અંકલેશ્વર : ઈદ-ઉલ-અઝહા નિમિત્તે મુસ્લિમ બિરાદરોએ વિશેષ નમાઝ અદા કરી, એકમેકને ઈદની શુભકામનાઓ પાઠવી...

ઈસ્લામ ધર્મના પ્રમુખ તહેવારો પૈકી એક ઈદ-ઉલ-અજહા એટલે કે, બકરી ઈદનો તહેવાર હોય છે. આ દિવસે બકરાનું બલિદાન આપવામાં આવતું હોવાથી આ પર્વને કુરબાનીના પર્વ તરીકે ઓળખવામાં આવે છે. 

New Update
  • આજે ઈદ-ઉલ-અઝહાની ઠેર ઠેર ઉજવણી કરાય

  • મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની નમાઝ અદા કરાય

  • ઇદગાહ મેદાન અને મસ્જિદોમાં નમાઝ અદા કરી

  • દેશમાં ઉન્નતિ અને ભાઇચારા માટે નમાઝ અદા કરી

  • એકબીજાને ઈદના પર્વની શુભકામનાઓ પાઠવાય

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર અને તાલુકામાં મુસ્લિમ બિરાદરોએ ઈદ-ઉલ-અઝહાની ઉજવણી કરી હતી. આ સાથે જ ઇદની વિશેષ નમાઝ અદા કરી એકબીજાને ઇદની મુબારકબાદી પાઠવી હતી.

ઇસ્લામિક કેલેન્ડર મુજબ મુસ્લિમ સમુદાયના મોટાભાગના લોકો જુલ-હિજજાહ મહિનામાં હજ કરે છે. મક્કાની વાર્ષિક હજ યાત્રા ઈદ-ઉલ-અજહાના દિવસે સમાપ્ત થાય છે. બકરી ઇદ અથવા ઈદ-ઉલ-અજહા જુલ-હિજ્જાના 10મા દિવસે ઉજવવામાં આવે છે. ઈસ્લામ ધર્મના પ્રમુખ તહેવારો પૈકી એક ઈદ-ઉલ-અજહા એટલે કેબકરી ઈદનો તહેવાર હોય છે. આ દિવસે બકરાનું બલિદાન આપવામાં આવતું હોવાથી આ પર્વને કુરબાનીના પર્વ તરીકે ઓળખવામાં આવે છે. 

ત્યારે અંકલેશ્વર શહેરના ઈદગાહ ખાતે મુસ્લિમ બિરાદરોએ સૌપ્રથમ ફજરની નમાઝ અદા કરી હતી. ત્યારબાદ ઇદના દિવસે પઢવામાં આવતી વિશેષ ઇદની નમાઝ અદા કરવામાં આવી હતી. આ સાથે જ દેશમાં ઉન્નતિ અને ભાઇચારો બની રહે તે માટે એકમેકને શુભકામનાઓ પાઠવી હતી.

Read the Next Article

અંકલેશ્વર: GIDCમાં માનવ મંદિર નજીક 2 વૃક્ષ ધરાશાયી, માર્ગ પર વાહનવ્યવહાર થયો પ્રભાવિત

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ માનવ મંદિરથી ઉદ્યોગ મંડળની ઓફિસ જવાના માર્ગ પર વરસાદી માહોલ વચ્ચે 2 વૃક્ષ ધારાશયી થઈ ગયા હતા

New Update
Screenshot_2025-06-24-14-52-29-42_92460851df6f172a4592fca41cc2d2e6

અંકલેશ્વરમાં આજે સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ઠેર ઠેર તારાજીના દ્રશ્યો પણ નજરે પડી રહ્યા છે.

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ માનવ મંદિરથી ઉદ્યોગ મંડળની ઓફિસ જવાના માર્ગ પર વરસાદી માહોલ વચ્ચે 2 વૃક્ષ ધારાશયી થઈ ગયા હતા

Screenshot_2025-06-24-14-52-45-27_92460851df6f172a4592fca41cc2d2e6

જેના પગલે દોડધામ મચી જવા પામી હતી. મુખ્ય માર્ગ પર વૃક્ષ ધરાશાય થતા વાહન વ્યવહાર પ્રભાવિત થઈ ગયો હતો. આ અંગેની જાણ કરવામાં આવતા જ તંત્ર દ્વારા માર્ગ પરથી વૃક્ષ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.વૃક્ષ ધરાશાયી થતા નજીકમાં પાર્ક કરેલ કાર અને ટેમ્પાને સામાન્ય નુકશાન પહોંચ્યું હતું.