અંકલેશ્વર: સંસ્કારદીપ ટ્રસ્ટ દ્વારા જનની ચિંતન સભાના 18માં વાર્ષિકોત્સવની ઉજવણી કરાઈ,માતૃ ગૌરવ ઉજાગર કરતા કાર્યક્રમ યોજાયા

અંકલેશ્વરના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટરમાં જનની ચિંતન સભા માતૃ ગૌરવ ઉજાગર કરતો કાર્યક્રમ યોજાયો હતો,18માં વાર્ષિકોત્સવ નિમિત્તે વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી

author-image
By Connect Gujarat Desk
New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • સંસ્કારદીપ ટ્રસ્ટ દ્વારા આયોજન કરાયું

  • જનની ચિંતન સભાનો 18મો વાર્ષિકોત્સવ યોજાયો

  • માતૃ ગૌરવ ઉજાગર કરતા કાર્યક્રમ યોજાયા

  • આમંત્રિતો રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વરના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટરમાં જનની ચિંતન સભા માતૃ ગૌરવ ઉજાગર કરતો કાર્યક્રમ યોજાયો હતો,18માં વાર્ષિકોત્સવ નિમિત્તે વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. અંકલેશ્વર જીઆઇડીસી ખાતેની શૈક્ષણિક ક્ષેત્રે કાર્યરત સંસ્કારદીપ ટ્રસ્ટ દ્વારા જનની ચિંતન સભાનો 18મો વાર્ષિકોત્સવ યોજાયો હતો.

માતૃ ગૌરવ ઉજાગર કરતા આ કાર્યક્રમ  અંકલેશ્વરના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે યોજાયો હતો.જેમાં વિજ્ઞાન અને આધ્યાત્મિકતા સાથે યોગ-સંયોગ,સંગીતમય યોગ,બાળક ઝંખે સમય અને નૃત્ય,મોબાઈલનું જંતરમંતરમોબાઈલના ગોટાળા,માતા એક જીવન શિક્ષિકા,ગરબો સહિતના કાર્યક્રમો યોજાયા હતા.જેમાં ભાગ લેનાર ઉત્સાહી સ્પર્ધકોએ સુંદર કૃતિઓ રજૂ કરીને ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

આ કાર્યક્રમમાં જનની ચિંતન સભાના કન્વીનર સુધા વડગામાસંસ્કારદીપના આચાર્ય દીપ્તિ ત્રિવેદી અને કો-કન્વીનર અંશુ તિવારી તેમજ ટ્રસ્ટના સભ્યો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ: સંત નિરંકારી મિશન દ્વારા ઝોનલ બાળ સમાગમનું આયોજન કરાયું, મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉમટ્યા

ભરૂચમાં સંત નિરંકારી મિશન દ્વારા શ્રી નીલકંઠ મહાદેવ મંદિર ખાતે ઝોનલ બાળ સમાગમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના વિવિધ જિલ્લામાંથી અનુયાયીઓ ઉમટ્યા હતા

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • સંત નિરંકારી મિશન દ્વારા આયોજન

  • ઝોનલ બાળ સમાગમ યોજાયું

  • બાળકોએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી

  • મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉમટ્યા

ભરૂચમાં સંત નિરંકારી મિશન દ્વારા શ્રી નીલકંઠ મહાદેવ મંદિર ખાતે ઝોનલ બાળ સમાગમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના વિવિધ જિલ્લામાંથી અનુયાયીઓ ઉમટ્યા હતા
ભરૂચ શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે સંત નિરંકારી મિશન દ્વારા ઝોનલ બાળ સમાગમનું  આયોજન કરવામાં આવ્યું હતું. આ સમાગમમાં ભરૂચ ઉપરાંત અંકલેશ્વર, બીલ, રાજપીપળા અને વલ્લભ વિદ્યાનગરમાંથી મોટી સંખ્યામાં અનુયાયીઓએ હાજરી આપી હતી. આ પ્રસંગે મુંબઈથી પધારેલા સંત પ્રવીણ છાબડાજીના હસ્તે બાલ પ્રદર્શનીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. પ્રદર્શનમાં બાળકો દ્વારા તૈયાર કરાયેલા શૈક્ષણિક, ધાર્મિક અને સામાજિક સંદેશ આપતા મોડેલ્સ અને ચિત્રકળા પ્રદર્શિત કરવામાં આવી હતી.બાળ સમાગમ અંતર્ગત બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા.આ સમાગમને સફળ બનાવવા માટે ભરૂચ ઝોનના સેવાદળના સ્વયંસેવકો અને નિરંકારી મિશનના અધિકારીઓએ અવિરત મહેનત કરી હતી.