અંકલેશ્વર: કોલસા ચોરીનું કૌભાંડ ઝડપાવાના મામલામાં વધુ એક આરોપીની ધરપકડ

અંકલેશ્વર નજીક શ્યામ એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાં રોકી તેમાંથી કોલસાની ચોરી કરવામાં આવી રહી છે.જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબીએ દરોડા પાડી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.

New Update
Ankleshwar Coal Scam Accused Arrest
ભરૂચ એલસીબીએ કોલસા ચોરીના કૌભાંડનો પર્દાફાશ કરી કુલ રૂપિયા 69 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડવાના મામલામાં વધુ એક આરોપીની સુરતથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ મામલામાં અત્યાર સુધી કુલ 9 આરોપીની ધરપકડ કરવામાં આવી છે
ગત તારીખ-૨૩મી ઓગસ્ટના રોજ સુરતના મગદલ્લા પોર્ટ ખાતેથી ટ્રાન્સપોર્ટ મારફતે દહેજ ખાતે લઈ જવાતા ઈમ્પોર્ટેડ કોલસાની ટ્રક અંકલેશ્વર નજીક શ્યામ એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાં રોકી તેમાંથી કોલસાની ચોરી કરવામાં આવી રહી છે.જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબીએ દરોડા પાડી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.
દરોડા દરમ્યાન પોલીસે ગોડાઉનમાંથી 6.21 લાખનો 90 ટન કોલસો 4 ટ્રક, કાર અને મોબાઈલ મળી રૂ.69.23 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.મામલામાં શ્યામ એન્ટરપારાઇઝ ટ્રેડીંગમાં કરશન રંગપરા તથા તેના બીજા ભાગીદારો ટ્રાન્સપોર્ટ ટ્રકમાંથી ઇમપોટેડ કોલસો કાઢી લઈ અને ગોડાઉનમાંથી કોલસા સાથે થાનની કાળી માટી અને ફલાયસ મીક્ષ કરી કોલસાની ચોરી કરતા હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું.
પોલીસે અગાઉ સાત આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ મામલે વધુ એક આરોપી શૈલેષ ગંઢીયાની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ મામલામાં અત્યાર સુધીમાં કુલ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે
Read the Next Article

ભરૂચ: શેરબજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચે 15 લોકો સાથે રૂ.1.59 કરોડની ઠગાઈ, એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચના કર્મકાંડી ભુદેવ સહિત 15 લોકો સાથે શેર બજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચ આપી ભેજાબાજે રૂ. રૂ.1.59 કરોડની છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ

New Update
  • ભરૂચમાં ચકચારી મામલો પ્રકાશમાં આવ્યો

  • 15 લોકો સાથે આચરવામાં આવી ઠગાઈ

  • શેરબજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચે ઠગાઈ

  • રૂ.1.59 કરોડની ઠગાઈ આચરવામાં આવી

  • ઠગ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ

ભરૂચના નંદેલાવ રોડ આશીર્વાદ બંગલોઝમાં રહેતા કર્મકાંડી ભુદેવ સહિત 15 લોકો સાથે શેર બજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચ આપી ભેજાબાજે રૂ. રૂ.1.59 કરોડની છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ભરૂચના નંદેલાવ રોડ આશીર્વાદ બંગલોઝમાં રહેતા અને કર્મકાંડ તેમજ ખેતી કરતા ચેતનકુમાર ગણપતરામ પુરોહિતનો ચાર વર્ષ પહેલાં ભરૂચના નિપન નગરમાં રહેતા રાહુલ અરવિંદ પંચાલ સાથે પરિચય થયો હતો. ચેતને પોતે મુંબઈની આઈ.આઈ એફ.એલ.નામની કંપનીમાં શેર બ્રોકર કામ તરીકે કામ કરતો હોવાનું જણાવ્યું તેમજ વધુ વળતર આપવાની ચેતનકુમારને લાલચ આપી હતી.વધુ વળતરની લાલચે ચેતન પુરોહિત અને અન્ય 15 જેટલા લોકોએ રાહુલ પંચાલને રૂ.1.59 કરોડ આપ્યા હતા.
શરૂઆતમાં રાહુલ વિશ્વાસ કેળવવા કેટલાક રૂપિયા વળતર પેટે પરત પણ આપ્યા હતા જોનકે બાદમાં તેણે રૂપિયા ચુકાવવાનું બંધ કરી દીધું હતું જેને પગલે ભેજાબાજ વિરુદ્ધ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.પોલીસે આ મામલે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories