અંકલેશ્વર: સંસ્કાર દીપ ટ્રસ્ટ દ્વારા પ્રાથમિક શાળાના આચાર્યોનો વિજ્ઞાન પ્રસાર સ્નેહમિલન સમારોહ યોજાયો

અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા હાંસોટ, ઝઘડિયા, વાલીયા અને અંકલેશ્વર તાલુકાની પ્રાથમિક શાળાના આચાર્યોના વિજ્ઞાન પ્રસાર સ્નેહમિલન સમારોહનું પી.ડી.શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલય ખાતે આયોજન કરવામાં આવ્યું

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • સંસ્કાર દીપ ટ્રસ્ટ ડકાર આયોજન કરાયું

  • આચાર્યોનો વિજ્ઞાન પ્રસાર સ્નેહમિલન સમારોહ યોજાયો

  • પ્રાથમિક શાળાના આચાર્યો રહ્યા ઉપસ્થિત

  • માર્ગદર્શન આપવામાં આવ્યું

અંકલેશ્વરના સંસ્કારદીપ ટ્રસ્ટ અને અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા પ્રાથમિક શાળાના આચાર્યોના વિજ્ઞાન પ્રસાર સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વરના સંસ્કારદીપ ટ્રસ્ટ અને c હતું.
જેમાં અંકુર હોબી સેન્ટર અમદાવાદના ધનંજય રાવલે માર્ગદર્શક વક્તવ્ય આપ્યું હતું. આ પ્રસંગે તાલુકા કક્ષાના જલ્પાબહેન, અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડીયા સુયોગ ડાયકેમના ચંદ્રેશ દેવાણી, નોટિફાઇડ એરીયાના પ્રમુખ આમુલક પટેલ, ઇન્ચાર્જ સંકુલ નિયામક દીપ્તિ ત્રિવેદી, ઇન્ચાર્જ આચાર્ય કૃપા નેવે તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.વિજ્ઞાન વિષયને રસપ્રદ બનાવવા માટે આચાર્યોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
Read the Next Article

અંકલેશ્વર : અંદાડા નજીક ગૌચરણમાં બનેલા RCC રોડ સહિતના ગેરકાયદે દબાણો દૂર કરવા સ્થાનિકોની માંગ...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ નજીક ગૌચરણમાં પાકા રસ્તાઓ સહિતના અન્ય દબાણો દૂર કરવાની માંગ સાથે સ્થાનિકો સહિત માલધારી સમાજએ વિરોધ નોંધાવ્યો હતો.

New Update
  • અંદાડા ગામ નજીક ગૌચરણમાં થયેલા દબાણનો મામલો

  • RCC પાકા રસ્તાઓ સહિતના અન્ય દબાણો ઊભા કરાયા

  • સ્થાનિકો સહિત માલધારી સમાજ દ્વારા વિરોધ નોંધાવાયો

  • ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે સ્થાનિકોએ માંગ કરી

  • નોટીસની અવગણના કરી બિલ્ડરોની મનમાની : સ્થાનિક

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ નજીક ગૌચરણમાં પાકા રસ્તાઓ સહિતના અન્ય દબાણો દૂર કરવાની માંગ સાથે સ્થાનિકો સહિત માલધારી સમાજએ વિરોધ નોંધાવ્યો હતો.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામને નેશનલ હાઈવે સાથે જોડતા માર્ગને અડીને આવેલ ગૌચરણમાં છેલ્લા ઘણા સમયથી પાકા રસ્તાઓ તેમજ અન્ય દબાણો ઉભા કરવામાં આવ્યા છે. અંદાડા ગ્રામ પંચાયત હસ્તકના સરકારી ગૌચરમાં કેટલાંક બિલ્ડરો દ્વારા પોતે બનાવેલ સોસાયટીમાં જવા-આવવા માટેના પાકા RCC રસ્તો બનાવી દેવામાં આવ્યો છે. એટલું જ નહીંબિલ્ડરો દ્વારા કેટલાંક અન્ય પ્રકારના દબાણો ઉભા કરી સરકારી ગૌચારણમાં ગેરકાયદેસર કબજા ટક કરી બેઠા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કેઅંદાડા ગામને નેશનલ હાઈવે સાથે જોડતા માર્ગને અડીને આવેલ ગૌચરણમાં હાલમાં બની રહેલ પાકા RCC રસ્તાના કામને તાત્કાલિક અસરથી રોકી દેવા ગ્રામ પંચાયત દ્વારા નોટીસ આપવામાં આવી હતી. તેમ છતાં નોટીસની અવગણના કરીને બિલ્ડરો દ્વારા કામ ચાલુ રાખવામાં આવ્યું છેત્યારે ગુજરાત સરકારના ગૌચર અધિનિયમ અને જોગવાઈઓને ધ્યાનમાં લઈ અંદાડા ગ્રામ પંચાયતના સત્તા ક્ષેત્રમાં આવેલ ગૌચરમાં બિલ્ડરો દ્વારા જેટલા પણ પાકા RCC રસ્તાઓ સહિત દબાણ કરવામાં આવ્યું છે. જેને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ ઉઠી છે.