બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતાં અમાનુષી અત્યાચારના વિરોધ ભરૂચ અને અંકલેશ્વરના હિન્દુ સંગઠનોમાં રોષ...

હિન્દૂ દેવસ્થાનને નુકસાન કરવામાં આવી રહ્યું છે અને તોડફોડ કરવામાં આવી રહે છે. હિંસા અને હત્યાની ઘટનાઓમાં પણ વધારો થઈ રહ્યો છે ત્યારે ધર્મ પરિવર્તન જેવા ગંભીર અપરાધો થઈ રહ્યા છે.

author-image
By Connect Gujarat Desk
New Update
  • બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતાં અત્યાચાર સામે ઉગ્ર વિરોધ

  • વિવિધ હિન્દુ સંગઠનોએ ધરણાં-રેલી યોજી આવેદનો આપ્યા

  • શક્તિનાથ ખાતે હિન્દુ સંગઠનો દ્વારા ધરણા પ્રદર્શન યોજાયા

  • અંકલેશ્વર ખાતે હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું

  • હિન્દુ સમાજે રેલી યોજી તંત્રને આવેદન આપી રજૂઆત કરી 

બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતાં અમાનુષી અત્યાચારના વિરોધ ભરૂચ તેમજ અંકલેશ્વરના વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા ધરણાં પ્રદર્શન સહિત રેલી યોજી તંત્રને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

ભરૂચ શહેરના શક્તિનાથ મંદિર નજીક ગ્રાઉન્ડ ખાતે ભરૂચ હિન્દુ સમાજ દ્વારા ધરણા પ્રદર્શન યોજી રેલી સ્વરૂપે કલેકટર કચેરીએ આયોજન પત્ર આપવામાં આવ્યું હતું. આવેદનમાં આક્ષેપ સાથે જણાવ્યું હતું કેબાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને અલોકતાંત્રિક રીતે બરખાસ્ત કર્યા બાદ હિંદુઓ પરના અત્યાચારોમાં ભારે વધારો થયો છે. એટલું જ નહીંહિંદુ ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને તોડફોડ કરવામાં આવી રહી છે.

હિંસા અને હત્યાની ઘટનાઓમાં વધારો થયો છેઅને ધર્મ પરિવર્તન જેવા ગંભીર અપરાધો થઈ રહ્યા છે. આ પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક તેમજ આંતરરાષ્ટ્રીય સમાજ માટે પણ શરમજનક છે. ભારત સરકારની જવાબદારી છે કેતે પોતાના નાગરિકોની સુરક્ષા કરે અને કોઈપણ પ્રકારના અત્યાચારોને રોકે.

આ અત્યાચારના વિરુદ્ધ માં ભરૂચ ઇસ્કોનના સંત ચિન્મય કૃષ્ણ દાસજીમુક્તાનંદ સ્વામીસોમદાસ બાપુકુકરવાડા આશ્રમના લોકેશાનંદ સ્વામી તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સહિત સંતો-મહંતોની ઉપસ્થિતિમાં ભજન કીર્તન સાથે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે ધારણા પ્રદર્શન યોજી રેલી સ્વરૂપે ભરૂચ કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

આવેદનમાં માંગ કરવામાં આવી છે કેસંત ચિન્મય કૃષ્ણ દાસજીને તાત્કાલિક મુક્ત કરવા પ્રયાસ કરવામાં આવેબાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારોને તાત્કાલિક બંધ કરાવવાપીડિતોને ન્યાય અપાવવા અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે સહિતની માંગ કરાય હતી.

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતાં અત્યાચાર વિશે ગંભીર ચિંતા કરવા સાથે શેખ હસીનાની સરકારને બરખાસ્ત કર્યા બાદ હિંદુઓ પર અત્યાચારોમાં વધારો થયો છે. હિન્દુ દેવસ્થાનને નુકશાન કરવામાં આવી રહ્યું છેઅને તોડફોડ કરવામાં આવી રહે છે. બાંગ્લાદેશમાં હિંસા અને હત્યાની ઘટનાઓમાં પણ વધારો થઈ રહ્યો છે. ધર્મ પરિવર્તન જેવા ગંભીર અપરાધો થઈ રહ્યા છે.

આ પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક અને આંતરરાષ્ટ્રીય સમાજ માટે પણ શરમજનક છેત્યારે અંકલેશ્વર ખાતે પણ હિન્દુ સંગઠનો દ્વારા આ મામલે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. હિન્દુ સંગઠનોએ ધૂન સાથે અંકલેશ્વર પ્રાંત અધિકારીની કચેરીએ આવેદન પત્ર પાઠવ્યું હતું.

જેમાં જણાવ્યા અનુસારભારત સરકાર બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચાર અટકાવેસંત ચિન્મય કૃષ્ણદાસજીને તાત્કાલિક મુક્ત કરવા પ્રયાસ કરે તેમજ બાંગ્લાદેશમાં હિન્દુ ધાર્મિક સ્થળોની સુરક્ષા કરવા સહિત 8 જેટલા મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી.

Read the Next Article

ભરૂચ જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહ યોજાયો...

ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડ ખાતે જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • જિલ્લા પંચાયત સભાખંડ ખાતે યોજાયો વિશેષ કાર્યક્રમ

  • જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા આયોજન

  • નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરાયું

  • ડ્રાઇવર એસોસિએશનના અધ્યક્ષ રહ્યા વિશેષ ઉપસ્થિત

  • સરકાર સમક્ષ ડ્રાઇવર વર્ગની સમસ્યા રજૂ કરવાનો ઉદ્દેશ્ય

ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડ ખાતે જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડમાં જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં અવસાન પામેલા ડ્રાઇવરોના સ્મરણાર્થે 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. ત્યારબાદ ભરૂચ જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશનના અધ્યક્ષ કનુ વાળંદ અને ભુપેન્દ્ર પરમારની આગેવાની હેઠળ નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહ યોજાયો હતો. આ સાથે જ ડ્રાઇવર કેડરના ઘટતા પ્રમાણ અને તેની પરિસ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આ પ્રસંગે મુખ્ય અતિથિ બેચર રાઠોડે જણાવ્યું હતું કે, “નિવૃત થયેલા ડ્રાઇવરોને સરકાર તરફથી મળતી રિટાયરમેન્ટ સ્કીમના તમામ હકો સમયસર અને યોગ્ય રીતે મળી રહે તે જરૂરી છે. જેથી તેમનું જીવન સુખમય બની રહે.” આ કાર્યક્રમનો ઉદ્દેશ માત્ર સન્માન નથી. પરંતુ રાજ્ય સરકાર અને તંત્ર સમક્ષ ડ્રાઇવર વર્ગની જરૂરિયાતો અને સમસ્યાઓ રજૂ કરવાનો પણ હતો.