અંકલેશ્વર: JCIના નવા પ્રમુખ તરીકે નિમિષા મોદી અને તેમની ટીમે શપથ ગ્રહણ કર્યા

૪૧મો એવોર્ડ બેન્કવેટ અને ૪૨મો જે.સી.આઈ.ગવર્નીંગ બોર્ડના પ્રમુખનો શપથ ગ્રહણ વિંગ ચેરમેન જે.જે. સુહાની જોશીની અધ્યક્ષતામાં સમારોહ યોજાયો જેમાં જે.સી.આઈના સભ્યો ઉપસ્થિત રહ્યા

New Update
  • JCI અંકલેશ્વરનો શાપથગ્રહણ સમારોહ યોજાયો

  • સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરાયુ આયોજન

  • નવા પ્રમુખ અને તેમની ટીમની કરાય જાહેરાત

  • નવા પ્રમુખ તરીકે નિમિષા મોદીએ શપથ ગ્રહણ કર્યા

  • આમંત્રીતો રહ્યા ઉપસ્થિત

જે.સી.આઈ.અંકલેશ્વર દ્વારા નવા પ્રમુખ તરીકે જેસી નિમિષા મોદી અને તેઓની ટીમના સભ્યોએ શપથ ગ્રહણ કર્યા હતા અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ડી.એ.આનંદપુરા સ્પોર્ટ્સ એન્ડ કલ્ચરલ સેન્ટર ખાતે ૪૧મો એવોર્ડ બેન્કવેટ અને ૪૨મો જે.સી.આઈ.ગવર્નીંગ બોર્ડના પ્રમુખનો શપથ ગ્રહણ વિંગ ચેરમેન જે.જે. સુહાની જોશીની અધ્યક્ષતામાં સમારોહ યોજાયો હતો.
જેમાં જે.સી.આઈ ઇન્ડીયાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઈંસ્ટોલેશન ઓફિસર જે.સી. દીપક નહારે  જે.સી.આઈ.ગવર્નીંગ બોર્ડના પ્રમુખ તરીકે જેસી નિમિષા મોદી અને તેઓની ટીમના સભ્યોએ શપથ લેવડાવ્યા હતા.જયારે એવોર્ડ વિતરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં શોફ્ટ શીપ યાર્ડના એલેક્સ અરોકીયા રાજ,ઝોન ચેરમેન સદય જોશી,ઝોન વાઈસ પ્રેસિડેન્ટ સાહિલ દેસાઈ,ઝોન પ્રમુખ કિંજલ શાહ અને ધર્મ એન્જીનીયરીંગના સી.ઈ.ઓ.રામપ્રસાદ યાદવ,સાંઈ એન્ટર પ્રાઈઝના સ્થાપક શશી ભૂષણ સહાય તેમજ જે.સી.આઈના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Read the Next Article

“વિશ્વ વસ્તી દિન” : ભરૂચના આમોદમાં આરોગ્ય કર્મચારીઓએ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો...

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

New Update

આજરોજ ઠેર ઠેર વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાય

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આયોજન

આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા કાર્યક્રમ યોજાયો

આરોગ્ય કર્મચારીઓ દ્વારા સૂત્રોચાર સાથે રેલી યોજાય

સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા-ભરૂચના માર્ગદર્શન હેઠળ આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આમોદ તાલુકા આરોગ્ય કચેરીથી મામલતદાર કચેરી સુધી આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ પ્લેકાર્ડ લખેલા સૂત્રોચાર સાથે વિશાળ રેલી યોજી હતી. જેમાં આમોદ તાલુકાના સમનીઆછોદ તેમજ માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ સાથે જ આમોદ તાલુકા આરોગ્ય અધિકારી ડો. કંચનકુમાર સિંગ પણ રેલીમાં જોડાયા હતા. રેલી દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ સૂત્રો લખેલા પ્લેકાર્ડ બતાવી લોકોને જાગૃત કર્યા  હતા. તેમજ'નાનું કુટુંબસુખી કુટુંબ', 'માઁ બનવાની એ જ ઉંમરજ્યારે શરીર અને મન હોય તૈયારજેવા સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આમોદ તાલુકા આરોગ્ય અધિકારી કંચનકુમાર સિંગ દ્વારા વસ્તી નિયંત્રણ કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી.