અંકલેશ્વર “સુરસંગમ” : એમ.એસ.જોલી ઓડિટોરિયમ-પાનોલી ખાતે ઉદ્યોગપતિ અનુરીત જોલી સહિતના ગાયકોએ સદાબહાર ગીતો રજૂ કર્યા

અંકલેશ્વરના પાનોલી GIDC સ્થિત એમ.એસ.જોલી ઓડિટોરિયમ ખાતે ઉદ્યોગપતિ અનુરીત જોલી દ્વારા સદાબહાર ગીતોના સથવારે “અંકલેશ્વર સુરસંગમ-2025” મ્યુઝિકલ મીટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

New Update
  • અંકલેશ્વરના ઉદ્યોગપતિ અનુરીત જોલી દ્વારા આયોજન

  • અંકલેશ્વર સુરસંગમ-2025” મ્યુઝિકલ મીટનું આયોજન

  • MS જોલી ઓડીટોરીયમ-પાનોલી ખાતે યોજાયો કાર્યક્રમ

  • અનેક ગાયક કલાકારો હિન્દી સદાબહાર ગીતો રજૂ કર્યા

  • કલાકારોએ સુમધુર કંઠે અનેક શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા

  • કાર્યક્રમમાં ભેગી થયેલી મૂડી સેવાભાવી સંસ્થાને અર્પણ 

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની પ્રોલાઈફ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગપતિ સ્વ. એમ.એસ.જોલીના ધર્મપત્ની અનુરીત જોલી છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતના કેટલાક શહેરોમાં જુદા જુદા ક્ષેત્રે કાર્યરત સંગીતપ્રિય લોકો સાથે જોડાયેલા છે. આ સંગીતપ્રિય લોકોના સમૂહ દ્વારા અનેક વખત ગીત-સંગીતના અનેક કાર્યક્રમો કરવામાં આવે છેત્યારે ગત વર્ષની સફળતા બાદ સતત ત્રીજા વર્ષે પણ ઉદ્યોગપતિ અનુરીત જોલી દ્વારા પાનોલી GIDC સ્થિત એમ.એસ.જોલી ઓડિટોરિયમ ખાતે અંકલેશ્વર સુરસંગમ-2025” મ્યુઝિકલ મીટમાં ઉપસ્થિતિ આમંત્રિત મહેમાનો તથા શુભેચ્છકોને અનુરીત જોલી દ્વારા મીઠો આવકાર આપી સુંદર સ્વાગત પ્રવચન આપ્યું હતું.

ત્યારબાદ સ્વ. એમ.એસ.જોલીની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરીને તેમજ માઁ સરસ્વતીજીની પ્રતિમા સમક્ષ દીપપ્રાગટ્ય કરી મ્યુઝિકલ મીટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં ડો. ખુશ્બુ પંડ્યા દ્વારા પ્રાર્થના ગીત રજૂ કરવામાં આવ્યું હતું. મ્યુઝિકલ મીટને આગળ ધપાવતા સમગ્ર કાર્યક્રમના સંચાલક પ્રકાશ ક્રિશ્વિયન દ્વારા પ્રાસંગિક વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું. આ સાથે જ જે કોઈપણ કલાકારો કાર્યક્રમમાં સહભાગી થઈ શક્ય નહોતાતેઓએ વિડીયો મેસેજ મારફતે આયોજકોને શુભેચ્છા પાઠવી હતી.

આ અવસરે સ્વ. એમ.એસ.જોલીના જીવનના સંસ્મરણોને ડોક્યુમેન્ટરી રૂપે રજૂ કરવામાં આવ્યા હતા. વધુમાં પાછલા 2 વર્ષની ભવ્ય સફળતાને રજૂ કરતી યાદગાર પળોને પણ સુંદર રીતે શ્રોતાઓ સમક્ષ રજૂ કરાય હતીઅને રાજ્યભરમાંથી પધારેલા અનેક ગાયક કલાકારો હિન્દી સદાબહાર ગીતો શ્રોતાઓ સમક્ષ રજૂ કર્યા હતા.

પાનોલી GIDC સ્થિત એમ.એસ.જોલી ઓડિટોરિયમ ખાતે યોજાયેલ મ્યુઝિકલ મીટમાં અનેક ગાયક કલાકારોએ પોતાના સુમધુર કંઠે ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આ સાથે જ સમાજની મુખ્યધારાથી હટી સેવાકાર્ય સાથે જોડાયેલ મનમૈત્રી સેવા ફાઉન્ડેશન-ભરૂચના જયેશ પરિખ અને તેમનં ધર્મપત્ની હિના પરિખ તેમજ યુનિટી ચેરીટેબલ ટ્રસ્ટ-ખરોડના મહમ્મદ હાંસરોદને પ્રોલાઈફ ફાઉન્ડેશન દ્વારા રૂ. 51-51 હજારનું આર્થિક સેવાનું યોગદાન અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તો બીજી તરફઉમરવાડા ગામના આગેવાન બાબુ વકીલ તથા તેઓના પરિવારે પ્રોલાઈફ ફાઉન્ડેશન દ્વારા CSR અંતર્ગત આપવામાં આવેલી સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી.

આ પ્રસંગે પ્રોલાઈફ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર કરણ જોલીશાક્ષી જોલીયોગેશ પારિકખુશ્બુ પંડ્યા તેમજ પાનોલી ઉદ્યોગ મંડળના આગેવાનો સહિત મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર સુરસંગમ-2025” મ્યુઝિકલ મીટના સફળ આયોજન બદલ આયોજક અને ઉદ્યોગપતિ અનુરીત જોલીએ સૌકોઈ ઉપસ્થિતોનો આભાર માન્યો હતો.

Latest Stories