અંકલેશ્વર: JCIના નવા પ્રમુખ તરીકે નિમિષા મોદી અને તેમની ટીમે શપથ ગ્રહણ કર્યા

૪૧મો એવોર્ડ બેન્કવેટ અને ૪૨મો જે.સી.આઈ.ગવર્નીંગ બોર્ડના પ્રમુખનો શપથ ગ્રહણ વિંગ ચેરમેન જે.જે. સુહાની જોશીની અધ્યક્ષતામાં સમારોહ યોજાયો જેમાં જે.સી.આઈના સભ્યો ઉપસ્થિત રહ્યા

New Update
  • JCI અંકલેશ્વરનો શાપથગ્રહણ સમારોહ યોજાયો

  • સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરાયુ આયોજન

  • નવા પ્રમુખ અને તેમની ટીમની કરાય જાહેરાત

  • નવા પ્રમુખ તરીકે નિમિષા મોદીએ શપથ ગ્રહણ કર્યા

  • આમંત્રીતો રહ્યા ઉપસ્થિત

જે.સી.આઈ.અંકલેશ્વર દ્વારા નવા પ્રમુખ તરીકે જેસી નિમિષા મોદી અને તેઓની ટીમના સભ્યોએ શપથ ગ્રહણ કર્યા હતા અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ડી.એ.આનંદપુરા સ્પોર્ટ્સ એન્ડ કલ્ચરલ સેન્ટર ખાતે ૪૧મો એવોર્ડ બેન્કવેટ અને ૪૨મો જે.સી.આઈ.ગવર્નીંગ બોર્ડના પ્રમુખનો શપથ ગ્રહણ વિંગ ચેરમેન જે.જે. સુહાની જોશીની અધ્યક્ષતામાં સમારોહ યોજાયો હતો.
જેમાં જે.સી.આઈ ઇન્ડીયાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઈંસ્ટોલેશન ઓફિસર જે.સી. દીપક નહારે  જે.સી.આઈ.ગવર્નીંગ બોર્ડના પ્રમુખ તરીકે જેસી નિમિષા મોદી અને તેઓની ટીમના સભ્યોએ શપથ લેવડાવ્યા હતા.જયારે એવોર્ડ વિતરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં શોફ્ટ શીપ યાર્ડના એલેક્સ અરોકીયા રાજ,ઝોન ચેરમેન સદય જોશી,ઝોન વાઈસ પ્રેસિડેન્ટ સાહિલ દેસાઈ,ઝોન પ્રમુખ કિંજલ શાહ અને ધર્મ એન્જીનીયરીંગના સી.ઈ.ઓ.રામપ્રસાદ યાદવ,સાંઈ એન્ટર પ્રાઈઝના સ્થાપક શશી ભૂષણ સહાય તેમજ જે.સી.આઈના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Read the Next Article

અંકલેશ્વર : ભગવાન જગન્નાથ,બહેન શુભદ્રા અને ભાઈ બલરામ નગરચર્યાએ નીકળતા ભક્તો બન્યા ભાવુક

અંકલેશ્વર શહેરની  હરિદર્શન સોસાયટી ખાતે આવેલા ભગવાન જગન્નાથજીના મંદિરથી  ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળી હતી.પહિંદવિધિ થયા બાદ ભગવાન રથમાં બિરાજીને ભક્તોના દ્વારે પહોંચ્યા હતા.

New Update
  • અષાઢી બીજનો પાવન અવસર

  • ભગવાનની નગરચર્યામાં ભક્તો બન્યા ભાવુક

  • જય રણછોડ માખણ ચોરનો ગુંજ્યો જયઘોષ

  • જગતના નાથ સ્વયં ભક્તોના દ્વારે પહોંચ્યા

  • પોલીસના લોખંડી સુરક્ષા કવચ સાથે રથયાત્રાનું આયોજન

અંકલેશ્વર શહેરની  હરિદર્શન સોસાયટી ખાતે આવેલા ભગવાન જગન્નાથજીના મંદિરથી  ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળી હતી.પહિંદવિધિ થયા બાદ ભગવાન રથમાં બિરાજીને ભક્તોના દ્વારે પહોંચ્યા હતા.

અંકલેશ્વર શહેરની હરિદર્શન સોસાયટી ખાતે આવેલા ભગવાન જગન્નાથજીના મંદિરથી જગતના નાથ જગન્નાથ,બહેન શુભદ્રા અને ભાઈ બલરામ સાથે નગરચર્યાએ નીકળ્યા છે.વહેલી સવારે ભગવાન જગન્નાથનાં મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો બાદ ભગવાન જગન્નાથબહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે રથમાં બિરાજીત થયા હતા. આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ,ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી,નગરપાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત,રામકુંડના મહંત ગંગાદાસ બાપુ,સ્થાનિક અગ્રણીઓ અને સંતો-ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અષાઢી બીજના પાવન અવસરે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. જય જગન્નાથનાં જયઘોષ સાથે રથયાત્રા શરૂ થઈ હતી. જે દીવા રોડજલારામ મંદિરભરૂચીનાકા થઇને ચૌટા નાકાચૌટા બજાર થઇ મુખ્ય બજારો અને શહેરોના અન્ય માર્ગો પર ફરી મોડી સાંજે નીજ મંદિરમાં પરત ફરશે.રથયાત્રાને લઇને પોલીસતંત્ર દ્વારા પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી.

શ્રદ્ધાળુઓએ રથયાત્રામાં અનેરો ઉત્સાહ દર્શાવ્યો હતો.અને ભગવાન સ્વયં ભક્તોનાં દ્વારે દર્શન આપતા ભક્તો ભાવવિભોર બન્યા હતા.તેમજ મગ,જાંબુનો પ્રસાદ આરોગીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી.