અંકલેશ્વર: નોટિફાઇડ એરીયા ઓથો.દ્વારા ગેરકાયદેસર દબાણો હટાવાયા, કેટલાક લોકો દ્વારા સ્થાનિકોને હેરાનગતિ કરાતી હોવાના આક્ષેપ

અંકલેશ્વર ઔદ્યોગિક વરસાતના રહેણાંક વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણ કરનારા લોકો દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપના પગલે નોટિફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા દબાણો હટાવવામાં આવ્યા હતા.

New Update
  • અંકલેશ્વર જીઆઈડીસીમાં વિવાદ

  • ગેરકાયદેસર દબાણકર્તાઓ દ્વારા હેરણગતિના આક્ષેપ

  • સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો

  • નોટીફાઇડ એરિયા ઓથો.ની કાર્યવાહી

  • ગેરકાયદેસર દબાણ દૂર કરાયા

અંકલેશ્વર ઔદ્યોગિક વરસાતના રહેણાંક વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણ કરનારા લોકો દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપના પગલે નોટિફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા દબાણો હટાવવામાં આવ્યા હતા.

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર દબાણોનો રાફડો ફાટ્યો છે ત્યારે નોટિફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેના પગલે શ્રમિક વર્ગના કેટલાક લોકોએ જીઆઈડીસીમાં આવેલ બાલાજી એવન્યુ સહિતની સોસાયટીઓ નજીક તંબુ બાંધી રહેઠાણ શરૂ કર્યું હતું.જોકે આ લોકો દ્વારા સોસાયટીના કેટલાક રહીશોને હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે ગતરોજ રાત્રીના સમયે વિવાદ સર્જાયો હતો આ અંગેની જાણ થતા જ નોટિફાઇડ એરીયા ઓથોરીટીના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ગેરકાયદેસર દબાણો દૂર કરનાર લોકો સામે કાર્યવાહી કરી તેઓના દબાણ હટાવ્યા હતા.તો બીજી તરફ શ્રમિક વર્ગના લોકોએ તંત્રની આ કામગીરીનો વિરોધ નોંધાવ્યો હતો અને તેઓને રહેવા માટે વૈકલ્પિક જગ્યાની ફાળવણી કરવામાં આવે તેવી માંગ કરી હતી

Read the Next Article

ભરૂચ: જંબુસર BRC ભવન ખાતે દિવ્યાંગ બાળકો માટે એસએસમેન્ટ કેમ્પ યોજાયો, 250 વિધ્યાર્થીઓએ લીધો લાભ

વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓને એડીપ્સ યોજના હેઠળ સાધન સહાયનો લાભ મળે તે માટે જિલ્લાવાર, બ્લોક કક્ષાએ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે

New Update
  • ભરૂચના જંબુસરમાં કરવામાં આવ્યું આયોજન

  • બી.આર.સી.ભવન ખાતે આયોજન

  • દિવ્યાંગ બાળકો માટે કેમ્પ યોજાયો

  • 250 બાળકોએ લીધો લાભ

  • સાધન સહાયનું કરાયુ વિતરણ

ભરૂચના જંબુસર બી આર સી ભવન ખાતે દિવ્યાંગ બાળકો માટે એસએસમેન્ટ કેમ્પ યોજાયો હતો જેનો 250 જેટલા વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. સમગ્ર શિક્ષા ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તથા પ્રોજેક્ટ કો ઓર્ડીનેટરની કચેરી ભરૂચ દ્વારા એલિમ્કોના સહયોગથી દિવ્યાંગ બાળકો માટે એસએસમેન્ટ કેમ્પ બી.આર.સી ભવન જંબુસર ખાતે જિલ્લા આઈ.ઇ. ડી કોઓર્ડીનેટર ચૈતાલી પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો.
જેમાં ૨૫૦ બાળકોએ ભાગ લીધો હતો. વર્ષ 2025_26 ના બાલવાટિકાથી ધોરણ 12માં અભ્યાસ કરતા વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓને એડીપ્સ યોજના હેઠળ સાધન સહાયનો લાભ મળે તે માટે જિલ્લાવાર, બ્લોક કક્ષાએ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.કેમ્પમાં બીઆરસી કો-ઓર્ડીનેટર અશ્વિન પઢીયાર, આસિફભાઇ,આઇડી સ્ટાફ,સ્પેશિયલ એજ્યુકેટર તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.