અંકલેશ્વર: માં શારદા ભવન ટાઉન હોલ ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી

ભારતના ચૂંટણી પંચના ૬૧મા સ્થાપના દિવસે, એટલે કે તા.૨૫મી જાન્યુઆરી, ૨૦૧૧ના રોજ 'રાષ્ટ્રીય મતદાતા દિવસ'ની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારથી

New Update
આજે તારીખ 25મી જાન્યુઆરી
રાષ્ટ્રીય મતદાતા દિવસ
અંકલેશ્વરમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાય
અધિક કલેકટર એન.આર.ધાંધલ રહ્યા ઉપસ્થિત
નવા મતદારોને EPIC કાર્ડનું વિતરણ કરાયુ
અંકલેશ્વરના મા શારદા ભવન ટાઉન હોલ ખાતે ભરૂચ જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી
ભારતના ચૂંટણી પંચના ૬૧મા સ્થાપના દિવસે, એટલે કે તા.૨૫મી જાન્યુઆરી, ૨૦૧૧ના રોજ 'રાષ્ટ્રીય મતદાતા દિવસ'ની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારથી આ દિવસને “રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે જેની ઉજવણીનો સૌથી મોટો ઉદ્દેશ દેશના મતદારોને મતદાન અંગે જાગૃત કરવાનો છે ત્યારે ભરૂચ જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય મતદાતા દિવસની અંકલેશ્વરના માં શારદા ભવન ટાઉન હોલ ખાતે કરવામાં આવી હતી.મતદાન જાગૃતિ માટે વિવિધ કેટેગરીમા શ્રેષ્ઠ કામગીરી કરનાર નાયબ મામલતદાર, શ્રેષ્ઠ બી.એલ.ઓ સુપરવાઈઝર, શ્રેષ્ઠ બી.એલ.ઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે નવા મતદારોને EPIC કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા. તેમજ મતદાર જાગૃતિ અંગે ની ટૂંકી ફિલ્મ નિહાળવામાં આવી હતી.આ પ્રસંગે અધિક કલેકટર એન.આર.ધાંધલ,પ્રાંત અધિકારી ભાવદીપસિંહ જાડેજા,મામલતદાર કરણસિંહ રાજપૂત અને અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read the Next Article

ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે નબીપુર નજીકથી કેમિકલ ચોરીનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું, રૂ.39 લાખના મુદ્દામાલ સાથે 3 આરોપીની ધરપકડ

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઈ. ડી.એ.તુવરની ટીમ નેહા.૪૮ પર નાઈટ પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી કે નેશનલ હાઇવે ૪૮ ઉપર ભરૂચથી વડોદરા જતા ટ્રેક

New Update
css bh
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઈ. ડી.એ.તુવરની ટીમ નેહા.૪૮ પર નાઈટ પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી કે નેશનલ હાઇવે ૪૮ ઉપર ભરૂચથી વડોદરા જતા ટ્રેક ઉપર રીલીફ હોટલ નજીક ટેન્કર નંબર GJ 12 AZ 1612 માંથી ત્રણ ઇસમો ગેરકાયદેસર રીતે પ્લાસ્ટિકના કારબામાં કંઇક પ્રવાહી કાઢી પીકઅપ ડાલામાં મુકે છે જે આધારે પોલીસે દરોડા પાડતા 3 આરોપીઓ કેમિકલની ચોરી કરતા રંગેહાથ ઝડપાય ગયા હતા. આરોપીઓ હજીરા અદાણી પોર્ટમાંથી સ્ટાયરીન (SM) કેમીકલ ભરી વડોદરા નંદેસરી જી.આઈ.ડી.સી.માં ખાલી કરવાં જતું હતું અને ડ્રાઈવર દ્વારા નંદેસરી પહોંચે તે પહેલા કેમીકલ માફીયાઓનો સંપર્ક કરી ટેન્કરનું સીલ તોડી, કેમિકલ ચોરી પ્લાસ્ટીકના કારબાઓ ભરી એક કારબો ૧૫૦૦/- માં વહેંચતા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે  તુલસારામ જસારામ જાટ ઉ.વ.૪૫ રહેવાસી, ધને કી ધાની ગામ તા & થાના સીન્ધરી જિ.બલોતરા (રાજસ્થાન) (ટેન્કર ડ્રાઈવર), સત્તાર ઉર્ફે સમીર મલંગશા દિવાન ઉ.વ.૩૪ હાલ રહે.પાલેજ સાલેહ પાર્ક પ્લોટ નં.૧૨૨/૧૨૩ મહેરબાન ગુલામભાઇના મકાનમાં ભાડેથી તા.જિ.ભરૂચ મૂળ રહેવાસી.ઘર નં.૦૭ રાજાવાડી સૈયદપુરા સુરત શહેર, વસીમ સીરાજ દીવાન ઉ.વ.૧૯ રહેવાસી. માલપુર ગામ પટેલ ફળીયુ તા.શીનોર જિ.વડોદરાની ધરપકડ કરી રૂ.39 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.