અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા આજરોજ વિવિધ વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધરાયું હતું જેમાં નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ જોડાયા હતા
અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા નિર્મળ ગુજરાત સ્વચ્છતા અભિયાન અંતર્ગત સાફ-સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જે અંતર્ગત નગરપાલિકાના અધિકારીઓ તેમજ પદ અધિકારીઓએ શહેરના ત્રણ રસ્તા સર્કલ નજીક સાફ-સફાઈ કરી હતી જેમાં નગરપાલિકાના પ્રમુખ લલીતાબેન રાજપુરોહીત ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ, શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલતેમજ અધિકારીઓ અને નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.નગર સેવા સદન દ્વારા અલગ અલગ ત્રણ ટીમ બનાવી શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને શહેરને સ્વરછ રાખવાની અપીલ કરવામાં આવી હતી