અંકલેશ્વર: ONGC ખાતે મિલેટ્સ મેળાનું આયોજન,લોકો જાડા ધાન્ય તરફ વળે એ માટે પ્રયાસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય મીલેટસ્ વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું હતું.સ્વાદની લ્હાયમાં મનુષ્યએ પોતાનું સ્વાસ્થ્ય ગુમાવ્યું છે તેમ કહેવું ખોટું નહીં ગણાય.

New Update
  • અંકલેશ્વર ONGC ખાતે આયોજન

  • સી.આઈ.એસ.એફ.ના પ્રયાસથી આયોજન કરાયું

  • મિલેટ્સ મેળાનું કરાયુ આયોજન

  • લોકોને જાડા ધાન્ય તરફ લાવવા પ્રયાસ

  • વિવિધ શાળાના બાળકો જોડાયા

અંકલેશ્વર ઓએનજીએસસી અને સીઆઈએસએફ દ્વારા મિલેટ્સ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકો જાડા ધાન્ય તરફ વળે તે માટે પ્રયાસ કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય મીલેટસ્ વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું હતું.સ્વાદની લ્હાયમાં મનુષ્યએ પોતાનું સ્વાસ્થ્ય ગુમાવ્યું છે તેમ કહેવું ખોટું નહીં ગણાય. વધતી જતી બિમારીઓ પણ તેની સાબિતી આપે છે. 
આ સ્થિતિમાં લોકો ફરી બાજરી, જુવાર, સાંબો જેવા તૃણધાન્ય એટલે કે મિલેટ્સ તરફ વળે અને ખેડૂતો પણ જાડા તૃણધાન્ય પાકોનું વાવેતર વધારે તેવા આશય સાથે  અંકલેશ્વર ઓ.એન.જી.સી. અને સી.આઈ.એસ.એફ. દ્વારા મિલેટ્સ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ઓ.એન.જી.સી.ના એસેટ મેનેજર વિજયકુમાર ગોખલે,અંજલિ ગોખલે સીઆઈએસએફના કમાન્ડન્ટ કૃતિકા નેગી, આસિસ્ટન્ટ કમાન્ડન્ટ તેજવીર સિંગ સહિતના આમંત્રિતો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મિલેટસ મેળામાં કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થીઓ તેમજ આરએમપીએસ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને મિલેટસ અંગેની જાણકારી મેળવી હતી.આજનું યુવાધન જયારે જંકફુડ તરફ જઈ રહ્યું છે ત્યારે આપણી પ્રાચીન પરંપરાસમા મિલેટ્સનો ઉપયોગ દૈનિક આહારમાં કરવામાં આવે તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
Read the Next Article

અંકલેશ્વર: ગડખોલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિર યોજાય, રક્તદાતાઓએ કર્યું ઉત્સાહભેર રક્તદાન

અંકલેશ્વરના ગડખોલ ગામ ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વખતે દાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.

New Update
bolld

અંકલેશ્વરના ગડખોલ ગામ ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વખતે દાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.

ભરૂચ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાઓને આયુષ બ્લડ બેન્કના સહયોગથી અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તરત તે દાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ ગ્રામજનો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા રક્તદાન એ જ મહાદનને સાર્થક કરવા આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ કેન્દ્રો પર રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે જેમાં લોકો ઉત્સાહભેર જોડાઈ છે