અંકલેશ્વર: સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ GIDC એકમનો શપથગ્રહણ સમારોહ યોજાયો

અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન, બ્રહ્મ સમાજનો શપથગ્રહણ સમારોહ યોજાયો. જીઆઇડીસી બ્રાન્ચના શપથગ્રહણ સમારોહનું આયોજન.

New Update
અંકલેશ્વર: સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ GIDC એકમનો શપથગ્રહણ સમારોહ યોજાયો

સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અંકલેશ્વર જીઆઇડીસીના નવા હોદ્દેદારો અને સભ્યોનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો જેમાં નવા હોદ્દેદારોને શપથગ્રહણ કરાવવામાં આવ્યા હતા.

બ્રહ્મ ઉત્કર્ષ માટે કાર્યરત શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અંકલેશ્વર જીઆઇડીસીના નવા હોદ્દેદારો અને સભ્યોના શપથ ગ્રહણ સમારોહનું જીઆઇડીસીમાં આવેલ જે.સી.આઈ. ભવન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંગઠનના નવા પ્રમુખ તરીકે ચંદુભાઈ જોશી, ઉપપ્રમુખ તરીકે સુરેશ જોશી, પ્રેમપાલ શર્મા, યોગેશ પારીક, અનિલ શુક્લા સેક્રેટરી તરીકે ભાસ્કર આચાર્યની વરણી કરવામાં આવી હતી. તો ટ્રેઝરર તરીકે અશોક ઓઝા અને તરીકે જોઈન્ટ ટ્રેઝરર તરીકે કે.આર જોશીની વરણી કરાઈ હતી.આ તરફ યુવા કમિટીના પ્રમુખ તરીકે દર્શન જોશી, ઉપપ્રમુખ તરીકે કેવલ વ્યાસ,ભાર્ગવ જોશી સુરેશ જોશી અને અભી પાનેરી તો સેક્રેટરી તરીકે કંદર્પ તેરૈયાની વરણી કરવામાં આવી હતી.
મહિલાપાંખના વડા તરીકે રુપલ સી.જોશી ઉપપ્રમુખ તરીકે અવની ભટ્ટ, રૂપલ જોશી, મહામંત્રી તરીકે લેખા જોશીની વરણી કરવામાં આવી હતી.આ શપથગ્રહણ સમારોહમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના દક્ષિણ ઝોનના કારોબારી ચેરમેન પ્રદીપ રાવલ, પ્રદેશ ઉપપ્રમુખ દીપક ઉપાધ્યાય, દક્ષિણ ઝોનના ઉપપ્રમુખ પ્રવિણ તેરૈયા, ભરૂચ જિલ્લાના પ્રમુખ જનક પટેલ, ભરૂચ જિલ્લાના પૂર્વ પ્રમુખ બીપીન ભટ્ટ સહિતના આમંત્રિતો તેમજ સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Read the Next Article

અંકલેશ્વરથી વાલિયા-નેત્રંગને જોડતા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, કોંગ્રેસે આંદોલનની ચીમકી ઉચ્ચારી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.

New Update
  • અંકલેશ્વરથી નેત્રંગને જોડતા માર્ગની કામગીરી

  • રૂ.55 કરોડના ખર્ચે માર્ગનું થઈ રહ્યું છે નિર્માણ

  • માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

  • કોંગ્રેસ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચરાય

  • કોર્ટ કેસની પણ ચીમકી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.
ભરૂચના વાલિયા તાલુકાના સહકારી આગેવાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપસિંહ માંગરોલા બાદ નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરી અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મિલી ભગતથી હલકી ગુણવત્તાની કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.અંકલેશ્વર-વાલિયા અને નેત્રંગને જોડતો રાજ્ય ધોરીમાર્ગ નંબર-13 પ્રથમ વરસાદે જ બિસ્માર બન્યો છે.ઠેરઠેર ખાડાઓ અને માર્ગ તૂટી ગયો હોવાથી તેમાં યોગ્ય સામગ્રી વાપરવા નહીં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડ સામે આવ્યું છે.તે રીતે 55 કરોડના ખર્ચે બની રહેલ નેત્રંગ-અંકલેશ્વર માર્ગમાં ભ્રષ્ટાચાર થયો હોવા સાથે અધિકારી,કોન્ટ્રાકટર સહિત લાગતા વળતા વિભાગના મંત્રીનો હાથ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.જો આ કામગીરી સારી ગુણવત્તાની નહીં કરવામાં આવે તો તાળાબંધીની ચીમકી ઉચ્ચારવામા આવી છે.અને  માર્ગનું નિર્માણ કરનાર શિવાલય ઈંફાસ્ટ્રક્ચર એજન્સી તેમજ અધિકારી સામે કોર્ટ કેસ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે.