અંકલેશ્વર : રામકુંડ તીર્થધામ ખાતે હિન્દુ રાષ્ટ્ર ધર્મસભાનું આયોજન કરાયું, ગુજરાતભરમાંથી સંતો મહંતોની ઉપસ્થિતિ

અંકલેશ્વરના પૌરાણિક તીર્થધામ રામકુંડ ખાતે હિન્દુ ધર્મસભા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મહામંડલેશ્વરો સહિત સંતો અને કથાકારો તેમજ અંદાજીત 200થી વધુ સંતો મહંતો અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા

New Update
  • શ્રી રામકુંડ તીર્થ ક્ષેત્રે હિન્દુ રાષ્ટ્ર ધર્મસભા યોજાઈ

  • મહંત ગંગાદાસ બાપુ દ્વારા કરાયું આયોજન

  • ગુજરાતભરમાંથી સંત મહંતો રહ્યા ઉપસ્થિત

  • સંતો માટે મહાપ્રસાદીનું પણ કરાયું આયોજન

  • રામચરિત્ર માનસ કથાનો પણ થયો પ્રારંભ

Advertisment

રામકુંડના મહંત ગંગાદાસજી બાપુ દ્વારા આયોજિત રાષ્ટ્ર ધર્મસભામાં મોટી સંખ્યા માં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના સંત મહાત્માઓ ઉપસ્થિત રહ્યા હતા,તેમજ ચૈત્ર માસના પ્રથમ દિવસથી રામનવમી સુધી રામચરિત માનસ કથાનો પણ આ પ્રસંગે પ્રારંભ થયો હતો.

અંકલેશ્વરના રામકુંડ તીર્થધામના મહંત ગંગાદાસ બાપુ દ્વારા પવિત્ર ચૈત્ર માસ નિમિતે રામકુંડ ધામ ખાતે હિન્દુ રાષ્ટ્ર ધર્મસભા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ભરૂચ,સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના મહામંડલેશ્વરો સહિત સંતો અને કથાકારો તેમજ અંદાજીત 200થી વધુ સંતો મહંતો અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા,આ પ્રસંગે સંતોએ પોતાની સંતવાણીનું ભાથું પીરસ્યું હતું.સંત સંમેલન બાદ સંતો માટે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આજ થી શરૂ થયેલા પવિત્ર ચૈત્ર માસ નિમિતે રામકુંડ ધામ ખાતે રામનવમી સુધી રામચરિત્ર માનસ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.જેનું રામકુંડના પ્રસિદ્ધ બાળ કથાકાર પ્રિયાંશુ મહારાજ કથાનું રસપાન કરાવશે.

Advertisment
Read the Next Article

અંકલેશ્વર : નર્મદા ક્લીન ટેક દ્વારા પાઈપલાઈનની કામગીરી હાથ ધરવામાં આવતા ઉદ્યોગોનું એફ્લુઅન્ટ ડિસ્ચાર્જ બંધ કરાયું

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના ઉદ્યોગોના એફ્લુઅન્ટને ટ્રીટમેન્ટ કરીને દરિયામાં ઠાલવતી નર્મદા ક્લીન ટેક દ્વારા પાઈપલાઈનની કામગીરી હાથ ધરવામાં આવી છે,

New Update
  • NCT દ્વારા પાઈપલાઈનની કામગીરી

  • ઉદ્યોગોનું એફ્લુઅન્ટ ડિસ્ચાર્જ કરાયું બંધ

  • નોટીફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા અપાઈ સૂચના 

  • પમ્પીંગ સ્ટેશનના પાઈપલાઈનની કામગીરી

  • કામગીરીને પગલે ઉદ્યોગોને પડશે નહિવત અસર

  • સાંજ સુધીમાં કામગીરી પૂર્ણ થવાની સંભવના  

Advertisment

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના ઉદ્યોગોના એફ્લુઅન્ટને ટ્રીટમેન્ટ કરીને દરિયામાં ઠાલવતી નર્મદા ક્લીન ટેક દ્વારા પાઈપલાઈનની કામગીરી હાથ ધરવામાં આવી છે,જેના કારણે ઉદ્યોગોમાંથી નીકળતા ગંદા પાણીનું ડિસ્ચાર્જ બંધ કરવાની સૂચના આપવામાં આવી છે.

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની ધબકતી ધોળી નસ સમાન નર્મદા ક્લીન ટેક (NCT) દ્વારા  A,B અને C પમ્પીંગ સ્ટેશનના પાઇપલાઇન કનેક્શનની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે,જેના કારણે નોટીફાઈડ ઓથોરિટી દ્વારા NCTના સભ્ય ઉદ્યોગોને એફ્લુઅન્ટ ડિસ્ચાર્જ ન કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.જોકે મોટા ભાગના ઉદ્યોગો પાસે તેમની સ્ટોરેજ વ્યવસ્થા હોવાના કારણે ઔદ્યોગિક ઉત્પાદન પર નહિવત અસર પહોંચશે તેમ જાણવા મળ્યું છે.NCT દ્વારા ઉદ્યોગમાંથી નીકળ્યા એફ્લુઅન્ટને યોગ્ય ટ્રીટમેન્ટ બાદ કંટીયાજાળ દરિયામાં આ પાણીને ઠાલવવામાં આવે છે.  

હાલમાં NCT દ્વારા પાઈપલાઈનના કનેક્શનની મોટા પ્રમાણમાં કામગીરી હાથ ધરવામાં આવી છે,અને સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ થયા બાદ ઉદ્યોગને એફ્લુઅન્ટ ડિસ્ચાર્જ શરૂ કરવા માટે સૂચના આપવામાં આવશે તેમ ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત શેલડિયાએ જણાવ્યું હતું.

Advertisment