અંકલેશ્વર : વ્યાજખોરીના વિષચક્રથી લોકોને બચાવવા પોલીસની ખાસ ઝુંબેશ.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર વિભાગીય પોલીસ વિભાગ દ્વારા શેઠના હોલ ખાતે ગેરકાયદેસર વ્યાજ વસૂલાત કરતા ઇસમો વિરુદ્ધ થયેલી ફરિયાદનો નિકાલ કરવા અંગે લોક દરબાર યોજાયો હતો. 

New Update

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર વિભાગીય પોલીસ વિભાગ દ્વારા શેઠના હોલ ખાતે ગેરકાયદેસર વ્યાજ વસૂલાત કરતા ઇસમો વિરુદ્ધ થયેલી ફરિયાદનો નિકાલ કરવા અંગે લોક દરબાર યોજાયો હતો.

ભરૂચ જીલ્લામાં ગેરકાયદેસર વ્યાજ વસૂલાત કરતાં ઇસમો સામે પગલાં લેવા અને લોકોમાં જનજાગૃતિ ફેલાવવાના હેતુથી અંકલેશ્વર શહેર સ્થિત જીઇબી ઓફિસ નજીક શેઠના હોલ ખાતે અંકલેશ્વર ડીવાયએસપી ડો. કુશલ ઓઝાની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો હતો. જેમાં એ’ ડિવિઝનબી’ ડિવિઝન તેમજ જીઆઈડીસી અને તાલુકા પોલીસ મથકમાં ગેરકાયદેસર વ્યાજ વસૂલાત કરતાં ઇસમો વિરુદ્ધ પગલાં લેવા અને ફરિયાદનો નિકાલ કરવા સહિત જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો

જ્યારે લોક દરબારમાં વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયેલા લોકોએ અધિકારીઓને રજૂઆત કરી હતી. તો પોલીસ અધિકારીઓએ વ્યાજખોરોથી ત્રસ્ત લોકોને યોગ્ય પગલાં લેવાની ખાતરી આપી હતી. આ લોક દરબારમાં અંકલેશ્વર નગરપાલિકાવિવિધ બેન્ક સહિત તમામ પોલીસ મથકના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

અંકલેશ્વર: તાલુકા પોલીસે ચોરીના મોબાઈલ વેચવા જતા 2 આરોપીઓની કરી ધરપકડ

બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. અને બાતમી વાળા બંને ઇસમોને પકડી તેઓની તપાસ કરતા બંને ઈસમો પાસેથી ચાર જેટલા મોબાઈલ ફોન મળી આવ્યા..

New Update
stolen mobile phones
અંકલેશ્વર તાલુકા પોલીસે જીતાલી રોડ ઉપર રાજ હોમ્સ સોસાયટી પાસેથી ચોરીના મોબાઈલ ફોન વેચાવ ફરતા બે ઇસમોને ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે મીનટુ ઉર્ફે બાંગા અને ભરત સુરેશ મંડલ જીતાલી રોડ ઉપર આવેલ રાજ હોમ્સ સોસાયટી પાસે ચોરીના મોબાઈલ ફોન વેચાણ માટે આંટા ફેરા કરે છે.જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.અને બાતમી વાળા બંને ઇસમોને પકડી તેઓની તપાસ કરતા બંને ઈસમો પાસેથી ચાર જેટલા મોબાઈલ ફોન મળી આવ્યા હતા.
જેઓને મોબાઈલ ફોન અંગેના પુરાવા માંગતા તેઓએ સંતોષકારક જવાબ નહીં આવતા પોલીસે મૂળ યુપી અને હાલ જીતાલીની સિલ્વર સોસાયટીમાં રહેતો મીનટુ ઉર્ફે બાંગા અને ભરત સુરેશ મંડલને ઝડપી પાડ્યો હતો.અને ચાર ફોન મળી કુલ 25 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.