અંકલેશ્વર: બાપુનગરમાં ઉભરાતી ગટરના કારણે સ્થાનિકો પરેશાન, સમસ્યાના નિરાકરણની માંગ

અંકલેશ્વરના બાપુનગર વિસ્તારમાં ઉભરાતી ગટર અને ગંદકીના સામ્રાજ્યના કારણે સ્થાનિકો હેરાન પરેશાન થયું છે ત્યારે આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવાની તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે

New Update
  • અંકલેશ્વરમાં સ્થાનિકો પરેશાન

  • બાપુનગરમાં ઉભરાતી ગટરનો પ્રશ્ન

  • ઠેર ઠેર ગંદકીના દ્રશ્યો

  • વારંવાર રજુઆત છતા પરિણામ શૂન્ય

  • સમસ્યાના નિરાકરણની માંગ

અંકલેશ્વરના બાપુનગર વિસ્તારમાં ઉભરાતી ગટર અને ગંદકીના સામ્રાજ્યના કારણે સ્થાનિકો હેરાન પરેશાન થયું છે ત્યારે આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવાની તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે
અંકલેશ્વરમાં એક તરફ વિકાસના કામોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે દરેક વોર્ડમાં રૂપિયા 40-40 લાખના ખર્ચે વિકાસના કામો થઈ રહ્યા છે તો બીજી તરફ અંકલેશ્વરમાં ONGC બ્રીજ નીચે આવેલ બાપુનગર વિસ્તારના રહીશો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.આ વિસ્તારમાં ઉભરાતી ગટર અને ગંદકીના કારણે સ્થાનિકો પરેશાન છે.ગટરનું દૂષિત પાણી માર્ગ પર ફરી વળતા ગંદકીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે તો ગંદકીના કારણે આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સ્થાનિકોના આક્ષેપ અનુસાર આ અંગે વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં પરિણામ શૂન્ય છે ત્યારે વહેલી તકે સ્થાનિકોની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે
Read the Next Article

ભરૂચ : જિલ્લા જેલમાંથી આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદીની 14 વર્ષ બાદ વહેલી મુક્તિથી પરિવારજનોમાં ખુશી

 ભરૂચ જિલ્લા જેલ ખાતે મર્ડર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદી (કેદી ક્રમાંક 35359) નવીન ઝીણાભાઈ પટેલને રાજ્ય સરકારના નિર્ણય મુજબ આજે વહેલી મુક્તિ મળી હતી.

New Update

આજીવન કેળના કેદીની મુક્તિ

14 વર્ષ બાદ જેલમાંથી મળી મુક્તિ

જેલ અધિક્ષક દ્વારા કરવામાં આવી કાર્યવાહી

સારા વર્તનથી જેલમાંથી મળી મુક્તિ

પરિવારજનોમાં સર્જાયા લાગણીસભર દ્રશ્યો

ભરૂચ જિલ્લા જેલ ખાતે મર્ડર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદી (કેદી ક્રમાંક 35359) નવીન ઝીણાભાઈ પટેલને રાજ્ય સરકારના નિર્ણય મુજબ આજે વહેલી મુક્તિ મળી હતી. તેમણે અત્યાર સુધી 14 વર્ષથી વધુ સમય જેલમાં વિતાવ્યા હતા અને સમગ્ર અવધિ દરમિયાન તેમનું વર્તન ઉત્તમ રહ્યું હતું.

જેલ અધિક્ષકે જણાવ્યું હતું કેભારતીય ન્યાય સંહિતા (B.N.S.S.)ની કલમ-473 મુજબ પાત્રતા ધરાવતા કેદીની વહેલી મુક્તિ માટે જેલ અધિક્ષક વી.એમ.ચાવડાએ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. સંબંધિત અધિકારીઓ અને જેલ સલાહકાર સમિતિ પાસેથી હકારાત્મક અભિપ્રાય મેળવી સરકારને દરખાસ્ત મોકલવામાં આવી હતી. રાજ્ય સરકારે બાકી રહેલી સજા માફ કરી તેમને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.જેલ બહાર આવતા જ નવીન  પટેલને મળવા તેમના પરિવારજનો અને સ્નેહીજનો હાજર રહ્યા હતા. લાંબા વિરામ પછી મળતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા અને ખુશીની લહેર જોવા મળી હતી.જેલ અધિક્ષકે તેમને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવીને વિદાય આપી હતી.