અંકલેશ્વર: શ્રી ગણપતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આંતર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું કરાયું આયોજન

ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.અને ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો,આ ટુર્નામેન્ટમાં સમાજની 8 જેટલી ટીમોએ ભાગ લીધો છે...

New Update
  • શ્રી ગણપતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

  • આંતર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું કરાયું આયોજન

  • આઠ ટીમોએ લીધો ભાગ

  • ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલના હસ્તે ટુર્નામેન્ટનો કરાયો શુભારંભ

  • નગરપાલિકા પ્રમુખ સહિતના આમંત્રિતો રહ્યા ઉપસ્થિત 

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે શ્રી ગણપતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આંતર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે,જેનું ઉદ્ઘાટન ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે શ્રી ગણપતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આંતર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે,આ પ્રસંગે ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.અને ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો,આ ટુર્નામેન્ટમાં સમાજની 8 જેટલી ટીમોએ ભાગ લીધો છે.

આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલીતા રાજપુરોહિતઅંકલેશ્વર નગરપાલિકાના કારોબારી ચેરમેન નિલેશ પટેલ,શ્રી ગણપતિ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ઉપપ્રમુખ અને સભ્યો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

અંકલેશ્વર : નવા બોરભાઠા ગામ સમરસ જાહેર થતા સરપંચ અને સભ્યોને આવકારતા ગ્રામજનો

અંકલેશ્વર તાલુકાનું નવા બોરભાઠા ગામ સમરસ જાહેર થયું હતુ.અને સરપંચ તેમજ સભ્યોની ટીમ દ્વારા ગામના સર્વાંગી વિકાસની ખેવના વ્યક્ત કરવામાં આવી....

New Update
Samras Grampanchayat

અંકલેશ્વર તાલુકાનું નવા બોરભાઠા ગામ સમરસ જાહેર થયું હતુ.અને સરપંચ તેમજ સભ્યોની ટીમ દ્વારા ગામના સર્વાંગી વિકાસની ખેવના વ્યક્ત કરવામાં આવી હતી.

અંકલેશ્વર તાલુકાના નવા બોરભાઠાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગ્રામજનો અને પંચાયતના પૂર્વ સરપંચ અને આગેવાનો દ્વારા ગામના વિકાસની ખેવના સાથે સમરસ પંચાયત બનાવવા માટે ટીમ તૈયાર કરી હતી.તેઓના પ્રયાસોથી સરપંચ તરીકે ચંચળબેન સોમભાઈ પટેલ તથા તેમની પેનલના સભ્યો બિનહરીફ ચૂંટાયા આવ્યા હતા.

Juna Borbhatha Grampanchayat

જે બદલ ગામ ખાતે ગ્રામજનો અને પંચાયત આગેવાનો દ્વારા ખુશી વ્યક્ત કરીને સરપંચ તેમજ સભ્યો બિન હરીફ થવા બદલ ફુલહાર કરી સ્વાગત કર્યું હતું. તમામ સભ્યો અને ટીમ દ્વારા ગામના સર્વાંગી વિકાસની ખેવના વ્યક્ત કરવામાં આવી હતી.