અંકલેશ્વર: જયાબહેન મોદી હોસ્પિટલને ગુજરાત ગાર્ડિયન કંપની દ્વારા એન્ડોસ્પાઇન યુનિટનું અનુદાન અપાયું

જયાબેન મોદી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં ન્યુરોલોજી વિભાગ માટે ગુજરાત ગાર્ડિયન કંપનીના દ્વારા એન્ડોસ્પાઇન યુનિટનું અનુદાન આપવામાં આવ્યું....

New Update
  • અંકલેશ્વરમાં આવેલી છે જયાબહેન મોદી હોસ્પિટલ

  • હોસ્પિટલને આપવામાં આવ્યું અનુદાન

  • એન્ડોસ્પાઇન યુનિટનું અનુદાન આપવામાં આવ્યું

  • ગુજરાત ગાર્ડિયન કંપની દ્વારા કરાયુ સેવાકાર્ય

  • કંપની સત્તાધીશો અને આમંત્રીતો રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલને ગુજરાત ગાર્ડિયન કંપની દ્વારા સી.એસ.આર.ફંડમાંથી એન્ડોસ્પાઇન યુનિટનું અનુદાન આપવામાં આવ્યું હતું અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ સોસાયટી દ્વારા સંચાલિત જયાબેન મોદી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં ન્યુરોલોજી વિભાગ માટે ગુજરાત ગાર્ડિયન કંપનીના દ્વારા એન્ડોસ્પાઇન યુનિટનું અનુદાન આપવામાં આવ્યું હતું.
એન્ડોસ્પાઇન યુનિટ અદ્યતન ટેકનિક દ્વારા મણકાના રોગો અને પીઠ દુખાવાની ખુબજ સુચારૂ અને પીડારહિત સારવાર માટે આશીર્વાદ રૂપ બનશે. જેના કારણે દર્દીઓને વધુ ગુણવત્તા સભર અને અસરકારક સારવાર પ્રાપ્ત કરશે.આ કાર્યકમ માં ગુજરાત ગાર્ડિયનના સાઇટ હેડ  ગૌરવ ચંદ્રા, HR હેડ  યતીન છાયા ,ફાઈનાન્સ હેડ અમિત ખત્રી, પ્રોક્યુરમેન્ટ મેનેજર જી.પી.સીંગ, મેડિકલ ઓફિસર ડૉ. ઈ.પી.શરનાયા, રવિ જેઠવા તથા હોસ્પિટલ સમિતિ સભ્ય હિતેન આનંદપુરા અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
આ અંગે જયાબહેન મોદી હોસ્પિટલના ન્યૂરોસર્જન ડૉ.જયપાલસિંહ ગોહિલે જણાવ્યું હતું કે સમગ્ર ભરૂચ અને નર્મદા જીલ્લામાં સર્વપ્રથમ પીઠના દુખાવા સંબધિત સારવાર આપવા માટે આ ઉપકરણો આશીર્વાદરૂપ સાબિત થશે.
Read the Next Article

ભરૂચ : આમોદ નેશનલ હાઇવે નં.64 પર આર.ટી.ઓ.ની તપાસથી ટ્રક ચાલકોમાં ફફડાટ

આમોદ નજીકના નેશનલ હાઇવે નં.64 પર ભરૂચ આર.ટી.ઓ. વિભાગ દ્વારા આજ રોજ ઓવરલોડ તેમજ કાગળ વિના દોડી રહેલા વાહનો સામે ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી

New Update
guj amod

90,000 રૂપિયાનો દંડ વસુલાયો, ઓવરલોડ અને બિનકાયદેસર વાહનો પર કાર્યવાહી

આમોદ નજીકના નેશનલ હાઇવે નં.64 પર ભરૂચ આર.ટી.ઓ. વિભાગ દ્વારા આજ રોજ ઓવરલોડ તેમજ કાગળ વિના દોડી રહેલા વાહનો સામે ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આર.ટી.ઓ.ઇન્સ્પેક્ટર એમ.પી. ડાયમાની આગેવાની હેઠળ આ તપાસ દરમિયાન કુલ રૂ. 90,000 જેટલો દંડ વસૂલવામાં આવ્યો હતો.

આ માર્ગ પરથી દિવસ-રાત ભારે વાહનો પસાર થાય છે, જેમાં ખાસ કરીને નમક (મીઠું), રેતી અને હઝાર્ડ વેસ્ટ ભરેલ ટ્રકોનો સમાવેશ થાય છે. ઓવરલોડ અને સુરક્ષા નિયમોની અવગણનાથી અકસ્માતોની સંભાવના વધતી હોવાથી આર.ટી.ઓ. દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.તપાસની માહિતી વાયુવેગે ફેલાતા કેટલાય ટ્રક ચાલકોએ પોતાની ઓવરલોડ વાહનો રસ્તા કિનારે ઊભા રાખી દિધા હોવાની વિગતો સામે આવી છે. રાત્રિના સમયે દહેજ તરફ જતા મીઠું ભરેલ ટ્રકો અને હઝાર્ડ વેસ્ટવાળા વાહનો ગંભીર જોખમ ઊભું કરે છે, કારણ કે કેટલાક વાહનોમાંથી પ્રવાહી રોડ પર સરકે છે, જેને લીધે અકસ્માતોની ઘટનાઓ સર્જાઈ છે.તદુપરાંત, કરજણથી વહેલી સવારે પસાર થતી રેતી ભરેલી ટ્રકોમાં યોગ્ય કવરિંગ ન હોવાને કારણે રેતી ઉડીને પાછળ આવતા બાઈક સવારોને આંખમાં વળગી જાય છે. રાત્રી દરમિયાન કેટલીક ટ્રકોની લાઈટો પણ બંધ હોવાના કારણે માર્ગ પર અકસ્માતનો ભય વધ્યો છે.