અંકલેશ્વર: બકરી ઇદ અને રથયાત્રાના પર્વને અનુલક્ષી શહેર પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની યોજાય બેઠક

અંકલેશ્વર શહેર પોલીસ મથકના પીઆઈ પી.જી.ચાવડાની અધ્યક્ષતામાં આગામી તહેવારોને લઈ શાંતિ સમિતિની બેઠક મળી હતી.

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • શહેર પોલીસ મથક ખાતે આયોજન કરાયું

  • શાંતિ સમિતિની બેઠક યોજાઇ

  • તહેવારોને ધ્યાને રાખી બેઠકનું આયોજન

  • હિન્દૂ-મુસ્લિમ સમાજના આગેવાનો જોડાયા

અંકલેશ્વર શહેર પોલીસ મથકના પીઆઈ પી.જી.ચાવડાની અધ્યક્ષતામાં આગામી તહેવારોને લઈ શાંતિ સમિતિની બેઠક મળી હતી.
જગન્નાથ રથયાત્રા અને બકરી ઇદના તહેવારો શાંતિ ભર્યા વાતાવરણમાં સંપન્ન થાય તે માટે અંકલેશ્વર શહેર પોલીસ મથકના પીઆઈ પી.જી.ચાવડાની અધ્યક્ષતામાં આગામી તહેવારોને લઈ શાંતિ સમિતિની બેઠક મળી હતી.જેમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.આ બેઠકમાં કોઈપણ અનિચ્છનીય ઘટના કે સોશ્યલ મીડિયામાં ખોટા મેસેજ વાયરલ કરતા પહેલા તેની ખરાઈ કરવા સાથે શાંતિપૂર્ણ માહોલમાં તહેવારોની ઉજવણી કરવામાં આવે તેવી અપીલ પોલીસ દ્વારા કરવામાં આવી છે.આ બેઠકમાં નગર પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત,શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના,મુસ્લિમ સમાજના આગેવાન વસીમ ફડવાલા સહિતના હિન્દૂ-મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Read the Next Article

ભરૂચ : નિકોરાના આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ,800થી વધુ બહેનોએ લીધો લાભ

નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે 13 વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ

New Update
  • સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન વિષય પર યોજાઈ શિબિર

  • નિકોરા આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે યોજાઈ શિબિર

  • રાજપૂત સમાજની દીકરીઓ માટે કરાયું આયોજન

  • 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ

  • રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘના હોદેદારોનું કરાયું સન્માન

ભરૂચના નિકોરા આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ હતી. જેમાં800થી વધારે બહેનોએ આ શિબિરનો લાભ લીધો હતો.

ભરૂચ તાલુકાના નિકોરા ગામેમાં નર્મદા નદીના કિનારે આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘ અને યુવા પાંખ ભરૂચ જિલ્લા દ્વારા આયોજિત સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિરમાં800બહેનોએ શિબિરનો લાભ લીધો હતો.

નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે13વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ આધુનિક યુગમાં પરિવારમાં સાંસ્કૃતિક સમસ્યાઓ થાય છેમેરેજ પછી  પોતાના જીવનમાં મૂલ્યવાન સમજણ આવે સાસરિયામાં પણ સંયુક્ત કુટુંબ સાથે રહી સમાજ અને પોતાનું નામ રોશન કરે તેવા ઉમદા હેતુથી સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં800થી વધુ દીકરીઓએ ઉપસ્થિત રહી પોતાના જીવનમાં પરિવર્તન માટેની હાંકલ  કરી હતી. આ સાથે જ આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના નવ  નિયુક્ત હોદ્દેદારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.