અંકલેશ્વર: હાંસોટના ઇલાવ ગામના આરવ પટેલની સ્ટેટ ફૂટબોલ ટીમમાં પસંદગી

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એશો.દ્વારા હાલમાં કેમ્પ યોજાશે જેમાં પસંદગી પામનાર ખેલાડીઓને પ્રી નેશનલ લેવલના કેમ્પમાં સ્થાન આપવામાં આવશે.આ સિદ્ધિ બદલ આરવ પટેલે તેના પરિવારજનો અને કોચનો આભાર વ્યક્ત કર્યો..

New Update
ભરૂચના હાંસોટના ઇલાવ ગામનું ગૌરવ
14 વર્ષીય આરવ પટેલની સ્ટેટ ફૂટબોલ ટીમમાં પસંદગી
તાલુકા અને જિલ્લા બાદ રાજ્યકક્ષાએ પસંદગી પામ્યો
સ્ટેટ લેવલ બાદ પ્રી નેશનલ કેમ્પમાં જશે
ફૂટબોલમાં ભારતીય ટીમમાં સ્થાન મેળવવાની ઇરછા 
ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામના આરવ પટેલની ગુજરાત સ્ટેટ ફૂટબોલ સબ જુનિયર ટીમમાં પસંદગી થઈ છે હાલના બાળકોને ક્રિકેટનું ઘેલું લાગ્યું છે ત્યારે અંકલેશ્વરના 14 વર્ષબ વિદ્યાર્થીએ ફૂટબોલની રમતમાં કાઠુ કાઢ્યું છે.
ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામના અને હાલ અંકલેશ્વર જીઆઈડીસીમાં રહેતા જીગ્નેશ પટેલના પુત્ર આરવ પટેલની ગુજરાત સ્ટેટ ફૂટબોલ સબ જુનિયર ટીમમાં પસંદગી થઈ છે.આરવ હાલ સી.એમ.એકેડમીમાં અભ્યાસ કરે છે તેને નાનપણથી જ ફૂટબોલ રમવાનો ઘણો શોખ હતો અને તે તાલુકા અને જિલ્લા કક્ષાએ પસંદગી પામ્યા બાદ હવે તેની રાજ્યની ફૂટબોલ જુનિયર ટીમ માટે પસંદગી થઈ છે.
ગુજરાત સ્ટેટ ફૂટબોલ એશો.દ્વારા હાલમાં કેમ્પ યોજાશે જેમાં પસંદગી પામનાર ખેલાડીઓને પ્રી નેશનલ લેવલના કેમ્પમાં સ્થાન આપવામાં આવશે.આ સિદ્ધિ બદલ આરવ પટેલે તેના પરિવારજનો અને કોચનો આભાર વ્યક્ત કર્યો છે. સાથે જ ફૂટબોલમાં ભારતીય ટીમમાં પસંદગી પામવાની તેની ઇરછા છે.સ્ટેટ લેવલની ટીમમાં પસંદગી થતા આરવના ઘરમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો.પરિવારજનોએ કેક કાપી ઉજવણી કરી હતી.
Read the Next Article

ભરૂચ : અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર કાર ચાલકે અડફેટે લેતા બાઈક સવારનું ઘટના સ્થળે મોત, પોલીસે તપાસ આરંભી...

કાર ચાલકે બાઈક સવારને ટક્કર મારી હતી. જેના કારણે બાઈક સવાર રાજુભાઈ ચખલીયા બાઈક સાથે રોડ પર ફંગોળાયા હતા, જેથી તેઓને શરીરે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું

New Update
  • અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત

  • કાર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં એક વ્યક્તિનું મોત

  • કાર ચાલકે બાઈક સવાર યુયાવ્કને અડફેટે લેતા કરૂણ મોત

  • સ્થળ પર પરિવારના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું

  • પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ કરી 

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલકે અડફેટે લેતા બાઈક સવારનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસારભરૂચ જિલ્લાના અંકલેશ્વરથી ઝઘડિયાને જોડતા મુખ્ય માર્ગની કામગીરી ચાલી રહી છે. આ વચ્ચે ઉછાલી નજીક નાના પુલીયા તેમજ એપ્રોચ રોડની ચાલતી કામગીરીના પગલે માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે. એટલું જ નહીંદઢાલ બ્રિજ પર પડેલા મસમોટા ખાડા અકસ્માતનું નિમિત્ત બની રહ્યા છે.

તેવામાં આજરોજ અંકલેશ્વરના ઉછાલી ગામ નજીક ભારત પેટ્રોલિયમ પાસે ઉછાલી ગામના રણુજા ફાર્મમાં રહેતા 36 વર્ષીય શ્રમિક રાજુભાઈ ચખલીયા બાઈક પર ઉછાલી નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે દરમ્યાન કાર ચાલકે બેફિકરાઈ ભરી રીતે ખાડે ગયેલા રોડ પર પણ પૂરપાટ આવતા બાઈક સવારને ટક્કર મારી હતી. જેના કારણે બાઈક સવાર રાજુભાઈ ચખલીયા બાઈક સાથે રોડ પર ફંગોળાયા હતાજેથી તેઓને શરીરે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

બનાવની જાણ થતાં જ પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતાજ્યાં પરિવારજનો હૈયાફાટ રુદનથી વાતાવરણમાં ગમગીની છવાય હતી. ઘટના અંગે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ફરાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલેખનીય છે કેમાર્ગના નવીનીકરણ વચ્ચે વરસાદના પગલે માર્ગ વધુ બિસ્માર બન્યો છેજેથી વાહન ચાલકો ખાડામાં પટકાઈને અકસ્માતને ભેટી રહ્યા છેત્યારે મંથર ગતિએ ચાલતા રોડના નવીનીકરણ અને પુલની કામગીરીને લઇ લોકોમાં રોષ ફેલાયો છે.