/media_files/2025/01/29/NKbckbDMIFtpaMRJ2DrB.jpg)
ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા CEIR પોર્ટલનો ઉપયોગ કરી ગુમ/ચોરી થયેલ મોબાઇલ ફોન શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી જેના આધારે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.પોલીસે કેન્દ્ર સરકારના સી.ઇ.આઈ.આર.પોર્ટલના માધ્યમથી ગુમ થઇ ગયેલ મોબાઇલ ફોન એકટીવ થયા હતા જેને સ્ટ્રેસ કરી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે.પોલીસે રૂ.1.14 લાખની કિંમતના 9 મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે.
વર્ષ 2024માં જીઆઇડીસી પોલીસે રૂ.10.47 લાખની કિંમતના 57 મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા હતા. તેરાતુજકો અર્પણ અભિયાન હેઠળ પોલીસ દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે.
Latest Stories