New Update
અંકલેશ્વરમાં નગર સેવા સદન દ્વારા આયોજન કરાયું
વિકાસ સપ્તાહની ઉજવણી, સાયકલોથોન યોજાય
મોટી સંખ્યામાં સાયકલવીરો જોડાયા
નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી તરીકે શાસનના કાર્યકાળના 24 વર્ષ પૂર્ણ થતા રાજ્ય સરકાર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા પણ વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે ત્યારે આજરોજ નગરપાલિકા તંત્ર દ્વારા સાયક્લોથનનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર રેલવે સ્ટેશન સ્થિત બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલ અર્પણ કરી સાયકલોથોનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
નગરપાલિકા કચેરી સુધી યોજાયેલ સાયકલોથનમાં મોટી સંખ્યામાં સાયકલવીરો જોડાયા હતા.આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત સહિતના પદાધિકારીઓ અધિકારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories