અંકલેશ્વર: સંસ્કારદીપ ટ્રસ્ટ દ્વારા જનની ચિંતન સભાના 18માં વાર્ષિકોત્સવની ઉજવણી કરાઈ,માતૃ ગૌરવ ઉજાગર કરતા કાર્યક્રમ યોજાયા

અંકલેશ્વરના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટરમાં જનની ચિંતન સભા માતૃ ગૌરવ ઉજાગર કરતો કાર્યક્રમ યોજાયો હતો,18માં વાર્ષિકોત્સવ નિમિત્તે વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી

author-image
By Connect Gujarat Desk
New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • સંસ્કારદીપ ટ્રસ્ટ દ્વારા આયોજન કરાયું

  • જનની ચિંતન સભાનો 18મો વાર્ષિકોત્સવ યોજાયો

  • માતૃ ગૌરવ ઉજાગર કરતા કાર્યક્રમ યોજાયા

  • આમંત્રિતો રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વરના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટરમાં જનની ચિંતન સભા માતૃ ગૌરવ ઉજાગર કરતો કાર્યક્રમ યોજાયો હતો,18માં વાર્ષિકોત્સવ નિમિત્તે વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. અંકલેશ્વર જીઆઇડીસી ખાતેની શૈક્ષણિક ક્ષેત્રે કાર્યરત સંસ્કારદીપ ટ્રસ્ટ દ્વારા જનની ચિંતન સભાનો 18મો વાર્ષિકોત્સવ યોજાયો હતો.

માતૃ ગૌરવ ઉજાગર કરતા આ કાર્યક્રમ  અંકલેશ્વરના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે યોજાયો હતો.જેમાં વિજ્ઞાન અને આધ્યાત્મિકતા સાથે યોગ-સંયોગ,સંગીતમય યોગ,બાળક ઝંખે સમય અને નૃત્ય,મોબાઈલનું જંતરમંતરમોબાઈલના ગોટાળા,માતા એક જીવન શિક્ષિકા,ગરબો સહિતના કાર્યક્રમો યોજાયા હતા.જેમાં ભાગ લેનાર ઉત્સાહી સ્પર્ધકોએ સુંદર કૃતિઓ રજૂ કરીને ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

આ કાર્યક્રમમાં જનની ચિંતન સભાના કન્વીનર સુધા વડગામાસંસ્કારદીપના આચાર્ય દીપ્તિ ત્રિવેદી અને કો-કન્વીનર અંશુ તિવારી તેમજ ટ્રસ્ટના સભ્યો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

અંકલેશ્વર: હાંસોટની પંડવાઈ સુગર ફેક્ટરીને બેસ્ટ ફાયનાન્સીયલ મેનેજમેન્ટ કેટેગરીમાં સમગ્ર ભારત દેશમાં બીજા ક્રમનો એવૉર્ડ એનાયત

નવી દિલ્હી ખાતે નેશનલ ફેડરેશન ઓફ કો-ઓપરેટિવ સુગર ફેક્ટરીસ લી. દ્વારા આયોજીત "Cooperative Sugar Industry Conclave 2025" & "National Efficiency Awards Ceremony"માં

New Update
IMG-20250704-WA0064
નવી દિલ્હી ખાતે નેશનલ ફેડરેશન ઓફ કો-ઓપરેટિવ સુગર ફેક્ટરીસ લી. દ્વારા આયોજીત "Cooperative Sugar Industry Conclave 2025" & "National Efficiency Awards Ceremony"માં ભારત સરકારના  કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી અને  કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયાના હસ્તે ભરૂચના હાંસોટમાં આવેલ પંડવાઈ સુગર ફેટકરીને વાર્ષિક કાર્યક્ષમતા પુરસ્કાર 2023-24 હેઠળ બેસ્ટ ફાયનાન્સીયલ મેનેજમેન્ટ કેટેગરીમાં સમગ્ર ભારત દેશમાં બીજા ક્રમનો એવૉર્ડ મળ્યો હતો.સુગર ફેકટરીના ચેરમેન અને અંકલેશ્વર-હાંસોટના ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલે આ એવોર્ડ સ્વીકાર્યો હતી.

IMG-20250704-WA0073

આ અંગે ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે આ પુરસ્કાર સહકારી ક્ષેત્રમાં પારદર્શિતા, જવાબદારી અને મજબૂત નાણાકીય શિસ્તનું પ્રતીક છે. આ સિદ્ધિ  તમામ ડિરેક્ટર, તમામ વિભાગનાં વડા, એન્જીનીયર, કેમીસ્ટ, કર્મચારી સહીત સભાસદમિત્રો/ખેડૂતોમિત્રો અને સહયોગીઓની સામૂહિક મહેનત અને વિશ્વાસનું પરિણામ છે.અમે આ સન્માનને વધુ પ્રગતિ અને પારદર્શક કામગીરી માટે પ્રેરણા તરીકે સ્વીકારીએ છીએ