અંકલેશ્વર :ONGC કોલોની રાવણ,મેઘનાદ અને કુંભકર્ણના પૂતળાનું દહન, ભવ્ય આતાશબાજીથી આકાશ ઝગમગ્યુ

આજરોજ વિજયાદશમીના પર્વ નિમિત્તે અંકલેશ્વર ONGC કોલોની ખાતે રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાવણ મેઘનાદ અને કુંભકર્ણના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું

New Update
વિજયાદશમીના  અવસરની કરાય ભવ્ય ઉજવણી
Advertisment
અંકલેશ્વર ONGC કોલોની ખાતે ભવ્ય રામલીલા યોજાય
રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાનું દહન કરાયું
મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા
ભવ્ય આતાશબાજીથી આકાશ ઝગમગ્યુ
આજરોજ વિજયાદશમીના પર્વ નિમિત્તે અંકલેશ્વર ONGC કોલોની ખાતે રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાવણ મેઘનાદ અને કુંભકર્ણના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું
Advertisment
જગત જનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રીની પુર્ણાહુતી સાથે જ  દશેરાના દિવસે રાવણના પૂતળાનું દહન કરી લોકો પોતાનામાં રહેલા અહંકારને પણ દૂર કરે છે.એકતાના ભાવ સાથે દશેરાના તહેવાની ઠેર ઠેર ભવ્ય ઉજવણી કરવામાં આવે છે ત્યારે અંકલેશ્વર શહેરની ONGC કોલોની ખાતે રામલીલા સહિત  રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો. ઉત્તર ભારતીય સમાજ દ્વારા અહીં રામલીલાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાવણના 46 ફૂટ ઊંચા પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. ઉપરાંત કુંભકર્ણના 45 ફૂટ ઊંચા અને મેઘનાદના 45 ફૂટ ઊંચા પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરની ONGC કોલોની ખાતે છેલ્લા 48 વર્ષથી રાવણ દહનનો કાર્યક્રમ યોજાય છે, ત્યારે આજે દશેરા પર્વ પર અસત્ય પર સત્યની જીતની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
Advertisment
Read the Next Article

અંકલેશ્વર: કમોસમી વરસાદ સાથે પ્રદૂષણના દ્રશ્યો સામે આવ્યા, રાસાયણિક પાણી ખાડીમાં વહ્યું !

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં સી પમ્પીંગ સ્ટેશન ગેટ અને કેનાલ ઓવરફલો થતા રાસાયણિક પાણી અમરાવતી નદી અને છાપરા ખાડીમાં વહી ગયું જીપીસીબી દ્વારા નમૂના લેવામાં આવ્યા

New Update
  • અંકલેશ્વરમાં કમોસમી વરસાદ

  • કમોસમી વરસાદ સાથે પ્રદૂષણના દ્રશ્યો

  • પ્રદુષિત પાણી ઓવરફ્લો થયું

  • લાખો લીટર પાણી ખાડીમાં વહ્યું

  • જીપીસીબી દ્વારા નમૂના લેવામાં આવ્યા

Advertisment
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં સી પમ્પીંગ સ્ટેશન ગેટ અને કેનાલ ઓવરફલો થતા રાસાયણિક પાણી અમરાવતી નદી અને છાપરા ખાડીમાં વહી ગયું હતું. હજુ ચોમાસુ બેઠું નથી એ પૂર્વે જ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વરસાદી પાણી સાથે રાસાયણિક પાણી વિપુલ માત્રામાં વહી ગયું હતું.10 દિવસમાં બીજી વાર પડેલા માવઠામાં પ્રથમ માવઠામાં અમરાવતી નદીમાં માછલાંના મોત થયા હતા અને હવે બીજા માવઠામાં જળ સંપદા અને જમીન સંપદાને વ્યાપક નુકશાન થવાના દ્રશ્યો સામે આવ્યા છે.
ખાસ કરીને સી પમ્પીંગ સ્ટેશન પાસે નોટીફાઈડ વિભાગ દ્વારા બનાવેલ પાળો અને તેની નજીક મુકેલ ગેટ પર ઓવરફ્લો થઇને ઔદ્યોગિક વસાહતનું રાસાયણિક પાણી ખાડીમાં ધોધ સ્વરૂપે વહી રહ્યું હતું.આ અંગે જીવદયા પ્રેમીઓ જીપીસીબીને જાણ કરતા અધિકારીઓએ ત્વરિત અસરથી સ્થળ પર દોડી આવ્યા હતા અને સેમ્પલ લીધા હતા તેમજ નોટીફાઈડ વિભાગના અધિકારીઓ અને ઉદ્યોગ મંડળને પ્રિ મોન્સૂન કામગીરી અંતર્ગત પાળો ઉંચો કરવા તાકીદ કરવામાં આવી હતી. 
Advertisment