અંકલેશ્વર: સંસ્કારદીપ ટ્રસ્ટ દ્વારા જનની ચિંતન સભાના 18માં વાર્ષિકોત્સવની ઉજવણી કરાઈ,માતૃ ગૌરવ ઉજાગર કરતા કાર્યક્રમ યોજાયા

અંકલેશ્વરના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટરમાં જનની ચિંતન સભા માતૃ ગૌરવ ઉજાગર કરતો કાર્યક્રમ યોજાયો હતો,18માં વાર્ષિકોત્સવ નિમિત્તે વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી

author-image
By Connect Gujarat Desk
New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • સંસ્કારદીપ ટ્રસ્ટ દ્વારા આયોજન કરાયું

  • જનની ચિંતન સભાનો 18મો વાર્ષિકોત્સવ યોજાયો

  • માતૃ ગૌરવ ઉજાગર કરતા કાર્યક્રમ યોજાયા

  • આમંત્રિતો રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વરના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટરમાં જનની ચિંતન સભા માતૃ ગૌરવ ઉજાગર કરતો કાર્યક્રમ યોજાયો હતો,18માં વાર્ષિકોત્સવ નિમિત્તે વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. અંકલેશ્વર જીઆઇડીસી ખાતેની શૈક્ષણિક ક્ષેત્રે કાર્યરત સંસ્કારદીપ ટ્રસ્ટ દ્વારા જનની ચિંતન સભાનો 18મો વાર્ષિકોત્સવ યોજાયો હતો.

માતૃ ગૌરવ ઉજાગર કરતા આ કાર્યક્રમ  અંકલેશ્વરના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે યોજાયો હતો.જેમાં વિજ્ઞાન અને આધ્યાત્મિકતા સાથે યોગ-સંયોગ,સંગીતમય યોગ,બાળક ઝંખે સમય અને નૃત્ય,મોબાઈલનું જંતરમંતરમોબાઈલના ગોટાળા,માતા એક જીવન શિક્ષિકા,ગરબો સહિતના કાર્યક્રમો યોજાયા હતા.જેમાં ભાગ લેનાર ઉત્સાહી સ્પર્ધકોએ સુંદર કૃતિઓ રજૂ કરીને ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

આ કાર્યક્રમમાં જનની ચિંતન સભાના કન્વીનર સુધા વડગામાસંસ્કારદીપના આચાર્ય દીપ્તિ ત્રિવેદી અને કો-કન્વીનર અંશુ તિવારી તેમજ ટ્રસ્ટના સભ્યો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ : જિલ્લા જેલમાંથી આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદીની 14 વર્ષ બાદ વહેલી મુક્તિથી પરિવારજનોમાં ખુશી

 ભરૂચ જિલ્લા જેલ ખાતે મર્ડર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદી (કેદી ક્રમાંક 35359) નવીન ઝીણાભાઈ પટેલને રાજ્ય સરકારના નિર્ણય મુજબ આજે વહેલી મુક્તિ મળી હતી.

New Update

આજીવન કેળના કેદીની મુક્તિ

14 વર્ષ બાદ જેલમાંથી મળી મુક્તિ

જેલ અધિક્ષક દ્વારા કરવામાં આવી કાર્યવાહી

સારા વર્તનથી જેલમાંથી મળી મુક્તિ

પરિવારજનોમાં સર્જાયા લાગણીસભર દ્રશ્યો

ભરૂચ જિલ્લા જેલ ખાતે મર્ડર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદી (કેદી ક્રમાંક 35359) નવીન ઝીણાભાઈ પટેલને રાજ્ય સરકારના નિર્ણય મુજબ આજે વહેલી મુક્તિ મળી હતી. તેમણે અત્યાર સુધી 14 વર્ષથી વધુ સમય જેલમાં વિતાવ્યા હતા અને સમગ્ર અવધિ દરમિયાન તેમનું વર્તન ઉત્તમ રહ્યું હતું.

જેલ અધિક્ષકે જણાવ્યું હતું કેભારતીય ન્યાય સંહિતા (B.N.S.S.)ની કલમ-473 મુજબ પાત્રતા ધરાવતા કેદીની વહેલી મુક્તિ માટે જેલ અધિક્ષક વી.એમ.ચાવડાએ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. સંબંધિત અધિકારીઓ અને જેલ સલાહકાર સમિતિ પાસેથી હકારાત્મક અભિપ્રાય મેળવી સરકારને દરખાસ્ત મોકલવામાં આવી હતી. રાજ્ય સરકારે બાકી રહેલી સજા માફ કરી તેમને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.જેલ બહાર આવતા જ નવીન  પટેલને મળવા તેમના પરિવારજનો અને સ્નેહીજનો હાજર રહ્યા હતા. લાંબા વિરામ પછી મળતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા અને ખુશીની લહેર જોવા મળી હતી.જેલ અધિક્ષકે તેમને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવીને વિદાય આપી હતી.