અંકલેશ્વર: સ્ટેટ મોનીટરીંગ સેલનો સપાટો, ટ્રકમાં ઉનની આડમાં લઈ જવાતો રૂ.70 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

પોલીસે ટ્રકમાંથી રૂપિયા 70.39 લાખની કિંમતની વિદેશી દારૂની 7896 નંગ બોટલ કબજે કરી હતી. પોલીસે ટ્રકચાલક અને રાજસ્થાનના રહેવાસી પીન્ટુ સિંહ નટુસિંગ રાવતની ધરપકડ કરી

New Update
  • અંકલેશ્વરમાં સ્ટેટ મોનીટરીંગ સેલની મોટી રેડ

  • નેશનલ હાઇવે પરથી ઝડપાયો વિદેશી દારૂ

  • રૂ.70 લાખના દારૂ સાથે આરોપીની ધરપકડ

  • ટ્રકમાં ઉનની આડમાં લઇ જવાતો હતો દારૂ

  • રૂ.90 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રકમાં ઊનની આડમાં લઈ જવાતો રૂપિયા 70 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઝડપી પાડતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે નેશનલ હાઇવે નંબર 48 પરથી વિદેશી દારૂના મોટા જથ્થાની હેરાફેરી થનાર છે જેના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અંકલેશ્વર નજીક હાઇવે પર આવેલ મૂલડ ટોલ પ્લાઝા નજીક વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમીવાળી ટ્રક આવતા તેને રોકી તપાસ કરતા અંદરથી પ્રથમ તો ઉનનો જથ્થો મળી આવ્યો હતો જોકે પોલીસે ચોકસાઈ પૂર્વક તપાસ કરતા ઉનની આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે ટ્રકમાંથી રૂપિયા 70.39 લાખની કિંમતની વિદેશી દારૂની 7896 નંગ બોટલ કબજે કરી હતી. પોલીસે ટ્રકચાલક અને રાજસ્થાનના રહેવાસી પીન્ટુ સિંહ નટુસિંગ રાવતની ધરપકડ કરી તેની પૂછપરછ કરતા તે દારૂનો જથ્થો ગોવાથી લાવ્યો હતો અને કચ્છના ગાંધીધામ પહોંચાડવાનો હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસે આ મામલામાં કુલ 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા.જ્યારે ટ્રક, મોબાઈલ અને રોકડ રકમ મળી કુલ રૂપિયા 90. 79લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.મામલાની વધુ તપાસ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ ચલાવી રહી છે.
Read the Next Article

નર્મદા : ગુજરાત વિધાનસભાની ખાતરી સમિતિ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરની લીધી મુલાકાત

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિએ 10મી, જુલાઈના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી,અને સરદાર વલ્લભાઇ પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા.

New Update

ખાતરી સમિતિSOUની મુલાકાતે

સભ્યોએ લીધીSOUની મુલાકાત

સરદાર સાહેબની પ્રતિમાના કર્યા દર્શન

ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા

આ પ્રસંગે પીએમ મોદીનો માન્યો આભાર

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિએ 10મીજુલાઈના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી,અને સરદાર વલ્લભાઇ પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા.

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિના પ્રમુખ કિરીટસિંહ રાણાની આગેવાની હેઠળ સમિતિના સભ્ય કિરીટકુમાર પટેલ,સુખાજી ઠાકોર હાર્દિક પટેલકિરીટસિંહ ડાભી અને ભગા બારડે સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) પરિસરની મુલાકાત લીધી હતી.સભ્યોએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઉંચી આ ભવ્ય પ્રતિમાની સમક્ષ ઊભા રહીને ગૌરવની લાગણી અનુભવી હતી. આ પ્રસંગે તેમણે સરદાર સાહેબના વિચારો અને દેશની એકતા અને અખંડિતતા માટે આપેલ બહુમૂલ્ય યોગદાનને યાદ કરીને પ્રતિમાના દર્શન કરીને ભાવવંદના કરી હતી.

આ પ્રસંગે સમિતીના સભ્ય હાર્દિક પટેલે જણાવ્યુ કેસ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર પ્રતિમા નથી પણ ભારત દેશના સ્વાભિમાનનું સ્થાન છેસરદાર પટેલનો શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમથી સમગ્ર ભારતમાં પ્રસર્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રદર્શનમાં સરદાર પટેલે કરેલા સંઘર્ષની હકીકત બતાવવાનો પ્રયાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો છે. 

ખાતરી સમિતીના સભ્ય કિરીટ પટેલે પોતાના પ્રતિભાવ વ્યક્ત કરતા જણાવ્યું કેઆજે સમિતિના ચેરમેન અને સભ્યો સાથે મુલાકાત કરીસૌથી પહેલા સુંદર પ્રતિમા બનાવવાનો વિચાર વડાપ્રધાન નરેન્દ્ર  મોદીને આવ્યોતેમને અભિનંદન આપું છુઆજે વિશ્વસ્તરે સુંદર મૂર્તિ તેઓએ બનાવી છે. લોખંડી પુરુષ સરદાર પટેલે સમગ્ર ભારતને એક તાંતણે જોડયો હતોતેમનું યોગદાન લોકોના દિલ અને દિમાગમાં રહે તે માટે પ્રદર્શન કક્ષમાં સુંદર વ્યવસ્થા કરી છે તેમને અભિનંદન આપુ છે અને ખાસ કરીને જે લોકોને આ વિચાર આવ્યો હોય તેમનો આભાર માનું છુ.