New Update
-
અંકલેશ્વરમાં યોજાયો કાર્યક્રમ
-
જેસીઆઈ દ્વારા કાર્યક્રમનું આયોજન
-
પુલવામાં હુમલાના શહીદોને અપાય શ્રદ્ધાંજલિ
-
વૃક્ષારોપણ કરવામાં આવ્યું
-
આગેવાનોએ આપી હાજરી
જે.સી.આઈ અંકલેશ્વર દ્વારા આજે કાળો દિવસ મનાવવામાં આવ્યો હતો જેમાં પુલવામાં એટેકમાં શહીદ થયેલ વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી વૃક્ષારોપણ કરાયું હતું
પુલવામાં હુમલામાં શહીદ થયેલ વીરોની સાચી શ્રદ્ધાંજલિ અને પર્યાવરણને હરિયાળું બનાવવા માટે અંકલેશ્વરના ગોલ્ડન પોઈન્ટ સ્થિત કમલમ ગાર્ડન ખાતે જે.સી.આઈ અંકલેશ્વર,એ.આઈ.એ તેમજ અન્ય સંસ્થાઓ દ્વારા આજે કાળો દિવસ મનાવી વૃક્ષારોપણ કર્યું હતું જેમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડીયા,પ્રમુખ નેહા મોદી,પ્રોજેક્ટ ચેરમેન જેસી ચિરાગ વેકરીયા,પ્રોજેક્ટ કોઓર્ડિનેટર જેસી અંકિત શ્રીવાસ્તવ,જેસી મહેશ લાઠીયા સહિતના સભ્યોએ વૃક્ષારોપણ કરી શહીદ થયેલ વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.