અંકલેશ્વર: સારંગપુરના લક્ષમણ નગરમાં સાપ નિકળતા દોડધામ, જીવદયા પ્રેમી દ્વારા કરાયુ રેસ્ક્યુ

અંકલેશ્વર અને આસપાસના વિસ્તારોમાં સરીસૃપો રહેણાંક વિસ્તારમાં આવી ચઢતા હોવાના અનેક બનાવો બને છે ત્યારે આજે ફરી એકવાર અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામમાં

New Update
vlcsnap-2024-11-25-09h46m53s262
અંકલેશ્વરના સારંગપુર ગામમાં આવેલ લક્ષ્મણ નગર સોસાયટીમાં સાપ નિકળતા જીવ દયાપ્રેમી દ્વારા સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું

અંકલેશ્વર અને આસપાસના વિસ્તારોમાં સરીસૃપો રહેણાંક વિસ્તારમાં આવી ચઢતા હોવાના અનેક બનાવો બને છે ત્યારે આજે ફરીએકવાર અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામમાં આવેલ લક્ષ્મણ નગર સોસાયટીમાં સાપ નીકળ્યો હતો.સાપને જોતા લોકોમાં દોડધામ મચી જવા પામી હતી.આ અંગે જીવદયા પ્રેમીને જાણ કરવામાં આવતા જીવદયા પ્રેમી કમલેશ વસાવા પહોંચ્યા હતા અને સાપનું રેસ્ક્યુ કર્યું હતું. જીવદયા પ્રેમી દ્વારા સાપને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.રસલ વાઈપર નામના સાપનું જીવદયા પ્રેમી દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.