New Update
/connect-gujarat/media/media_files/2026/01/02/ankleshwar-police-2026-01-02-16-57-27.jpg)
અંકલેશ્વરના ચોર્યાસી ભાગોળ ખાતે રહેતો 23 વર્ષીય રોહન વસાવા ત્રણ રસ્તા માર્કેટ ખાતે શાકભાજીનો વેપાર કરે છે. યુવાનની માતા જોશનાબેન નવા બોરભાઠા ખાતે રહેતા પુષ્પાબહેન કીરીટ વસાવાને છેલ્લા 10 વર્ષ ઉપરાંતથી ઓળખે છે. પુષ્પાબેનને દશામાં આવતા હોય રોહનનું પરિવાર અવાર નવાર તેના ઘરે નવા બોરભાઠા ખાતે જતા હતા. શાકભાજીના વેપારીને એક મહિનાથી પેટમાં દુખાવો થતો હોય ગત 23 માર્ચે તેની બહેન અને માસી સાથે પુષ્પાબહેનના ધરે ગયા હતા. અને તકલીફ અંગે જાણ કરી હતી. ત્યારે આ મહિલાએ મંદીરે પગે લાગી બીજા દિવસે આવવા કહ્યું હતું.
જે બાદ યુવાન પોતાની માતા, બહેન અને ભાઈ સાથે પુષ્પાબહેનના ધરે ગયા હતા. જ્યાં તેઓ બેસતા આ ઢોગી મહિલાએ યુવાને પહેરેલી સોનાની ચેઇનમાં કોઈએ મેલીવિદ્યા કરી હોવાનું કહી કઢાવી, દશામાં પાસે મૂકી દીધી હતી. બીજા દિવસે બીજી ચેઇન, ત્યારબાદ સોનાની એક બાદ એક 5 વીંટી લઈ લીધી હતી.એટલું જ નહીં નિલમ ફર્નીચર માંથી રૂ 15 હજારનો બેડ બજાજ ફાયનાન્સ કાર્ડ ઉપર લઈ, રોકડા 20 હજાર પણ વિધિના નામે વિશ્વાસમાં લઈ પડાવી લીધા હતા.
બાદમાં યુવાનને પોતે અંધશ્રદ્ધામાં છેતરાયો હોવાની જાણ થતાં દશામાંના નામે લોકોને ધૂતતી મહિલા પાસે સોનાની બે ચેઇન, 5 વીંટી, રોકડા 20 હજાર અને બેડના 15 હજાર માંગતા ઠગ મહિલા પુષ્પાબેન ધમકીઓ આપવા લાગ્યા હતા. અંતે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે ₹4.44 લાખની મેલીવિદ્યાના નામે ઠગાઈ અંગે ફરિયાદ નોંધવાઈ હતી. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે દશામાંના નામે લૂંટનાર મહિલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories