New Update
-
અંકલેશ્વરમાં આવી પહોંચી રથયાત્રા
-
શિવ સ્વરાજ રથયાત્રા આવી પહોંચી
-
વિવિધ સંસ્થાઓ દ્વારા રથયાત્રાનું સ્વાગત
-
જાપાનમાં શિવાજી મહારાજની પ્રતિમાનું થશે સ્થાપન
-
મ્યુઝિયમનું પણ નિર્માણ હાથ ધરાશે
ઇન્ડો જાપાન શિવ સ્વરાજ રથયાત્રા આજે અંકલેશ્વરમાં શિવાજી સ્મારક પાસે આવી પહોંચતા શિવભક્તો દ્વારા ઢોલ નગારા અને ફટાકડા ફોડી શિવરથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું
જાપાનના ટોક્યો ખાતે ભારતના મહાન શાસક છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું સ્થાપના થવા જઈ રહ્યું છે.જે નિમિત્તે ભારતભરમાં નીકળેલી ઇન્ડો જાપાન શિવ સ્વરાજ રથયાત્રા આજે અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત શિવાજી સ્મારક પાસે આવી પહોંચતા આગેવાનો તેમજ શિવભક્તો દ્વારા ઢોલ નગારા અને ફટાકડા ફોડી શિવ રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
ઈન્ડો જાપાન શિવ સ્વરાજ રથયાત્રા સમગ્ર ભારતમાં 7 હજાર કિલો મીટર ફરશે આ યાત્રાનો પ્રારંભ સાતારાથી છત્રપતિ શિવાજી મહારાજના વંશજ ઉદયનરાજે ભોંસલેના હસ્તે કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે જાપાનના ટોક્યો ખાતેના યદો ગોવા ઇન્ડિયા કલ્ચરલ સેન્ટરના અધ્યક્ષ યોગેન્દ્ર પુરાણીક અને જાપાનના સમ્રાટ નારો હીતોનું આ પ્રતિમા સ્થાપવા માટે મુખ્ય યોગદાન છે.અશ્વ પર સવાર છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા ઇન્ડિયા કલ્ચરલ સેન્ટર ખાતે સ્થાપિત થશે.આ સેન્ટર ખાતે છત્રપતિ શિવાજી મહારાજનું એક મ્યુઝિયમ પણ બનાવવામાં આવશે.