અંકલેશ્વર: અષાઢી બીજે નિકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારી શરૂ

અંકલેશ્વરના ભરુચી નાકા વિસ્તારમાં આવેલ હરિ દર્શન ટાઉનશિપ કમાલીવાડી ખાતે ભગવાન શ્રી જગન્નાથ રથ યાત્રાને લઈ તડામાર તૈયારીઓમા આયોજકો જોડાયા છે

New Update

અંકલેશ્વરના ભરુચી નાકા વિસ્તારમાં આવેલ હરિ દર્શન ટાઉનશિપ કમાલીવાડી ખાતે ભગવાન શ્રી જગન્નાથ રથ યાત્રાને લઈ તડામાર તૈયારીઓમા આયોજકો જોડાયા છે

છેલ્લા 21 વર્ષથી અંકલેશ્વરના ભરૂચી નાકા પાસે આવેલ હરિ દર્શન ટાઉનશિપ કમાલીવાડી સ્થિત ભગવાન જગન્નાથ મંદિરે જગન્નાથ રથયાત્રા આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે સતત 22માં વર્ષે આયોજકો દ્વારા જગન્નાથ રથયાત્રાને લઇ તડામાર તૈયારી કરવામાં આવી રહી છે.7મી જુલાઇ અને રવિવારના રોજ ૧૧:30 કલાકે મંદિર ખાતેથી રથયાત્રા નીકળી ભરૂચી નાકા,જયોતિ ટોકિસ,ચૌટા બજાર સહિત વિવિધ વિસ્તારોમાં ફરી સેલાડવાડ થઈ પાંજરાપોળ થઈ મંદિરે પરત આવશે જે રથયાત્રાને લઈ યજ્ઞ,મહા પ્રસાદી,ભજન,મહા આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે હાલ આયોજકો દ્વારા મંદિર ખાતે રથને શણગાર કરવામાં આવી રહ્યો છે.અને આયોજકો દ્વારા ભાવિક ભક્તોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.