અંકલેશ્વર: NH 48 નજીક સ્ક્રેપના 8 ગોડાઉનમાં ભીષણ આગ, પરવાનગી વગર ધમધમી રહ્યા હતા ગોડાઉન !

અંકલેશ્વરમાં નેશનલ હાઇવે નંબર 48ને અડીને આવેલા સ્ક્રેપ માર્કેટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. એક પછી એક સ્ક્રેપના 8 ગોડાઉન આગની ચપેટમાં આવી જતા અફરાતફરીનો

New Update
અંકલેશ્વરમાં નેશનલ હાઇવે નંબર 48ને અડીને આવેલા સ્ક્રેપ માર્કેટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. એક પછી એક સ્ક્રેપના 8 ગોડાઉન આગની ચપેટમાં આવી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

અંકલેશ્વરમાં ફરી એકવાર આગનો બનાવ બનતા દોડધામ મચી જવા પામી છે. અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48ને અડીને આવેલ સ્ક્રેપના માર્કેટમાં ભીષણ આગ લાગી છે. નોબલ માર્કેટના સ્ક્રેપના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. એક ગોડાઉનમાં લાગેલ આગ

એક પછી એક 8 ગોડાઉનમાં આગ પ્રસરી હતી.ધુમાડાના ગોટેગોટા અને અગન જ્વાળાઓ દૂર દૂર સુધી નજરે પડી હતી. બનાવની જાણ થતાની સાથે જ ફાયર ફાયટરો ઘટના સ્થળે જવા રવાના થયા હતા અને 10થી વધુ ફાયર ટેન્ડરોએ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા. બનાવની જાણ થતા ની સાથે જ સ્થાનિક આગેવાનો પણ દોડીઆવ્યા હતા આ અંગે ભડકોદરા ગ્રામ પંચાયતનું પણ નિવેદન સામે આવ્યું છે.ગ્રામ પંચાયતના તલાટીએ જણાવ્યું હતું કે પંચાયતની કોઈપણ જાતની પરવાનગી વગર સ્ક્રેપ માર્કેટમાં હાટડીઓ ધમધમી રહી છે જેને આવનારા સમયમાં નોટિસ આપવામાં આવશે.તો બીજી તરફ અગન જ્વાળા અને ધુમાડાના પગલે ગ્રામજનોને શ્વાસ લેવામાં તકલીફ અને આંખમાં બળતરાની ફરિયાદ ઉઠી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર નજીક હાઇવે પર આવેલા મોટા ભાગના સ્ક્રેપ માર્કેટમાં સમયાંતરે આગની ઘટના બને છે. સ્ક્રેપના ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે કેમિકલ વેસ્ટનો સંગ્રહ કરવામાં આવે છે ત્યારે આવનારા સમયમાં મોટી હોનારત સર્જાઈ શકે છે તંત્ર દ્વારા અવારનવાર સ્ક્રેપ માર્કેટમાં ચેકિંગ પણ કરવામાં આવે છે પરંતુ કામગીરી માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે ત્યારે હવે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે.
Read the Next Article

ભરૂચ: ખાણખનીજ વિભાગે ગેરકાયદેસર રેતી ખનન અને વહન પર કરી લાલ આંખ, રેતી ભરેલા 10 ડમ્પર સહિત રૂ.4.35 કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત

ભરૂચ, દહેજ, રાજપારડી, ઝગડિયા ખાતે બ્લેક્ટ્રેપ અને સાદી રેતી ખનીજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૭ વાહનોને સીઝ કરી કુલ- ૩.૪૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો

New Update
mines department
ભરૂચ જિલ્લા ભૂસ્તરશાસ્ત્રીની ટીમ દ્વારા ગત સપ્તાહમાં ૧૮ મી જૂન ૨૦૨૫ થી ૨૧ જૂન ૨૦૨૫નાં દિવસોમાં દરમ્યાન ભરૂચ જીલ્લાના અલગ -અલગ સ્થળએ આકસ્મિક તપાસ કરતા ABC ચોકડી ભરૂચ, દહેજ, રાજપારડી, ઝગડિયા ખાતે બ્લેક્ટ્રેપ અને સાદી રેતી ખનીજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૭ વાહનોને સીઝ કરી કુલ- ૩.૪૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી જીલ્લા સેવાસદન, રાજપારડી પોલીસ સ્ટેશન તથા ઝગડિયા પોલીસ સ્ટેશન ભરૂચ ખાતે રાખવામાં આવેલ છે. જેમાં આગળની નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવી છે.
વધુમાં, તારીખ ૨૦ જૂન ૨૦૨૫ના રોજ ભરૂચ તાલુકાના મંગલેશ્વર ખાતેથી પસાર થતી નર્મદા નદી પટ્ટ વિસ્તારમાં સાદી રેતી ખનીજના બીનઅધિકૃત ખનન અને વહનની તપાસ હાથ ધરતા ૨ એક્ષેવેટર મશીન અને 3 વાહનો ડમ્પર વાહનો એમ મળી કુલ ૯૦ લાખનો મુદામાલ સીઝ કર્યો અને સ્થળે મળી આવેલી સાદી રેતી ખનીજના ઢગલાની માપણી કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરી હતી.