અંકલેશ્વર: રાજપુરોહિત મહિલા મંડળ દ્વારા ફાગણ ઉત્સવ-રંગીલો રાજસ્થાનનું આયોજન કરાયું

અંકલેશ્વરમાં રાજપુરોહિત મહિલા મંડળ દ્વારા ફાગણ ઉત્સવ-રંગીલો રાજસ્થાનનું આયોજન કરવામાં આવ્યું જેમાં નગર પાલિકાના પ્રમુખ લલિતા રાજપુરોહિત સહિત મોટી સંખ્યામાં મહિલાઓ જોડાય

New Update
Phagan Utasav Ankleshwar
અંકલેશ્વર રાજપુરોહિત મહિલા મંડળ દ્વારા ફાગણ ઉત્સવ-રંગીલો રાજસ્થાનનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાય હતી. અંકલેશ્વરમાં રાજપુરોહિત મહિલા મંડળ દ્વારા ફાગણ ઉત્સવ-રંગીલો રાજસ્થાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
Phagan Utasav
જેમાં નિરમા રાજપુરોહિતે રાજપુરોહિત સમુદાયની તમામ મહિલાઓ અને નવી પેઢીને ફાગુન અને તેનું મહત્વ સમજાવ્યું હતું.આ કાર્યક્રમમાં નૃત્ય, ગાયન અને ઘૂમરની સાથે, સમુદાયના બાળકોએ તલવારબાજીનું પણ પ્રદર્શન કર્યું હતું.આ કાર્યક્રમમાં નગર પાલિકાના પ્રમુખ લલિતા રાજપુરોહિત, ઇનર વ્હીલ ક્લબના પ્રમુખ હર્ષા જકાસાનિયા,પ્રભાજી પારેખ, અને રચના ખંડેલવાલ તેમજ સમાજની બહેનો ઉપસ્થિત રહી હતી.
Latest Stories