અંકલેશ્વર: ઇન્ડો જાપાન શિવ સ્વરાજ રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયુ,જાપાનમાં શિવાજી મહારાજની પ્રતિમાનું થશે સ્થાપન

ભારતભરમાં નીકળેલી ઇન્ડો જાપાન શિવ સ્વરાજ રથયાત્રા આજે અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત શિવાજી સ્મારક પાસે આવી પહોંચતા શિવ રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. 

New Update
  • અંકલેશ્વરમાં આવી પહોંચી રથયાત્રા

  • શિવ સ્વરાજ રથયાત્રા આવી પહોંચી

  • વિવિધ સંસ્થાઓ દ્વારા રથયાત્રાનું સ્વાગત

  • જાપાનમાં શિવાજી મહારાજની પ્રતિમાનું થશે સ્થાપન

  • મ્યુઝિયમનું પણ નિર્માણ હાથ ધરાશે

ઇન્ડો જાપાન શિવ સ્વરાજ રથયાત્રા આજે અંકલેશ્વરમાં શિવાજી સ્મારક પાસે આવી પહોંચતા શિવભક્તો દ્વારા ઢોલ નગારા અને ફટાકડા ફોડી શિવરથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું
જાપાનના ટોક્યો ખાતે ભારતના મહાન શાસક છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું સ્થાપના થવા જઈ રહ્યું છે.જે નિમિત્તે ભારતભરમાં નીકળેલી ઇન્ડો જાપાન શિવ સ્વરાજ રથયાત્રા આજે અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત શિવાજી સ્મારક પાસે આવી પહોંચતા આગેવાનો તેમજ શિવભક્તો દ્વારા ઢોલ નગારા અને ફટાકડા ફોડી શિવ રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. 
ઈન્ડો જાપાન શિવ સ્વરાજ રથયાત્રા સમગ્ર ભારતમાં 7 હજાર કિલો મીટર ફરશે આ યાત્રાનો પ્રારંભ સાતારાથી છત્રપતિ શિવાજી મહારાજના વંશજ ઉદયનરાજે ભોંસલેના હસ્તે કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે જાપાનના ટોક્યો ખાતેના યદો ગોવા ઇન્ડિયા કલ્ચરલ સેન્ટરના અધ્યક્ષ યોગેન્દ્ર પુરાણીક અને જાપાનના સમ્રાટ નારો હીતોનું આ પ્રતિમા સ્થાપવા માટે મુખ્ય યોગદાન છે.અશ્વ પર સવાર છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા ઇન્ડિયા કલ્ચરલ સેન્ટર ખાતે સ્થાપિત થશે.આ સેન્ટર ખાતે છત્રપતિ શિવાજી મહારાજનું એક મ્યુઝિયમ પણ બનાવવામાં આવશે.
Read the Next Article

અંકલેશ્વર : મહારાષ્ટ્રમાં થયેલ કેબલ ચોરીના મામલામાં 4 આરોપીની નોબેલ માર્કેટમાંથી ધરપકડ,ક્રાઇમ બ્રાન્ચે રૂ.5.30 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે  મહારાષ્ટ્રમાં આવેલ ખોપોલી પો.સ્ટે. વિસ્તારમાં કેબલ ચોરી થઇ હતી

New Update
gujarat
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે  મહારાષ્ટ્રમાં આવેલ ખોપોલી પો.સ્ટે. વિસ્તારમાં કેબલ ચોરી થઇ હતી જેમાં જુબેર તથા આલમ મનીયાર તથા દિપક કપિલદેવ તિવારી તથા રામવિલાસ ચીકનું યાદવ સંડોવાયેલ છે જે પૈકી આલમ તથા દિપક તિવારી તથા રામ વિલાસ યાદવ અંક્લેશ્વર ખાતે આવેલ નોબલ માર્કેટમાં ગુનામા વપરાયેલ સાધનો સાથે ગોવિંદ અવધરામ યાદવને ત્યા ગોડાઉન પર રોકાયા છે જે બાતમીના આધારે નોબેલ માર્કેટમાં ગોવિંદ યાદવના ગોડાઉનના પર જઇ તપાસ કરતા ગોડાઉન પર ચાર ઇસમ એમ.એચ. પાસીંગની એક બાઇક તથા બોલેરો પીક અપ સાથે ઝડપાય ગયા હતા.આરોપીઓ પોલીસથી બચવા અંકલેશ્વર આવ્યા હોવાનું બહાર આવ્યું હતું.પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ.5.30 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ઝડપાયેલ આરોપીઓ
(1)મોહંમદ આલમ મોહંમદ યુસુફ મનીયાર ઉ.વ.૩૪ હાલ રહે, પુનોલે ગાયકવાડનગર પુના જી.પુના (મહારાષ્ટ્ર) મુળ રહે, દલમઉ થાના-દલમઉ તા.જી. રાયબરેલી (ઉત્તરપ્રદેશ)
(૨) દિપક કપિલદેવ તિવારી ઉ.વ.રર હાલ રહે, ચીખલી કુંતલવાડી રામવિલાસની ભંગારની દુકાન પર તા. નહેરૂનગર જી.પુના (મહારાષ્ટ્ર) મુળ રહે. મનકાપુર તા. તુલસીપુર દેવીપાટણ જી. બલરામપુર (ઉત્તરપ્રદેશ)
(૩) રામવિલાસ ચીકનું યાદવ ઉ.વ. ૩૨ રહે, પુનોલે ગાયકવાડનગર જી-પુના (મહારાષ્ટ્ર) મુળ રહે. ત્રિલોકપુર તા-ઇટવા જી- સિધ્ધાર્થનગર (ઉત્તરપ્રદેશ)
(૪) ગોવિંદ અવધરામ યાદવ ઉ.વ.૪૮ હાલ રહે, પ્લોટ નં.૭૧ ન્યુ ઈન્ડીયા નોબલ માર્કેટ ભડકોદ્રા તા. અંકલેશ્વર જી.ભરૂચ મુળ રહે. રામાપુર ઉર્ફે બિસુનપુર તા. ઈટવા જી. સિધાર્થનગર (ઉત્તરપ્રદેશ)