અંકલેશ્વર : પંજાબ નેશનલ બેંક દ્વારા MSME લોન અંગે માર્ગદર્શનનો કાર્યક્રમ યોજાયો

MSME લોન અંગે માર્ગદર્શનમાં નાના અને મધ્યમ કદના ઉદ્યોગો માટે વ્યવસાય વિકસાવવા સાથે આર્થિક મુદ્દે મુંઝવતા પ્રશ્નના નિરાકરણ માટે ચર્ચા વિચારણા કરવામાં આવી

New Update
  • PNB બેંક દ્વારા MSME લોન અંગેનો યોજાયો કાર્યક્રમ

  • આર્થિક પ્રશ્નોના નિરાકરણ માટે યોજાયો કાર્યક્રમ

  • બેંકની વિવિધ યોજના અંતર્ગત માહિતી આપવામાં આવી

  • PNBના ઉચ્ચ અધિકારીઓ પણ રહ્યા ખાસ ઉપસ્થિત

  • બેંકના ખાતાધારકોએ મેળવ્યું માર્ગદર્શન 

અંકલેશ્વર જીઆઇડીસીના AIA ખાતે પંજાબ નેશનલ બેન્ક દ્વારા PNB MSME લોન સંદર્ભે માર્ગદર્શન કાર્યક્રમનું  આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાના અને મધ્યમ કદના ઉદ્યોગો માટે વ્યવસાય વિકસાવવા સાથે આર્થિક મુદ્દે મુંઝવતા પ્રશ્નના નિરાકરણ માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

પંજાબ નેશનલ બેંક દ્વારા કેન્દ્ર સરકારની નીતિ અનુસાર નાનામધ્યમ અને લાર્જ સ્કેલ ઉદ્યોગ માટે વિશેષ પ્રોગ્રામ PNB MSME  લોન અંગેના કાર્યક્રમનું  આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોશિએશનનાBEIL સેમિનાર હોલ ખાતે વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

મેક ઇન ઇન્ડિયાસ્કિલ ડેવલપમેન્ટ સાથે ઉદ્યોગોનો વિકાસ થઇ શકે અને નવા ઉદ્યોગોને આર્થિક મુંઝવતા પ્રશ્નોના નિરાકરણ માટે યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં તજજ્ઞ દ્વારા જરૂરી ફાઇનાન્સ સંબંધિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વધુમાં ઉદ્યોગોને વિશ્વ ફલક પર સ્પર્ધાત્મક સમયમાં પોતાનો વિકાસ કરી આગળ વધવા માટે સપોર્ટરના રૂપમાં બેંકની વિવિધ યોજના અંતર્ગત જાણકારી પણ આપવામાં આવી હતી.

પંજાબ નેશનલ બેંકના વડોદરા ઝોન ઓફિસ અને ભરૂચ પંજાબ નેશનલ બેંકના ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં પંજાબ નેશનલ બેંકના GM સંજીવ ભારદ્વાજવડોદરા મંડળ પ્રમુખ રાકેશ કુમારઆસિસ્ટન્ટ જનરલ મેનેજર અમદાવાદના હરવિંદર ભલ્લા,નાગેન્દ્ર સિંઘ તેમજ બેંકના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories