અંકલેશ્વર : રામકુંડ તીર્થધામ ખાતે હિન્દુ રાષ્ટ્ર ધર્મસભાનું આયોજન કરાયું, ગુજરાતભરમાંથી સંતો મહંતોની ઉપસ્થિતિ

અંકલેશ્વરના પૌરાણિક તીર્થધામ રામકુંડ ખાતે હિન્દુ ધર્મસભા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મહામંડલેશ્વરો સહિત સંતો અને કથાકારો તેમજ અંદાજીત 200થી વધુ સંતો મહંતો અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા

New Update
  • શ્રી રામકુંડ તીર્થ ક્ષેત્રે હિન્દુ રાષ્ટ્ર ધર્મસભા યોજાઈ

  • મહંત ગંગાદાસ બાપુ દ્વારા કરાયું આયોજન

  • ગુજરાતભરમાંથી સંત મહંતો રહ્યા ઉપસ્થિત

  • સંતો માટે મહાપ્રસાદીનું પણ કરાયું આયોજન

  • રામચરિત્ર માનસ કથાનો પણ થયો પ્રારંભ

રામકુંડના મહંત ગંગાદાસજી બાપુ દ્વારા આયોજિત રાષ્ટ્ર ધર્મસભામાં મોટી સંખ્યા માં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના સંત મહાત્માઓ ઉપસ્થિત રહ્યા હતા,તેમજ ચૈત્ર માસના પ્રથમ દિવસથી રામનવમી સુધી રામચરિત માનસ કથાનો પણ આ પ્રસંગે પ્રારંભ થયો હતો.

અંકલેશ્વરના રામકુંડ તીર્થધામના મહંત ગંગાદાસ બાપુ દ્વારા પવિત્ર ચૈત્ર માસ નિમિતે રામકુંડ ધામ ખાતે હિન્દુ રાષ્ટ્ર ધર્મસભા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ભરૂચ,સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના મહામંડલેશ્વરો સહિત સંતો અને કથાકારો તેમજ અંદાજીત 200થી વધુ સંતો મહંતો અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા,આ પ્રસંગે સંતોએ પોતાની સંતવાણીનું ભાથું પીરસ્યું હતું.સંત સંમેલન બાદ સંતો માટે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આજ થી શરૂ થયેલા પવિત્ર ચૈત્ર માસ નિમિતે રામકુંડ ધામ ખાતે રામનવમી સુધી રામચરિત્ર માનસ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.જેનું રામકુંડના પ્રસિદ્ધ બાળ કથાકાર પ્રિયાંશુ મહારાજ કથાનું રસપાન કરાવશે.

Read the Next Article

ભરૂચ : આમોદ નેશનલ હાઇવે નં.64 પર આર.ટી.ઓ.ની તપાસથી ટ્રક ચાલકોમાં ફફડાટ

આમોદ નજીકના નેશનલ હાઇવે નં.64 પર ભરૂચ આર.ટી.ઓ. વિભાગ દ્વારા આજ રોજ ઓવરલોડ તેમજ કાગળ વિના દોડી રહેલા વાહનો સામે ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી

New Update
guj amod

90,000 રૂપિયાનો દંડ વસુલાયો, ઓવરલોડ અને બિનકાયદેસર વાહનો પર કાર્યવાહી

આમોદ નજીકના નેશનલ હાઇવે નં.64 પર ભરૂચ આર.ટી.ઓ. વિભાગ દ્વારા આજ રોજ ઓવરલોડ તેમજ કાગળ વિના દોડી રહેલા વાહનો સામે ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આર.ટી.ઓ.ઇન્સ્પેક્ટર એમ.પી. ડાયમાની આગેવાની હેઠળ આ તપાસ દરમિયાન કુલ રૂ. 90,000 જેટલો દંડ વસૂલવામાં આવ્યો હતો.

આ માર્ગ પરથી દિવસ-રાત ભારે વાહનો પસાર થાય છે, જેમાં ખાસ કરીને નમક (મીઠું), રેતી અને હઝાર્ડ વેસ્ટ ભરેલ ટ્રકોનો સમાવેશ થાય છે. ઓવરલોડ અને સુરક્ષા નિયમોની અવગણનાથી અકસ્માતોની સંભાવના વધતી હોવાથી આર.ટી.ઓ. દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.તપાસની માહિતી વાયુવેગે ફેલાતા કેટલાય ટ્રક ચાલકોએ પોતાની ઓવરલોડ વાહનો રસ્તા કિનારે ઊભા રાખી દિધા હોવાની વિગતો સામે આવી છે. રાત્રિના સમયે દહેજ તરફ જતા મીઠું ભરેલ ટ્રકો અને હઝાર્ડ વેસ્ટવાળા વાહનો ગંભીર જોખમ ઊભું કરે છે, કારણ કે કેટલાક વાહનોમાંથી પ્રવાહી રોડ પર સરકે છે, જેને લીધે અકસ્માતોની ઘટનાઓ સર્જાઈ છે.તદુપરાંત, કરજણથી વહેલી સવારે પસાર થતી રેતી ભરેલી ટ્રકોમાં યોગ્ય કવરિંગ ન હોવાને કારણે રેતી ઉડીને પાછળ આવતા બાઈક સવારોને આંખમાં વળગી જાય છે. રાત્રી દરમિયાન કેટલીક ટ્રકોની લાઈટો પણ બંધ હોવાના કારણે માર્ગ પર અકસ્માતનો ભય વધ્યો છે.