અંકલેશ્વર: શ્રી ગણપતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આંતર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું કરાયું આયોજન

ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.અને ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો,આ ટુર્નામેન્ટમાં સમાજની 8 જેટલી ટીમોએ ભાગ લીધો છે...

New Update
  • શ્રી ગણપતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

  • આંતર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું કરાયું આયોજન

  • આઠ ટીમોએ લીધો ભાગ

  • ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલના હસ્તે ટુર્નામેન્ટનો કરાયો શુભારંભ

  • નગરપાલિકા પ્રમુખ સહિતના આમંત્રિતો રહ્યા ઉપસ્થિત 

Advertisment

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે શ્રી ગણપતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આંતર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે,જેનું ઉદ્ઘાટન ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે શ્રી ગણપતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આંતર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે,આ પ્રસંગે ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.અને ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો,આ ટુર્નામેન્ટમાં સમાજની 8 જેટલી ટીમોએ ભાગ લીધો છે.

આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલીતા રાજપુરોહિતઅંકલેશ્વર નગરપાલિકાના કારોબારી ચેરમેન નિલેશ પટેલ,શ્રી ગણપતિ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ઉપપ્રમુખ અને સભ્યો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisment
Read the Next Article

ઝઘડિયા : અવિધાના આરોગ્ય વર્ધક મંડળ દ્વારા સંચાલિત હોસ્પિટલમાં ડિજિટલ એક્સ-રે મશીનની સુવિધાનો પ્રારંભ

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અવિધા ગામ ખાતે આજથી 60 વર્ષ પહેલા આરોગ્ય વર્ધક મંડળ દ્વારા સ્વ.મોતીભાઈ શંકરભાઈ પટેલ હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો,

New Update
  • ફિઝિયોથેરાપી અને રિહેબ હોસ્પિટલની સુવિધામાં વધારો

  • આરોગ્ય વર્ધક મંડળ અવિધા દ્વારા કાર્યરત છે હોસ્પિટલ

  • 60 વર્ષ પહેલા હોસ્પિટલનો થયો હતો પ્રારંભ

  • અદ્યતન એક્સ-રે મશીનની સુવિધાનો થયો પ્રારંભ

  • અંકલેશ્વર AIA પ્રમુખના હસ્તે એક્સ-રેનો કરાયો પ્રારંભ  

Advertisment

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અવિધા ખાતે સ્વ.મોતીભાઈ શંકરભાઈ પટેલ ફિઝિયોથેરાપી અને રિહેબ હોસ્પિટલ ખાતે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત શેલડિયાના હસ્તે ડિજિટલ એક્સ-રે મશીનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અવિધા ગામ ખાતે આજથી 60 વર્ષ પહેલા આરોગ્ય વર્ધક મંડળ દ્વારા સ્વ.મોતીભાઈ શંકરભાઈ પટેલ હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવ્યો હતોહાલના સમયમાં અકસ્માતોથી લઈ અન્ય બીમારીમાં પણ વધારો થતાં આરોગ્ય વર્ધક મંડળ દ્વારા તેમની હોસ્પિટલમાં વિવિધ અદ્યતન સુવિધાઓ સમયાંતરે ઉભી કરવામાં આવી રહી છેઆજરોજ આ હોસ્પિટલમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત શેલડીયાના હસ્તે ડિજિટલ એક્સ-રે મશીનની સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ સાથે  સંસ્થાના સ્થાપક અને સેવાભાવી મહાનુભાવોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

સંસ્થાના 98 વર્ષીય કાંતિ લલ્લુભાઈ પટેલ પણ વડોદરાથી અવિધા આવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા,સંસ્થાના પ્રમુખ કિરીટ બી પટેલ દ્વારા સંસ્થાના 60 વર્ષના ઉતાર ચઢાવથી ઉપસ્થિત સૌને વાકેફ કર્યા હતા,અને તેમના દ્વારા લક્ષમાં લેવાયેલ મહિલાઓયુવાનો માટેની‌‌ વિવિધ યોજનાઓ આવનારા સમયમાં અવિધા ગામ ખાતે ઉભી કરવામાં સૌના સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી.

Advertisment