New Update
-
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
-
ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે આયોજન કરાયુ
-
સાયબર ક્રાઇમ અંગે જન જાગૃતિ સેમિનાર યોજાયો
-
જેસીઆઈ અને પોલીસ વિભાગનું આયોજન
-
મોટી સંખ્યામાં લોકોએ લીધો લાભ
ભરૂચ પોલીસ અને જેસીઆઈ અંકલેશ્વર દ્વારા સાયબર સુરક્ષા વિષય પર જનજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આજના ડિજિટલ યુગમાં સાયબર સુરક્ષા ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. સાયબર માફીયાઓ લોકો સાથે છેતરપિંડી સહિતના ષડ્યંત્રો કરતા હોય છે ત્યારે લોકોમાં આ અંગે જાગૃતિ આવે તે હેતુસર ભરૂચ પોલીસ અને જેસીઆઈ અંકલેશ્વર દ્વારા અંકલેશ્વરના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે જનજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આર. એચ.વાળા અને સાઇબર ક્રાઇમ પોલીસના મલકેશ ગોહિલ દ્વારા લોકોને કઈ રીતના સતર્ક રહી શકાય તે અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.આ પ્રસંગે જેસીઆઈ અંકલેશ્વરના વાઇઝ પ્રેસિડેન્ટ અમીત ગીરીયા, ડિરેક્ટર હરેશ પાટકર અને પ્રમુખ નેહા મોદી ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories