અંકલેશ્વર: JCI અને પોલીસ વિભાગ દ્વારા સાયબર ક્રાઇમ અંગે જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

સાયબર સુરક્ષા વિષય પર જનજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આજના ડિજિટલ યુગમાં સાયબર સુરક્ષા ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. સાયબર માફીયાઓ લોકો સાથે છેતરપિંડી સહિતના ષડ્યંત્રો કરતા હોય છે

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે આયોજન કરાયુ

  • સાયબર ક્રાઇમ અંગે જન જાગૃતિ સેમિનાર યોજાયો

  • જેસીઆઈ અને પોલીસ વિભાગનું આયોજન

  • મોટી સંખ્યામાં લોકોએ લીધો લાભ

ભરૂચ પોલીસ અને જેસીઆઈ અંકલેશ્વર દ્વારા સાયબર સુરક્ષા વિષય પર જનજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આજના ડિજિટલ યુગમાં સાયબર સુરક્ષા ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. સાયબર માફીયાઓ લોકો સાથે છેતરપિંડી સહિતના ષડ્યંત્રો કરતા હોય છે ત્યારે લોકોમાં આ અંગે જાગૃતિ આવે તે હેતુસર ભરૂચ પોલીસ અને જેસીઆઈ અંકલેશ્વર દ્વારા અંકલેશ્વરના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે જનજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આર. એચ.વાળા અને સાઇબર ક્રાઇમ પોલીસના મલકેશ ગોહિલ દ્વારા લોકોને કઈ રીતના સતર્ક રહી શકાય તે અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.આ પ્રસંગે  જેસીઆઈ અંકલેશ્વરના વાઇઝ પ્રેસિડેન્ટ અમીત ગીરીયા, ડિરેક્ટર હરેશ પાટકર અને પ્રમુખ નેહા મોદી ઉપસ્થિત રહ્યા હતા.
Read the Next Article

ભરૂચ: એ ડિવિઝન પોલીસે ગુમ અથવા ચોરી થયેલ રૂ.7.11 લાખની કિંમતનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કર્યા

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા  CEIR પોર્ટલનો ઉપયોગ કરી ગુમ/ચોરી થયેલ મોબાઇલ ફોન શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી જેના આધારે ભરૂચ

New Update
Screenshot_2025-08-01-07-17-56-74_439a3fec0400f8974d35eed09a31f914

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા  CEIR પોર્ટલનો ઉપયોગ કરી ગુમ/ચોરી થયેલ મોબાઇલ ફોન શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી જેના આધારે ભરૂચ એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.

પોલીસે કેન્દ્ર સરકારના સી.ઇ.આઈ.આર.પોર્ટલના માધ્યમથી ગુમ થઇ ગયેલ મોબાઇલ ફોન એકટીવ થયા હતા જેને સ્ટ્રેસ કરી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે.પોલીસે રૂ.77 હજારની કિંમતના 4 ફોન મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે.આ સાથે જ ચોરીમાં ગયેલ રૂ.6.40 લાખનો સોના ચાંદી સહિતનો મુદ્દામાલ મૂળ માલિકોનો પરત અપાવવામાં સફળતા મેળવી છે.