અંકલેશ્વર: બાપુનગરમાં ઉભરાતી ગટરના કારણે સ્થાનિકો પરેશાન, સમસ્યાના નિરાકરણની માંગ

અંકલેશ્વરના બાપુનગર વિસ્તારમાં ઉભરાતી ગટર અને ગંદકીના સામ્રાજ્યના કારણે સ્થાનિકો હેરાન પરેશાન થયું છે ત્યારે આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવાની તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે

New Update
  • અંકલેશ્વરમાં સ્થાનિકો પરેશાન

  • બાપુનગરમાં ઉભરાતી ગટરનો પ્રશ્ન

  • ઠેર ઠેર ગંદકીના દ્રશ્યો

  • વારંવાર રજુઆત છતા પરિણામ શૂન્ય

  • સમસ્યાના નિરાકરણની માંગ

અંકલેશ્વરના બાપુનગર વિસ્તારમાં ઉભરાતી ગટર અને ગંદકીના સામ્રાજ્યના કારણે સ્થાનિકો હેરાન પરેશાન થયું છે ત્યારે આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવાની તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે
અંકલેશ્વરમાં એક તરફ વિકાસના કામોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે દરેક વોર્ડમાં રૂપિયા 40-40 લાખના ખર્ચે વિકાસના કામો થઈ રહ્યા છે તો બીજી તરફ અંકલેશ્વરમાં ONGC બ્રીજ નીચે આવેલ બાપુનગર વિસ્તારના રહીશો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.આ વિસ્તારમાં ઉભરાતી ગટર અને ગંદકીના કારણે સ્થાનિકો પરેશાન છે.ગટરનું દૂષિત પાણી માર્ગ પર ફરી વળતા ગંદકીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે તો ગંદકીના કારણે આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સ્થાનિકોના આક્ષેપ અનુસાર આ અંગે વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં પરિણામ શૂન્ય છે ત્યારે વહેલી તકે સ્થાનિકોની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે
Read the Next Article

ભરૂચ : નંદેલાવ બ્રિજ નીચે કેમિકલ ભરેલું કન્ટેનર પિલર સાથે ધડાકાભેર અથડાતા મંગલદીપ સોસાયટીની દિવાલ તૂટી

ભરૂચની મઢુલી ચોકડી નજીક કેમિકલ ભરેલ કન્ટેનરના ચાલકે નવા બ્રિજના પિલરને ટક્કર મારી હતી. ત્યારબાદ કન્ટેનર મંગલદીપ સોસાયટીની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતા અફરાતફરી મચી હતી

New Update
  • નંદેલાવ બ્રિજ પાસે સર્જાયો અકસ્માત

  • બેલગામ કન્ટેનર બ્રિજના પિલરમાં ભટકાયું

  • પિલર બાદ મંગલદીપ સોસાયટીમાં પણ અથડાયું

  • સોસાયટીના મંદિરની દીવાલ તૂટતા નુકસાન

  • જાનહાની ટળતા લોકોએ લીધો રાહતનો શ્વાસ

ભરૂચની મઢુલી ચોકડી નજીક કેમિકલ ભરેલ કન્ટેનરના ચાલકે નવા બ્રિજના પિલરને ટક્કર મારી હતી. ત્યારબાદ કન્ટેનર મંગલદીપ સોસાયટીની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતા અફરાતફરી મચી હતી.
 
ભરૂચ દહેજ બાયપાસ માર્ગ પર નંદેલાવ પાસે નવા બ્રિજ નીચે ગુરુવારે એક ગંભીર અકસ્માત થયો હતો. હજીરા અદાણીથી કેમિકલ ભરેલું કન્ટેનર દહેજ સ્થિત મેઘમણી કંપનીમાં જઈ રહ્યું હતું. એ દરમિયાન કન્ટેનર ચાલકનો સ્ટિયરિંગ પર નિયંત્રણ ખોરવાતા કન્ટેનર સીધું નવા પિલરને અથડાઈને સીધુ મંગલદીપ સોસાયટીની મંદિરે જોડાયેલી કમ્પાઉન્ડ વોલમાં ટકરાયું હતું.

આ અકસ્માતમાં બ્રિજના પિલર સાથે સાથે મંદિરની દિવાલને પણ ગંભીર નુકસાન થયું હતું. જોકે, ઘટના દરમિયાન કોઈપણ જાતની જાનહાની ન પહોંચતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. કન્ટેનરનો ચાલક દ્વારા કન્ટેનરને બેલગામ દોડાવવામાં આવી રહ્યું હતું.ઘટનાના પગલે સ્થળ પર તાત્કાલિક ફાયર વિભાગ તથા પોલીસ દોડી આવી હતી. ભારે વજનના કેમિકલ ભરેલા કન્ટેનરને સ્થળ પરથી દૂર કરવા ત્રણ હાઇડ્રાની મદદ લેવાઈ હતી. લાંબા સમય બાદ માર્ગ પર સર્જાયેલો ટ્રાફિક પુનઃ રાબેતા મુજબ થયો હતો.મંગલદીપ સોસાયટીના પ્રમુખ જીતુ  પ્રજાપતિએ જણાવ્યું હતું કે,કન્ટેનર અમારા મંદિરની દીવાલ તોડી ઘૂસી ગયું હતું. સદનસીબે કોઈ વ્યક્તિ ત્યાં નહોતી. પરંતુ આવી ઘટનાઓથી ભવિષ્યમાં વધુ ગંભીર પરિસ્થિતિ ઉભી ન થાય એ માટે પગલાં લેવા જરૂરી છે.