અંકલેશ્વર: મહાવીર ટર્નિંગ નજીક વીજ ટ્રાન્સફોર્મરમાં આગ, ફાયર વિભાગે મેળવ્યો કાબુ

અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ નજીક વીજ ટ્રાન્સફોર્મરમાં આગ ફાટી નીકળતા દોડધામ જવા પામી હતી. ફાયર ફાઈટરોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.

New Update
mahavir turning ank fire

કાળઝાળ ગરમી વચ્ચે અંકલેશ્વરમાં જાણે આગની હારમાળા સર્જાય છે. અંકલેશ્વરમાં મહાવીર ટર્નિંગ નજીક આવેલ વિવિધ ટ્રાન્સફોર્મરમાં ભર બપોરના સમયે આગ ફાટી નીકળી હતી. વીજ ટ્રાન્સફોર્મરમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.

Advertisment

આ અંગેની જાણ થતા જ ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો.વીજ ટ્રાન્સફોર્મરમાં આગના પગલે આસપાસના વિસ્તારમાં વીજ પુરવઠો ખવાયો હતો જેને પૂર્વવ્રત કરાવવા વીજ કંપનીના અધિકારીઓએ કામગીરી શરૂ કરી હતી.

Advertisment
Read the Next Article

ભરૂચ : સાવરણી વેચીને જીવન ગુજારતા વૃદ્ધ દંપતી તબિયત બગડતાં રસ્તા પર ઢળી પડ્યા, શંકાસ્પદ કોરોના લક્ષણો જોઈ હોસ્પિટલ ખસેડાયા

ભરૂચના મુલદ ચોકડી વિસ્તારમાં લુણાવાડાના મૂળ રહેવાસી અને હાલ સાવરણી વેચીને પોતાનું જીવન નિર્વાહ કરતા વૃદ્ધ દંપતી અચાનક તબિયત બગડતાં રસ્તા પર ઢળી પડ્યા હતા.

New Update
ભરૂચ 1222

ભરૂચના  મુલદ ચોકડી વિસ્તારમાં લુણાવાડાના મૂળ રહેવાસી અને હાલ સાવરણી વેચીને પોતાનું જીવન નિર્વાહ કરતા વૃદ્ધ દંપતી અચાનક તબિયત બગડતાં રસ્તા પર ઢળી પડ્યા હતા.

Advertisment

આ ઘટના સમયે ત્યાં નજીક રિક્ષા લઈને ઉભેલા શખ્સે માનવતા દેખાડી અને તત્કાલ ભરૂચ 108 ઇમરજન્સી સેવાને જાણ કરી હતી.108 ની ટીમ ઘટનાસ્થળે તરત પહોંચી અને દંપતીને પ્રાથમિક સારવાર આપી. આ દરમિયાન તેમનામાં શંકાસ્પદ કોરોના વાયરસના લક્ષણો જોવા મળતાં, સલામતીના પગલાં તરીકે બંનેને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.હાલ સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા દર્દીઓની વધુ તપાસ અને કોરોના રિપોર્ટ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

Advertisment
Latest Stories