/connect-gujarat/media/media_files/2025/03/15/xS5WPvE7PtexjpiOQ6qD.jpg)
કાળઝાળ ગરમી વચ્ચે અંકલેશ્વરમાં જાણે આગની હારમાળા સર્જાય છે. અંકલેશ્વરમાં મહાવીર ટર્નિંગ નજીક આવેલ વિવિધ ટ્રાન્સફોર્મરમાં ભર બપોરના સમયે આગ ફાટી નીકળી હતી. વીજ ટ્રાન્સફોર્મરમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.
આ અંગેની જાણ થતા જ ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો.વીજ ટ્રાન્સફોર્મરમાં આગના પગલે આસપાસના વિસ્તારમાં વીજ પુરવઠો ખવાયો હતો જેને પૂર્વવ્રત કરાવવા વીજ કંપનીના અધિકારીઓએ કામગીરી શરૂ કરી હતી.