અંકલેશ્વર: અષાઢી બીજે નિકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારી શરૂ

અંકલેશ્વરના ભરુચી નાકા વિસ્તારમાં આવેલ હરિ દર્શન ટાઉનશિપ કમાલીવાડી ખાતે ભગવાન શ્રી જગન્નાથ રથ યાત્રાને લઈ તડામાર તૈયારીઓમા આયોજકો જોડાયા છે

New Update

અંકલેશ્વરના ભરુચી નાકા વિસ્તારમાં આવેલ હરિ દર્શન ટાઉનશિપ કમાલીવાડી ખાતે ભગવાન શ્રી જગન્નાથ રથ યાત્રાને લઈ તડામાર તૈયારીઓમા આયોજકો જોડાયા છે

છેલ્લા 21 વર્ષથી અંકલેશ્વરના ભરૂચી નાકા પાસે આવેલ હરિ દર્શન ટાઉનશિપ કમાલીવાડી સ્થિત ભગવાન જગન્નાથ મંદિરે જગન્નાથ રથયાત્રા આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે સતત 22માં વર્ષે આયોજકો દ્વારા જગન્નાથ રથયાત્રાને લઇ તડામાર તૈયારી કરવામાં આવી રહી છે.7મી જુલાઇ અને રવિવારના રોજ ૧૧:30 કલાકે મંદિર ખાતેથી રથયાત્રા નીકળી ભરૂચી નાકા,જયોતિ ટોકિસ,ચૌટા બજાર સહિત વિવિધ વિસ્તારોમાં ફરી સેલાડવાડ થઈ પાંજરાપોળ થઈ મંદિરે પરત આવશે જે રથયાત્રાને લઈ યજ્ઞ,મહા પ્રસાદી,ભજન,મહા આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે હાલ આયોજકો દ્વારા મંદિર ખાતે રથને શણગાર કરવામાં આવી રહ્યો છે.અને આયોજકો દ્વારા ભાવિક ભક્તોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
Read the Next Article

અંકલેશ્વર: હાંસોટ પંથકમાં નવા વર્ષે કમોસમી વરસાદ, ખેડૂતોએ રસ્તા પર સુકવેલ ડાંગર પલળી ગયુ !

ભરૂચના હાંસોટ તાલુકાના જુના ઓભા સહિતના અનેક ગામોમાં બુધવારે બપોર બાદ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે.

New Update
Screenshot_2025-10-22-15-57-15-21_92460851df6f172a4592fca41cc2d2e6
ભરૂચના હાંસોટ તાલુકાના જુના ઓભા સહિતના અનેક ગામોમાં બુધવારે બપોર બાદ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે.અચાનક પડેલા આ વરસાદથી રસ્તાઓ પર સૂકવવા મુકાયેલ ડાંગર પલળી જવાથી ખેડૂતોમાં દોડધામ મચી જવા પામી હતી.
Advertisment
1/38

ખેડૂતોએ રસ્તા પર સુકવેલ ડાંગર પલળી ગયુ 

પાછલા દિવસોના વરસાદના કારણે ખેતરો પૂરતા સુકાયા ન હોવાથી ખેડૂતોએ ડાંગર રસ્તા પર સૂકવવા માટે મૂકી દીધું હતું પરંતુ અચાનક પડેલા વરસાદથી તે ડાંગર ભીનું થઈ ગયું, જેના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. વરસાદ શરૂ થતાં જ ખેડૂતો પોતાના પાકને બચાવવા દોડધામમાં લાગી ગયા હતા. ખેડૂતોએ જણાવ્યું હતું કે પાછોતરા વરસાદ બાદ હવામાન ખુલ્લું રહે તેમ લાગતું હતું, પરંતુ અચાનક પડેલા આ કમોસમી વરસાદે આખી મહેનત પર પાણી ફેરવી દીધું છે.