અંકલેશ્વર: IOCL દ્વારા ધંતુરીયા ગામે આંગણવાડીનું કરાયુ નિર્માણ, લોકાર્પણ સમારોહ યોજાયો

અંકલેશ્વર IOCL દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે ધંતુરીયા ગામે આંગણવાડીનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનું આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું

author-image
By Connect Gujarat Desk
New Update
  • અંકલેશ્વરના ધંતુરીયા ગામે આંગણવાડીનું નિર્માણ

  • IOCL દ્વારા નિર્માણ કરાયુ

  • બાળ વિકાસ યોજનાના ભાગરૂપે કાર્ય હાથ ધરાયુ

  • આંગણવાડીનો લોકાર્પણ સમારોહ યોજાયો

  • આમંત્રીતો અને ગ્રામજનો રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વર ઓએનજીસી દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે ધંતુરીયા ગામે આંગણવાડીનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનું આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર IOCL દ્વારા બાળ વિકાસ યોજના ચલાવવામાં આવી રહી છે.સામાજિક જવાબદારીના ભાગરૂપે IOCL દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે જે અંતર્ગત છ આંગણવાડીનું નિર્માણ અને 18 આંગણવાડી કેન્દ્રોમાં સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે અંકલેશ્વર તાલુકાના ધંતુરીયા ગામે IOCLના પ્રયાસથી આંગણવાડી કેન્દ્રનું નવનિર્માણ કરવામાં આવ્યું છે જેનો આજરોજ લોકાર્પણ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે IOCL વડોદરા વિભાગના મુખ્ય મહાપ્રબંધક લોકેશસિંહ,સી.ડી.પી.ઓ.રીટાબહેન,હજીરા IOCLના ઇન્ચાર્જ  ડી.બી.ગાવિત,મેનેજર અંકિત ચોરડીયા,અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથકના પી.આઈ. કે.જી.સીસોદીયા,ગામના આગેવાન રતીલાલભાઈ, બચુભાઇ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા
Read the Next Article

ભરૂચ જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહ યોજાયો...

ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડ ખાતે જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • જિલ્લા પંચાયત સભાખંડ ખાતે યોજાયો વિશેષ કાર્યક્રમ

  • જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા આયોજન

  • નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરાયું

  • ડ્રાઇવર એસોસિએશનના અધ્યક્ષ રહ્યા વિશેષ ઉપસ્થિત

  • સરકાર સમક્ષ ડ્રાઇવર વર્ગની સમસ્યા રજૂ કરવાનો ઉદ્દેશ્ય

ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડ ખાતે જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડમાં જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં અવસાન પામેલા ડ્રાઇવરોના સ્મરણાર્થે 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. ત્યારબાદ ભરૂચ જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશનના અધ્યક્ષ કનુ વાળંદ અને ભુપેન્દ્ર પરમારની આગેવાની હેઠળ નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહ યોજાયો હતો. આ સાથે જ ડ્રાઇવર કેડરના ઘટતા પ્રમાણ અને તેની પરિસ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આ પ્રસંગે મુખ્ય અતિથિ બેચર રાઠોડે જણાવ્યું હતું કે, “નિવૃત થયેલા ડ્રાઇવરોને સરકાર તરફથી મળતી રિટાયરમેન્ટ સ્કીમના તમામ હકો સમયસર અને યોગ્ય રીતે મળી રહે તે જરૂરી છે. જેથી તેમનું જીવન સુખમય બની રહે.” આ કાર્યક્રમનો ઉદ્દેશ માત્ર સન્માન નથી. પરંતુ રાજ્ય સરકાર અને તંત્ર સમક્ષ ડ્રાઇવર વર્ગની જરૂરિયાતો અને સમસ્યાઓ રજૂ કરવાનો પણ હતો.