અંકલેશ્વર:બી ડિવિઝન પોલીસનો માનવતાવાદી અભિગમ,

ભરૂચ | Featured | સમાચાર , અંકલેશ્વર બી ડીવીઝન પોલીસ દ્વારા સીનીયર સીટીઝન કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ૩૦ જેટલા વયસ્ક નાગરીકોને કાર્ડનું વિતરણ

New Update
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસની કામગીરી
પોલીસે માનવતાવાદી અભિગમ દાખવ્યો
વયસ્ક નાગરિકોને સિનિયર સીટીઝન કાર્ડનું કરાયુ વિતરણ
30 લોકોને સિનિયર સીટીઝન કાર્ડનું વિતરણ
લોકોએ પોલીસના અભિગમને બિરદાવ્યો
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ દ્વારા સીનયર  સીટીઝન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર બી ડીવીઝન પોલીસ દ્વારા સીનીયર સીટીઝન કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ૩૦ જેટલા વયસ્ક નાગરીકોને કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.સાથે અન્ય સીનયર સીટીઝનને કાર્ડ  લેવા માટે માહિતી પૂરી પાડવામાં આવી હતી.તો કાર્યક્રમમાં ઉપસ્થિત વડીલોને જરૂર કોઈ ત્યારે પોલીસનો સંપર્ક કરવા સાથે સાયબર ફ્રોડ માટેની માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વી કે ભૂતિયાએ જણાવ્યું હતું કે જરૂરિયાતમંદ વયસ્ક નાગરિકો સિનિયર સિટીઝન કાર્ડ લેવા માટે જે તે કચેરીએ પહોંચી શકે તે શક્ય ન હતું માટે આવા વયસ્ક નાગરિકોના ડોક્યુમેન્ટ એકત્રિત કરી સિનિયર સિટીઝન કાર્ડ કઢાવવામાં આવ્યા હતા અને તેનું વિતરણ કરવામાં આવ્યું છે. ભવિષ્યમાં આ કાર્ડ અંતર્ગત સિનિયર સિટીઝ અને મળતા લાભ અંગેની પણ માહિતી આપવામાં આવશે.
Read the Next Article

ભરૂચ: નેત્રંગના ધાંણીખુટ પાસે કરજણ નદી પર બનાવાયેલ બ્રિજ જર્જરીત હાલતમાં, તાત્કાલિક સમારકામની માંગ

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે. ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા

New Update
MixCollage-12-Jul-2025-

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે.

ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર નેત્રંગ તાલુકાના ધાંણીખુટ ગામ પાસેથી વહેતી કરજણ નદી પર વર્ષો જુનો નિમાઁણ થયેલ બ્રિજ પણ જજઁરીત હાલતમાં થઈ ગયો છે.
આ બ્રિજ ભરૂચ અને નર્મદા તેમજ મહારાષ્ટ્ર રાજ્યને જોડતો  બ્રિજ છે. હાલ આ બ્રિજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના તાબા હેઠળ છે. અંકલેશ્વર,ભરૂચ, વડોદરા અને દહેજ જીઆઇડીસીના ઔદ્યોગિક એકમોમાં બનતી ભારેખમ મશીનરીઓ  મોટા વાહનો મારફત મહારાષ્ટ્ર થઈ અન્ય રાજ્યોમાં જાય છે.બાકી અન્ય ભારદારી વાહનો પણ રોજેરોજ આ બ્રિજ પરથી પસાર થઇ રહ્યા છે. તેવા સંજોગો ગંભીરા બ્રિજની બનેલ દુર્ઘટના બાદ સ્થાનિક રહીશોમાં આ બ્રિજની જજઁરીત હાલત જોઈ ને ભય સતાવી રહ્યો છે તેવા સંજોગોમાં જીલ્લા કલેક્ટર તેમજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના અધિકારીઓ આ બ્રિજની તાત્કાલિક તપાસ હાથ ધરે તેમજ બ્રિજ આજુબાજુ તુટી ગયેલ રેલીંગની મરામત કરે એવી માંગ ઉઠી છે.