બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતાં અમાનુષી અત્યાચારના વિરોધ ભરૂચ અને અંકલેશ્વરના હિન્દુ સંગઠનોમાં રોષ...

હિન્દૂ દેવસ્થાનને નુકસાન કરવામાં આવી રહ્યું છે અને તોડફોડ કરવામાં આવી રહે છે. હિંસા અને હત્યાની ઘટનાઓમાં પણ વધારો થઈ રહ્યો છે ત્યારે ધર્મ પરિવર્તન જેવા ગંભીર અપરાધો થઈ રહ્યા છે.

author-image
By Connect Gujarat Desk
New Update
  • બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતાં અત્યાચાર સામે ઉગ્ર વિરોધ

  • વિવિધ હિન્દુ સંગઠનોએ ધરણાં-રેલી યોજી આવેદનો આપ્યા

  • શક્તિનાથ ખાતે હિન્દુ સંગઠનો દ્વારા ધરણા પ્રદર્શન યોજાયા

  • અંકલેશ્વર ખાતે હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું

  • હિન્દુ સમાજે રેલી યોજી તંત્રને આવેદન આપી રજૂઆત કરી 

Advertisment

બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતાં અમાનુષી અત્યાચારના વિરોધ ભરૂચ તેમજ અંકલેશ્વરના વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા ધરણાં પ્રદર્શન સહિત રેલી યોજી તંત્રને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

ભરૂચ શહેરના શક્તિનાથ મંદિર નજીક ગ્રાઉન્ડ ખાતે ભરૂચ હિન્દુ સમાજ દ્વારા ધરણા પ્રદર્શન યોજી રેલી સ્વરૂપે કલેકટર કચેરીએ આયોજન પત્ર આપવામાં આવ્યું હતું. આવેદનમાં આક્ષેપ સાથે જણાવ્યું હતું કેબાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને અલોકતાંત્રિક રીતે બરખાસ્ત કર્યા બાદ હિંદુઓ પરના અત્યાચારોમાં ભારે વધારો થયો છે. એટલું જ નહીંહિંદુ ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને તોડફોડ કરવામાં આવી રહી છે.

હિંસા અને હત્યાની ઘટનાઓમાં વધારો થયો છેઅને ધર્મ પરિવર્તન જેવા ગંભીર અપરાધો થઈ રહ્યા છે. આ પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક તેમજ આંતરરાષ્ટ્રીય સમાજ માટે પણ શરમજનક છે. ભારત સરકારની જવાબદારી છે કેતે પોતાના નાગરિકોની સુરક્ષા કરે અને કોઈપણ પ્રકારના અત્યાચારોને રોકે.

આ અત્યાચારના વિરુદ્ધ માં ભરૂચ ઇસ્કોનના સંત ચિન્મય કૃષ્ણ દાસજીમુક્તાનંદ સ્વામીસોમદાસ બાપુકુકરવાડા આશ્રમના લોકેશાનંદ સ્વામી તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સહિત સંતો-મહંતોની ઉપસ્થિતિમાં ભજન કીર્તન સાથે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે ધારણા પ્રદર્શન યોજી રેલી સ્વરૂપે ભરૂચ કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

આવેદનમાં માંગ કરવામાં આવી છે કેસંત ચિન્મય કૃષ્ણ દાસજીને તાત્કાલિક મુક્ત કરવા પ્રયાસ કરવામાં આવેબાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારોને તાત્કાલિક બંધ કરાવવાપીડિતોને ન્યાય અપાવવા અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે સહિતની માંગ કરાય હતી.

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતાં અત્યાચાર વિશે ગંભીર ચિંતા કરવા સાથે શેખ હસીનાની સરકારને બરખાસ્ત કર્યા બાદ હિંદુઓ પર અત્યાચારોમાં વધારો થયો છે. હિન્દુ દેવસ્થાનને નુકશાન કરવામાં આવી રહ્યું છેઅને તોડફોડ કરવામાં આવી રહે છે. બાંગ્લાદેશમાં હિંસા અને હત્યાની ઘટનાઓમાં પણ વધારો થઈ રહ્યો છે. ધર્મ પરિવર્તન જેવા ગંભીર અપરાધો થઈ રહ્યા છે.

Advertisment

આ પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક અને આંતરરાષ્ટ્રીય સમાજ માટે પણ શરમજનક છેત્યારે અંકલેશ્વર ખાતે પણ હિન્દુ સંગઠનો દ્વારા આ મામલે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. હિન્દુ સંગઠનોએ ધૂન સાથે અંકલેશ્વર પ્રાંત અધિકારીની કચેરીએ આવેદન પત્ર પાઠવ્યું હતું.

જેમાં જણાવ્યા અનુસારભારત સરકાર બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચાર અટકાવેસંત ચિન્મય કૃષ્ણદાસજીને તાત્કાલિક મુક્ત કરવા પ્રયાસ કરે તેમજ બાંગ્લાદેશમાં હિન્દુ ધાર્મિક સ્થળોની સુરક્ષા કરવા સહિત 8 જેટલા મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી.

Advertisment
Read the Next Article

ભરૂચ : સાવરણી વેચીને જીવન ગુજારતા વૃદ્ધ દંપતી તબિયત બગડતાં રસ્તા પર ઢળી પડ્યા, શંકાસ્પદ કોરોના લક્ષણો જોઈ હોસ્પિટલ ખસેડાયા

ભરૂચના મુલદ ચોકડી વિસ્તારમાં લુણાવાડાના મૂળ રહેવાસી અને હાલ સાવરણી વેચીને પોતાનું જીવન નિર્વાહ કરતા વૃદ્ધ દંપતી અચાનક તબિયત બગડતાં રસ્તા પર ઢળી પડ્યા હતા.

New Update
ભરૂચ 1222

ભરૂચના  મુલદ ચોકડી વિસ્તારમાં લુણાવાડાના મૂળ રહેવાસી અને હાલ સાવરણી વેચીને પોતાનું જીવન નિર્વાહ કરતા વૃદ્ધ દંપતી અચાનક તબિયત બગડતાં રસ્તા પર ઢળી પડ્યા હતા.

Advertisment

આ ઘટના સમયે ત્યાં નજીક રિક્ષા લઈને ઉભેલા શખ્સે માનવતા દેખાડી અને તત્કાલ ભરૂચ 108 ઇમરજન્સી સેવાને જાણ કરી હતી.108 ની ટીમ ઘટનાસ્થળે તરત પહોંચી અને દંપતીને પ્રાથમિક સારવાર આપી. આ દરમિયાન તેમનામાં શંકાસ્પદ કોરોના વાયરસના લક્ષણો જોવા મળતાં, સલામતીના પગલાં તરીકે બંનેને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.હાલ સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા દર્દીઓની વધુ તપાસ અને કોરોના રિપોર્ટ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

Advertisment